SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચ ઉપર ભરત-બાહુબલીનું દૃષ્ટાંત ૧૧૭ છે. આ રીતે જે ભાવો જે સ્થાને જે રીતે કરવાના છે, તે ભાવો તે સ્થાને તે રીતે કરો તો શુભભાવ છે. લાકડે માંકડું વળગાડવાનું નથી. ગમે તેમ ભાવો કરવાના નથી. યોગ્ય સ્થાને યોગ્યભાવમાં રહેતાં શીખો તો શુભભાવ છે. આપણા મનમાં, બુદ્ધિમાં જે વિકલ્પો વિચારો ઉઠે છે તેને જોયા કરો તે સાક્ષીભાવ છે. આજે ઘડો લાવ્યા, એક કલાક પછી ફુટી ગયો, ત્યાં શું કરવાનું? ઝઘડવાનું નહીં, કલેશ કરવાનો નહીં. જ્ઞાનીના જ્ઞાનમાં જે રીતે જોવાયું હોય છે તે બને છે એમ સમાધાન કરી ઢેષ કે રાગ ન કરતાં ઉપર ઉઠવું તે ઉદાસીનભાવ છે. જીવો પ્રત્યે પ્રેમ અને વાત્સલ્યભાવ જ હોય. ત્યાં ઉદાસીનભાવ ન કરાય, એટલે આ ભાવો તે તે સ્થાનોમાં તે તે સમયે કરવા તે જ શુભભાવ કહેવાય. ભરત અને બાહુબલીના જીવો ઉત્કટ, જવલંત વૈરાગ્ય ને સંસ્કાર લઈને આવેલા છે. ચક્રવર્તીના ભોગો મળ્યા, વિશાળ રાજય મળ્યું, છતાં જીવનમાં જે વૈરાગ્ય છે તે ઝાંખો નથી પડ્યો. મંદ નથી પડ્યો. પૂર્વભવમાં કરેલ અનુષ્ઠાન અને સંસ્કારો આ કામ કરે છે. એકને યુદ્ધ ભૂમિમાં ચારિત્ર મળ્યું અને બાર મહિનામાં કેવળજ્ઞાન થયું. ભરતને વસ્ત્રાલંકાર ઉતારતાં આંગળીમાંથી વીંટી પડે છે. ત્યાં જ અનિત્યભાવનાની અનુપ્રેક્ષા કરતાં કેવળજ્ઞાન મળ્યું. નિરાશસભાવે, ઉત્કટ કોટિએ કરેલી વૈયાવચ્ચ અને તેના સંસ્કારો કેવા મહાન છે. વૈયાવચ્ચી વૈયાવચ્ચ દ્વારા એકાવનારી બની જાય છે. તેનું અજોડ દાંત બાહુ, સુબાહુનું (ભરત, બાહુબલી) છે. વૈયાવચ્ચ દ્વારા આત્મા ઉપર સંસ્કાર પડે છે. વૈયાવચ્ચ એટલે બીજાનું કરી છૂટવાનું છે. સેવા કરવાની છે. બધી રીતે ઘસાવાનું હોય છે. સામાને શાંતિ આપવાની હોય છે. શુદ્ધ કોટિની, નિરાસંશભાવે કરાતી વૈયાવચ્ચ દ્વારા દોષો નાશ પામે છે. વૈયાવચ્ચ દ્વારા આપમતિ, અહંકાર, સ્વચ્છંદતા, કષાયો, કાયાનો રાગ, સુખશાલિયાપણું, હરામહાડકાપણું વિગેરે દોષો ભાગવા માંડે છે. આ બધા દોષોથી જ આજ સુધી સંસારમાં જીવ રખડ્યો છે વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. એનાથી જે ગુણો પ્રગટે છે તેનો પાત ભવાંતરમાં પણ થતો નથી. જગતમાં તમારી પાસે શું ચીજ છે? એ જેટલું મહત્વનું છે, તેના કરતાં તમારા ઉપર કબ્દો કોનો છે ? તે મહત્ત્વનું છે. કન્જાની વાત મોટી છે. મકાન ભાડે આપી દીધું. ભાડવાતના હાથમાં મકાન ગયું, પછી મકાનમાલિકનું કંઈ ચાલતું નથી. એતો એનું ભાડું ખાય તેટલો હક્ક... “રહે તેનું ઘર ને ખેડે તેની જમીન” એમ જગતમાં તમારી પાસે શું છે ? અને તમારા ઉપર કન્જો કોનો છે? શુદ્ધ - બુદ્ધ એવો આત્મા છે. અનંત આનંદ, અનંત શકિતમાન આત્મા છે. છતાં અનંતકાળથી પરિભ્રમણ કેમ કરે છે ? કારણ કે આત્મા ઉપર કર્મનો કન્જો છે, આત્મા પર આજે કન્જો આપમતિનો, સ્વચ્છંદતાનો, અહંકારનો, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy