SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કષાયોનો, સુખશિલીયાપણાનો તથા સ્વાર્થોધતાનો છે. એને જ ભવોભવ સાથે રાખીને ધર્મ કર્યો છે. અહિંસાદિ પાળ્યા છે. તેનું ફળ શું? એના ફળ રૂપે એકાદ ભવ દેવનો મળ્યો પણ પરિભ્રમણનો અંત ન આવ્યો? કેમ ન આવ્યો? કારણ કે કન્જો ગુંડાઓનો હતો. વૈયાવચ્ચ કરવામાં આત્માની સંપત્તિ બહાર આવે છે. અને અંદરના આવા બધા દોષો નીકળતા જાય છે. વૈયાવચ્ચગુણ અપ્રતિપાતી કેમ ? વૈયાવચ્ચ એ ફકત બાહ્ય સેવા રૂપ નથી પરંતુ અત્યંતર તપ છે. સેવા સહિતનો આંતરિક પરિણામ છે. બીજાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના યોગોમાં સહાયક થવાની વૃત્તિ અને ભાવના અને તે માટેની શકય પ્રવૃત્તિ તે મુખ્ય વૈયાવચ્ચ છે. મોક્ષમાર્ગના સાધક બધાજ યોગો વૈયાવચ્ચમાં પોષાય છે. વૈયાવચ્ચમાં પોતાની જાતને ગૌણ કરવાની ભાવના હોવાથી સકલ સંઘની આરાધના તેમાં મુખ્ય બને છે. તેથી સમર્પણભાવ, સેવકભાવ, સેવા લેનારનો સેવાના કારણે પોતાના ઉપર થતો ઉપકાર એ મુખ્ય દેખાય છે. * સેવાની તત્પરતાથી કાયાનો રાગ, હરામહાડકાપણું સુખશીલિયાપણું, સ્વચ્છંદતા, આપમતિ, અહંકાર, સ્વાથધતા આ બધા દોષોનો નાશ થાય છે. જેની સેવા કરવાની છે તેની અનુકૂળતા અને પ્રસન્નતાના લક્ષથી સમર્પિતતા આવે છે. અહંકાર જવાથી નમ્રતા આવે છે. આપમતિ જવાથી સામાની ઈચ્છા અનુસાર વર્તન આવે છે. સ્વાર્થોધતા જવાથી સહાયકતા આવે છે, સ્વચ્છંદતા જવાથી પરતંત્રતા આવે છે. માટે તૈયાવચ્ચ એ સર્વયોગોની આરાધનાના બીજરૂપ છે. એનાથી બધાજ યોગોની રૂચિ, શકિત, પુણ્ય, સામગ્રી વગેરે પ્રાપ્ત થાય છે. મોક્ષે જાય ત્યાં સુધી પુણ્ય અને ગુણો નિર્મલ થાય છે, વિકસિત બને છે. આમાં ફળની પ્રાપ્તિ આંતરિક પરિણામના આધારે છે. આમ વૈયાવચ્ચ કરવાથી ઉપરમાં કહેલા ગુણોનું આત્માની સાથે એવું જોડાણ થાય છે કે જે ઉદયમાં આવે છતે આત્માનો પાત થતો નથી. જ્ઞાની પણ એકાવતારી બની શકે છે. છતાં જ્ઞાન ગુણને શાસ્ત્રમાં અપ્રતિપાતી કહ્યો નથી. જ્ઞાન આવ્યા પછી રહે જ એવું નથી. જાય પણ ખરું. ચૌદપૂર્વીઓ પણ પ્રમાદથી નિગોદમાં ગયેલાનાં દ્રષ્ટાંત છે. જ્ઞાન હોતે છતે અહંકારની પૂરી સંભાવના છે. માટે જ જ્ઞાનનું અજીર્ણ અહંકાર કહ્યું છે. તપનું અજીર્ણ ક્રોધ અને ક્રિયાનું અજીર્ણ સામાનો તિરસ્કાર છે. વૈયાવચ્ચ સિવાયના બીજા બધા ગુણોની પ્રાપ્તિમાં સંસાર પરિભ્રમણના મૂળ ભૂત અહંકાર, આપમતિ, સ્વચ્છંદતા, સ્વાધતા, કાયાનો રાગ, હરામહાડકાપણું, સુખશીલિયાપણું આ બધા દોષોનો નાશ થાય જ આવો એકાંત નથી. જયારે વૈયાવચ્ચમાં આવો એકાંત છે માટે બીજા ગુણો પ્રતિપાતી પણ હોઈ શકે, જયારે વૈયાવચ્ચ એ અપ્રતિપાતી છે. • Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy