SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આ મહાત્માની ચિકિત્સા કરવા ત્રણ ચીજ જોઈએ. બધી કિંમતી ચીજ છે. (૧) લક્ષપાક તેલ જોઇએ. (૨) ગોશીષ ચંદન જોઇએ. (૩) રત્નકંબળ જોઇએ. આમાંથી મારી પાસે બે ચીજ તો છે. પણ રત્નકંબલ નથી. તે તમે બધા ખરીદી લાવો. કયાં મળશે? બજારમાં અમુક દુકાને. પછી આપણે ઉદ્યાનમાં જઈને મુનિની ચિકિત્સા કરીએ. પોતાને મળેલી શકિત અને ક્ષયોપશમનો સદુપયોગ ન કરો, પરના કાજે ન વાપરો તો નકામા થઈ જાય છે. ચપ્પની ધાર જેવા શકિત અને ક્ષયોપશમ છે. તેનો વપરાશ ન થાય તો ચપ્પની ઘારની જેમ કાટ વળી જાય છે, બુઠા થઈ જાય છે. વપરાશ કરો, ઉપયોગ કરો તો જ સારા રહે છે. આપણને ગોખવાનો ક્ષયોપશમ છે. ન ગોખીએ તો તે અવરાય છે. ક્ષયોપશમ અને શકિતના માલિક બનવાનું નથી કારણ કે તે ક્ષય પામનાર છે. ક્ષયોપશમ એ સાધક એવો પરભાવ છે. ઔદયિકભાવ બાધક એવો પરભાવ છે, ક્ષયોપશમ ભાવમાં પણ સંતોષ માનવા જેવો નથી, તે પણ અપૂર્ણ જ છે. ફક્ત ક્ષાયિક ભાવ જ પોતાનો છે. જે આવ્યા પછી જાય નહીં, જયારે ક્ષયોપશમ ભાવ આવ્યા પછી અવરાયા કરે છે, આવ્યા પછી ચાલી જાય તેમ છે. જે ચાલી જાય તેને પોતાનો કેમ કહેવાય ? - સાધનોમાં પણ જે સાધનો વાપરો- તેમ તેમ તે તેજસ્વી બને છે. તેમ શકિત અને ક્ષયોપશમનો જેમ જેમ વપરાશ કરશો તેમ તેમ વૃદ્ધિ પામશે અને તેજ બનશે. પૈસા- બુદ્ધિ વિગેરે એ ભોગવટા કે સંગ્રહ માટે નથી પણ સ્વ-પરના ઉપકાર માટે મળ્યું છે. તેનો ઉપયોગ કરતાં આવડે તો કોઇની તાકાત નથી કે તમને દુર્ગતિમાં લઈ જાય ! અને સદુપયોગ ન કરો તો ભવાંતરમાં એ શકિતઓ દુર્લભ થાય છે. મિત્રો બજારમાં ગયા, રત્નકંબલ આપો. કિંમત એક લાખ રૂપિયા છે. જે હોય તે.. પણ રત્નકંબલ આપો. વેપારી કહે શું કામ છે ? એક મહાત્માની સેવા-ભકિત કરવાની છે. ઉપચાર માટે અતિ આવશ્યક છે. વેપારી કહે, હું મારા જીવનમાં વૃદ્ધ થયો છતાં મેં કંઇ જ સુકત કર્યું નથી. મને આવું કંઇ સુઝતું નથી. અને આ યુવાનોને આ અવસ્થામાં સાધુની ભકિત કરવાનું મન થાય છે ? લઈ જાવ. મને આટલો લાભ લેવા દો. કિંમતની જરૂર નથી. મને સુકૃત કરવાનો લાભ આપો. કંબલ લઈને ગયા. છએ જણા ગયા ઉદ્યાનમાં, મહાત્માને વંદન કર્યું. મહાત્માની અનુમતિ માંગે છે. આપને ધ્યાનમાં ખલેલ થાય તો માફ કરશો. આયુર્વેદ ત્રષિ-મહર્ષિ પ્રણીત છે “શરીરમાં વહુ ઘર્મસાધનમ” શરીરને સારું રાખવામાં આવે તો ધર્મ સારી રીતે થઈ શકે છે. આયુર્વેદમાં પણ હિંસા ઘણી કહેલી છે, તેથી ધવંતરી વૈદ્ય છે, તેની ગતિ સાતમી નરક શાસ્ત્રમાં કહેલી છે. જીવનભર જે હિંસા કરે છે તે હિંસા કયાં લઇ જાય ? આયુર્વેદિક ઔષધમાં જે હિંસા છે તેનાથી વર્તમાન allopathy માં વધુ હિંસા છે. વૈદ્ય ઉદ્યાનમાં મુનિને લક્ષપાક તેલનું મર્દન કરે છે. કૃમિઓ ચામડી ઉપર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy