SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચ ઉપર ભરત-બાહુબલીનું દૃષ્ટાંત ૧૧૫ બહાર આવે છે. મુનિ નિચ્ચેષ્ટ બને છે. કૃમિ મૂકવા ગાયનું મડદું લાવ્યા. અધમ જીવોને રહેવાનું સ્થાન પણ અધમ હોય છે. કૃમિ મડદામાં રહે તો જીવી શકે માટે ગાયનું મૃતક લાવ્યા છે. રત્નકંબલ શીત છે. મુનિને કંબલ ઓઢાડે છે. કૃમિ બધા એના ઉપર આવી ગયા- મહાત્મા ભાનમાં આવ્યા છે. એક પણ કૃમિ મરી ન જાય માટે ગાયના મડદામાં મૂકે છે. પછી ગોશીર્ષ ચંદનનું વિલેપન કરે છે, જેથી અંદરનો દાહ શમે. હજી માંસમાં કૃમિ ઘણા છે. ફરી લક્ષપાક તેલનું મર્દન કરે છે. ફરી કૃમિ બહાર આવ્યા. કંબલ ઓઢાડી, કૃમિ કંબલમાં આવી ગયા. ગાયના મડદામાં સાચવીને મૂક્યા. ફરી પાછું ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું, હજી કૃમિ હાડકા સુધી પહોંચ્યા છે. ફરી એ જ પ્રક્રિયા કરી. કૃમિને બચાવ્યા. મહાત્માની કંચનવર્ણ કાયા થઈ ગઇ.. પહેલાં હતાં તેનાથી વધુ મુનિ તેજસ્વી બની ગયા. ત્રણે વસ્તુ કિંમતી છે તેથી વધેલા લક્ષપાક તેલ, ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ વેચીને સોનું ખરીદું. બીજું ઘરનું સોનું ઉમેર્યું. અને તેમાંથી મંદિર બંધાવ્યું. મન મૂકીને ભકિત કરી. આ રીતે લક્ષ્મીનો સદ્વ્યય કરી જીવનના ઉત્તરાર્ધમાં સંસારનો ત્યાગ કરી બધા ચારિત્ર લે છે. નિરતિચાર ચારિત્ર પાળી શૈવેયકમાં ગયા-ત્યાંથી ચ્યવી જીવાનંદ વૈદ્યનો જીવ ચક્રવર્તી બને છે. વજનાભ ચક્રી બન્યા. પખંડ પૃથ્વીનો ત્યાગ કરી, ભોગોને લાત મારી ચારિત્ર લીધું. નિરતિચાર ચારિત્રનું પાલન કરી ત્યાંથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને ત્યાંથી સીધા ઋષભદેવ બને છે. વૈયાવચ્ચ યોગ સાધતાં આવડે તો શું કામ કરે છે ? વૈયાવચ્ચ ઉપર ભરત-બાહુબલીનું દષ્ટાંત બાહુ- સુબાહુ એ વજનાભ ચક્રવર્તીના પુત્ર છે. યૌવનમાં આવો રાજવૈભવ છોડી, પ્રબળ વૈરાગ્યથી ચારિત્ર લીધું. સમુદાય ગચ્છ રોગાદિથી પીડાય છે ત્યારે આ બે મહાત્મા તૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. ઊંચું પુણ્ય હોય તો વૈયાવચ્ચ મળે છે. લોહી હાડમાંસ ચામથી વૈયાવચ્ચ મન મૂકીને કરવાનું સ્વીકારે છે. સાથે વૈરાગ્ય જવલંત છે. જેણે ચક્રવર્તીના સુખોને છોડયા છે, તેને હવે કયાં રાગ થાય ? જવલંત વૈરાગ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અહીંની આસકિત, અહીંના ગુણો, અહીંના સંસ્કાર પરલોકમાં સાથે આવે છે. તે સિવાય કોઇ ચીજ પરલોકમાં સાથે ન આવે. બાહુબલીના જીવે બાહુથી સેવા કરી હતી. અને ચક્રવર્તીના જીવે દૂર દૂરથી ઔષધ - પાણી, પથ્ય આહાર, અનુપાન વિગેરે લાવવા દ્વારા સેવા કરી હતી. જેટલા ધક્કા ખાવા પડે તે ખાઈને અને છતાં પણ આનંદને વૃદ્ધિગત બનાવીને સેવા કરી છે. સામાના મનને, શરીરને સમાધિસ્વસ્થતા રહે, તેમને કોઈ પ્રતિકૂળતા ન થાય તેની પૂર્ણ સાવધાની સાથે વૈયાવચ્ચે કરી છે. કેટલી નમ્રતા, કેટલો વિનય - વિવેક આવે ત્યારે આવી વૈયાવચ્ચ આવે. જ્ઞાન મેળવવું સહેલું છે. તપ - જપ કરવા સહેલા છે. પણ વૈયાવચ્ચ કરવી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy