SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચ ઉપર નંદીષણનું દષ્ટાંત ૧૧૯ વૈયાવચ્ચ ઉપર નંદીષણનું દષ્ટાંત નંદીષણ વૈયાવચ્ચી છે. એણે પણ ભરત, બાહુબલી જેવી જ વૈયાવચ્ચ કરી છે. પણ પૂર્વના કોઈ પાપના ઉદયે, પૂર્વની કોઇ વિરાધનાના કારણે જન્મથી જ બેડોળ આકૃતિ મળી છે. નાનપણમાં માતા-પિતા મરી ગયા છે. લગ્નની ઇચ્છા છે. પણ કોઇ કન્યા આપતું નથી. મામા કહે છે. મારી સાથે ચાલ, મારે ઘરે રહેજે, મારી સાત દિકરીઓ છે. તેમાંથી એકને પરણાવીશ. તારી ઈચ્છા પૂર્ણ કરીશ. એક પછી એક સાતે દીકરીને કહે છે. પણ એકે દીકરી માનતી નથી. બધી કહે છે કે અમે આપઘાત કરીને મરી જઇશું પણ એની સાથે તો નહીં જ પરણીએ. બધેથી તિરસ્કૃત થયેલો, નાસીપાસ થયેલો નંદીષેણ મરવા તૈયાર થાય છે. કંટાળીને આપઘાત કરવા જાય છે. ત્યાં તેને મહાત્મા મળે છે. મહાત્મા તેને ઉપદેશ આપે છે. સમજાવે છે ભાઇ ! આમ મરી જવાથી પાપો મરતાં નથી, સંસ્કારો મરતાં નથી. સંસ્કારો ઉભા રાખીને મરવું એના કરતાં સંસ્કારો મારીને મરવું એ શ્રેષ્ઠ મરણ છે. આમ મરી જવાથી તારો નિસ્તાર નહીં થાય. નંદીષેણે વૈરાગ્ય પામી મહાત્મા પાસે દીક્ષા લીધી. દીક્ષા લઇને એણે અભિગ્રહ કર્યો. તેમાં પહેલો અભિગ્રહ યાજજીવ માટે છઠના પારણે છઠ કરવાનો અભિગ્રહ કર્યો. અને બીજો અભિગ્રહ - જે કોઈ સાધુ બિમાર હોય, જે કોઈ સાધુ ગ્લાન હોય, માંદા હોય. જયાં પણ હોય ત્યાં તેની સેવા કરવા પહોંચી જઇશ. દીક્ષાના દિવસથી ઉભય અભિગ્રહના પાલન પૂર્વક સુંદર ચારિત્રની આરાધના કરી રહ્યા છે. હજારો વર્ષના વહાણાં વહી ગયા. એક દિવસની વાત છે. દેવલોકમાં ઇન્દ્ર તેની વૈયાવચ્ચની પ્રશંસા કરે છે. તેણે સાધુની કેવી સેવા કરી હશે ? કેવી વૈયાવચ્ચ કરી હશે ? ઈન્દ્રના મુખે પ્રશંસા સાંભળીને દેવ પરીક્ષા કરવા આવે છે. છઠના પારણે પણ ભિક્ષા નિર્દોષ જ લેવાની, તે પણ મધ્યાહન કાળે જ, અંત-પ્રાંત ભિક્ષા લઈને નંદીપેણ ઉપાશ્રયે આવે છે. ગોચરી વાપરવા બેસવાની તૈયારી કરે છે. હજી તો હાથમાં કોળીયો લીધો છે. મોઢામાં તો મૂક્યો નથી. ત્યાં પેલો દેવ સાધુનું રૂપ લઇને ઉપાશ્રયના બારણામાં આવ્યો. કયાં ગયો પેલો ઢોંગી વૈયાવચ્ચી નંદીષેણ? હાથનો કોળીયો પડતો મૂકીને, ઉઠીને બહાર આવ્યો. બોલો શું કામ છે ? ફરમાવો. અરે ! કોણે તને વૈયાવચ્ચી કહ્યો છે ? હજી પેલા સાધુ તો બહાર માંદા છે, ને તું ખાઉધરો ! ખાવા બેસે છે ? શરમ નથી આવતી ! પેલા સાધુ તો બહાર માંદા છે. ભૂખ્યા ને તરસ્યા પીડાઈ રહ્યા છે. અને તું તું.. ઓ મહાત્મન્ ! હું હમણાં જ જાઉં છું. આપ શાંતિ રાખો, ચિંતા ન કરો. પણ પેલા મહાત્માને કેટલા ઝાડા થયા છે? એમ ! સારૂં હું પાણી લઈને જાઉ છું. એમ કહી ઘડો લઈને તે પાણી લેવા માટે નીકળે છે. પેલો દેવ ઘેર ઘેર પાણી દોષિત કરી નાંખે છે. બહુ ફરતાં ફરતાં માંડ માંડ કલાકે થોડું પાણી મળે છે. પાણી લઈને જાય છે. ગામની બહાર જયાં સાધુ છે ત્યાં પહોંચે છે. ત્યાં તો પેલો સાધુ જેમ ફાવે તેમ બોલે છે, તાડન - તર્જન કરે છે, તને કોણે વૈયાવચ્ચ કહ્યો? આપ ચિંતા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy