SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ન કરો, હું હમણાં જ આપની સેવા કરીને સારૂં કરી દઇશ. પાણીથી બધું સાફ કરી દઉં છું. પછી આપશ્રીને ઔષધ લાવી દઉ છું. આપ પધારો મારી સાથે. આહારાદિથી આપની ભકિત કરું. પણ મારાથી ચલાતું નથી. ત્યારે પોતાના ખભે બેસાડે છે. રસ્તામાં વિષ્ટા કરીને બગાડે છે. ભર બજાર વચ્ચે તેના શરીર ઉપર વિષ્ટાના રેલા ઉતરે છે. દેવ જૂએ છે કે તેના પરિણામ બગડે છે ? પણ કયાંય પરિણામ બગડતા નથી. તે સમજે છે કે દર્દી છે. દુઃખથી પીડાતા હોય, દર્દનું જોર હોય, એમનો શું વાંક છે ? આ સમાધાન દ્દષ્ટિ છે. આ વિવેકદૃષ્ટિ કહેવાય. ઉપશમભાવ કહેવાય. વર્તમાનકાળમાં પણ ઘણા સમુદાયમાં આવા વૈયાવચ્ચી હોય છે. આ નંદીષેણ મુનિએ ૫,૩૨૦ વર્ષ ચારિત્રમાં ઉત્કૃષ્ટ કોટિની વૈયાવચ્ચ કરી છે. અને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે. પણ છેલ્લે મરતી વખતે પોતાનું પૂર્વ જીવન યાદ આવ્યું. કર્મના ઉદય કેવા વિચિત્ર હોય છે ? મને બધી સ્ત્રીઓ જાકારો આપતી હતી, તો હવે ભવાંતરમાં હું સ્ત્રીવલ્લભ થાઉં એવું માંગે છે. ૧૨૦ ભરત - બાહુબળીના આત્માએ વૈયાવચ્ચ કરી સાથે ઉત્કટ ચારિત્ર પાળ્યું. ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે. મહાન પુણ્યના ઉદય સાથે જન્મેલા હતાં. અંતિમ સમયે જ્વલંત વૈરાગ્ય ઝળહળતો રહ્યો છે. જયારે આ નંદીષેણને અંતિમ સમયે જીવનમાં જે પરાભવ થયેલો તે ડંખ્યો. આ તો કોથળામાં નાંખેલું બિલાડું છે. કયારે બહાર નીકળે તે કહેવાય નહીં. તેવી રીતે અંદરમાં નાંખેલા સંસ્કારો કયારે બહાર આવશે તે ન કહેવાય. અંદરમાં નાંખતા પહેલાં જ વિચાર કરો તે ગમે ત્યારે પટકી નાંખશે. સ્ત્રીઓ તરફથી પ્રેમનો અભાવ, અપ્રિયતાના સંસ્કાર છેલ્લે પાછા આવ્યા, એટલે આવી માંગણી કરી બેઠો. આના કારણે વૈરાગ્ય નષ્ટ ન થયો પણ વૈરાગ્યનો પાવર Power મંદ થયો. વૈરાગ્યને ઝાંખો પાડી દીધો. વૈયાવચ્ચના સંસ્કારો અને તેનાથી બંધાયેલ પુણ્ય નિષ્ફળ નથી જતાં. ચારિત્રના સંસ્કારો પણ રહેલા છે. માત્ર અંતિમ સમયે ભૂલ થઈ ગઈ. ભવાંત૨માં મને જાકારો ન મળે. પરાભવ - તિરસ્કાર ન પામું માટે સ્ત્રી વલ્લભ થાઉં, સ્ત્રીઓને પ્રિય બનું. તે મરીને દેવલોકમાં જઇ ત્યાંથી ચ્યવીને કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ થયાં. પુણ્યાનુબંધી પુણ્ય તો રહ્યું છે. હવે જે સ્ત્રીઓ એને જુએ છે તે એનામાં પાગલ બને છે. સમુદ્ર વિજયને બધા કહે છે. ભાઇ ! આને ઘરમાં રાખો. અમારી બેન, દીકરીઓ તમારા ભાઇને જુએ છે અને તે પાગલ થઇ જાય છે. તેની પાછળ ફરે છે. વાસુદેવ કરતાં ડબલ સ્ત્રીઓના ભોકતા બન્યા. ગયા ભવમાં વૈરાગ્યને મંદ કરીને આવ્યા છે. તેથી આ ભવમાં ચારિત્ર ન મળ્યું. પણ વૈરાગ્ય નષ્ટ નથી થયો. સ્ત્રીવલ્લભ થવાનું માંગ્યું તેથી વૈરાગ્ય ઝાંખો પડયો પણ નષ્ટ ન થયો. તેથી પછીના ભવમાં એટલે દેવલોકમાં જઇ મનુષ્યમાં આવી ચારિત્ર લેશે, સારી રીતે પાળશે અને મોક્ષે જશે. સ્ત્રી વલ્લભપણું માંગવા છતાં, ચારિત્ર શ્રેષ્ઠ છે. તેનાથી આત્મકલ્યાણ છે એ રત્નકણ અંદરમા જીવતો રહ્યો માટે પતન ન થયું. વૈયાવચ્ચના ગાઢ સંસ્કારથી ઉભી થયેલી પરિણતિથી સ્ત્રીવલ્લભપણું માંગવા છતાં બુદ્ધિ ભ્રષ્ટ ન થઈ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy