SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચ કેવીરીતે કરવાની ? બાહુ, સુબાહુ ને વૈરાગ્ય ઉત્કૃષ્ટ રહ્યો. નંદિષેણને વૈરાગ્ય ઝાંખો થયો છે, ત્યાં ચારિત્ર ગમે છે. ચારિત્ર ન ગમે, ન જોઇએ એવા અધ્યવસાય નથી. પણ ભવાંતરમાં અને સ્ત્રી તરફથી પરાભવ ન થાઓ એવી આશંસા ઘુસી ગઈ. જ્યારે સંભૂતિમુનિને (બ્રહ્મદત્તના જીવને) વૈરાગ્ય નષ્ટ થઇ ગયો. સંસારના ભોગો, સ્ત્રી ભોગની વાંછા થઇ. દ્રવ્યથી જ ચારિત્ર રહ્યું. વૈરાગ્ય તીવ્ર જ્વલંત રહેવાથી દેવલોકમાં જઇ, મનુષ્ય ભવમાં ચારિત્ર મેળવી મોક્ષે ગયા. (ભરત, બાહુબળી) નંદીષેણ વૈરાગ્ય ઝાંખો થવાથી, દેવલોકમાં જઇ ત્યાંથી મનુષ્ય બન્યા. સ્ત્રી ભોકતા બન્યા, ચારિત્ર ત્યાં ન મળ્યું. ત્યાંથી દેવલોકમાં ગયા ત્યાંથી મનુષ્ય થઇને ચારિત્ર પામી મોક્ષે જશે. જો સ્ત્રીવલ્લભ થવાનું માંગ્યું ન હોત તો ભરત અને બાહુબળીની સમાન બનત.. અને તે જ ભવમાં ચારિત્ર પાળી મોક્ષે ગયા હોત !!! અચ્છા, સ્ત્રીવલ્લભ થયાં પણ પતન કેમ ન થયું ? કારણકે પૂર્વભવમાં જબરજસ્ત પૂણ્ય ઉપાર્જન કરેલું.. ચારિત્ર્યના શુભ સંસ્કાર દૃઢ થયેલાં હતાં. અને નિરાશંસભાવે વૈયાવચ્ચ કરી હતી.. તેમાં આપમતિ, સ્વચ્છંદતા, અહંકાર, સુખશિલીયાપણું, હરામહાડકાંપણું વગેરે દોષો ન હતાં. વૈયાવચ્ચ કેવીરીતે કરવાની ? આ આચાર્યદિની વૈયાવચ્ચ વિધિવત્ – શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે પુરૂષાદિની અપેક્ષાએ કરવાની છે. * पुरिसंतस्सुवयारं, अवयारं चप्पणो णाउणं, कुज्जा वेयावडियं, आणं काउं निरासंसो !! આચાર્ય, તપસ્વી, ગ્લાન, બાલ, વૃદ્ધ આદિની અપેક્ષાઓ જોઇને વૈયાવચ્ચ કરવાની છે. તેમને ઉપકાર થશે કે કેમ? તે જોવાનું છે. અને કરનારને પણ ઉપકાર થશે કે કેમ તે પણ જોવાનું છે. બન્નેના ઉપકાર, અપકારનો વિચાર કરીને, “મારા ભગવાનની આજ્ઞા છે.” તેમ માનીને નિરાશંસભાવે જે વૈયાવચ્ચ થાય છે, તે ભવાંતરમાં આત્માની રક્ષક બને છે, વૈયાવચ્ચ પહેલાં શિખવી પડે, એમને એમ ન આવડે. એ પણ એક કળા છે. સામી વ્યકિતનો ઉપકાર જોવાનો - તેના તનને શાતા ઉપજાવવી. તેના મનને શાતા પ્રસન્નતા રહે.. એને મનમાં સંકલેશ ન થાય વિગેરે જોવાનું હોય છે.. એને પ્રસન્નતા ન રહે, શાતા ન ઉપજે તો એ કરાતી વૈયાવચ્ચ એ વૈયાવચ્ચ નથી. એ વૈયાવચ્ચ ન કહેવાય. ૧૨૧ - Jain Education International 2010_05 "r અંતિમ સમયે સમાધિનું Reservation ( રિઝર્વેશન ) કોને ? જે આખું જીવન સારૂં જીવ્યા હોય તેને સમાધિ મળે છે. પહેલી દૃષ્ટિમાં પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા. યોગબીજોની વાત કરી રહ્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy