SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કઠિન છે. એમાં સુખશિલીયાપણું છોડવાનું છે. સ્વચ્છંદતા છોડવાની છે. કાયાનો રાગ છોડવાનો છે, આપમતિ છોડવાની છે, સ્વાધતા છોડવાની છે, હરામહાડકાપણું છોડવાનું છે, આહારાદિની સંજ્ઞા છોડવાની છે. કદરદાની, માન, પ્રશંસા કીતિની અપેક્ષા વિના વૈયાવચ્ચ કરવાની છે. જેની પાસે ઉત્કટ પુણ્યાનુબંધી પુણ્ય વિદ્યમાન છે, જવલંત વૈરાગ્ય વિદ્યમાન છે. ઊંચી કોટિનું નિર્મળ સખ્યત્વ વિદ્યમાન છે, તેને સંસારમાં પતનનો કોઇ યોગ નથી. ચારિત્રના નિર્મળ નિરતિચાર પાલનથી, એનાથી પડેલા સંસ્કારી Solid પુણ્ય ઉભું કરે છે. ચારિત્ર આત્માનું ઘડતર કરે છે. તેનું પતન સંભવિત નથી સંસારના સુખની ઇચ્છા હોત અને સેવા કરી હોત તો શું થાત? તો વૈરાગ્યનો પાવર મંદ થાત, પણ એમને તો ચક્રવર્તીના ઘરની સુખ - સાહ્યબી, માન-સન્માન છોડીને ચારિત્ર લીધું છે એટલે એની ઇચ્છા તો હોય શાની ? એક જ ગણિત હતું કે આ લોહી - માંસ હાડ - માંસથી ભરેલા બિભત્સ દેહે ભગવાને ભાંખેલું અને અચુતેન્દ્રને પણ દુર્લભ એવું વૈયાવચ્ચનું કાર્ય મળે કયાંથી? માટે અત્યંત નિરાશસ ભાવે સેવાનું કાર્ય બનાવ્યું છે. તેનાથી વિપુલ પુણ્ય અને પ્રબળ વૈરાગ્યના સંસ્કાર ઉભા કર્યા છે. ૧૦ સંજ્ઞારહિત થયેલો ધર્મ જવલંત વૈરાગ્ય ઉભો કરે છે. તેમાં રાગાદિ પરિણતિ, સુખની ઇચ્છા ભળે છે એટલે વૈરાગ્યનો પાવર મંદ થાય. અને તીવ્ર સુખની ઇચ્છા હોત તો વૈરાગ્ય નષ્ટ પણ થઇ જાત. ભરત ભલે ચારિત્ર લઈ નથી શક્યા, પણ વૈરાગ્યનો પાવર મંદ નહોતો કર્યો, તેથી નિમિત્ત મળતાં ચેતી જાય છે. ચારિત્રના પરિણામ જાગ્યા તે પૂર્વભવના જવલંત વૈરાગ્યના સંસ્કારનું ફળ છે. પૂર્વભવની કરેલી નિરાશંસ વૈયાવચ્ચનું ફળ છે. સંસ્કારોથી જ ઉત્થાન થાય છે. અને સંસ્કારના બળે આત્મા આગળ વધે છે. માટે વિવેકી આત્માએ કાળજી રાખવાની છે. વિનાશી ચીજો ખાતર ભાવ ન બગાડવો. વિનાશી ચીજો તો વિનાશી છે. જતી રહેવાની છે. પણ સંસ્કાર સાથે આવનાર છે. પરિણામ બગાડવાના નથી. શુભ ભાવો કરવાના છે. શુભભાવ ઘણા પ્રકારના છે. (૧) અઘાતી કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં સુખ દુઃખમાં સમભાવ- વાળા રહેવું તે શુભભાવ છે. (૨) વિષયો પ્રત્યે વૈરાગ્યભાવવાળા રહેવું એ શુભભાવ છે. (૩) કષાયોના પ્રસંગમાં ઉપશમભાવવાળા બનવું તે શુભભાવ છે. (૪) સંસારના દૃશ્ય-પદાર્થોમાં, પરિવર્તનશીલ પર્યાયોમાં ઉદાસીનભાવે રહેવું, એ શુભભાવ છે. (૫) મન અને બુદ્ધિમાં જે ભાવો ચાલે છે તેના સાક્ષીભાવે રહેવું, તેના દષ્ટા બનવું તે શુભભાવ છે. (૬) પરમાત્મા પ્રત્યે ભકિતભાવવાળા બન્યા રહેવું તે શુભ- ભાવ છે. (૭) અને જીવો પ્રત્યે પ્રેમ - કરૂણા - વાત્સલ્ય ભાવ રાખવો તે શુભભાવ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy