SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વત્ર પોતાની જ ભૂલ જોવી જોઇએ. ૧૧૧ જુઓ, નિયાયિક લાઘવપ્રેમી છે. જયાં ઓછાથી ચાલતું હોય ત્યાં તે એક પણ વધુ કારણ ન માને (માત્રા ઘન પુત્રોત્સવ મન્યત્વે) જેટલા ઓછામાં ઓછા કારણથી કાર્ય થાય તે માને છે પણ ગૌરવને માનતા નથી. તેવી રીતે આ ખરાબ, તે ખરાબ, પેલો ખરાબ, એમ ૫૦૦ ને ખરાબ માનવા એ કેટલું ગૌરવ છે? એના કરતાં હું જ ખરાબ છું એમ માનવામાં કેટલું બધું લાઘવ છે? બધા ખરાબ છે એવું માનવાથી એના ફળ રૂપે સંસાર મળે છે, અને કારણમાં લાઘવ માનીએ તો- એટલે કે “હું ખરાબ છું' એમ માનવામાં લાઘવ છે, અને ફળ માં મોક્ષ મળે છે. “અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું - એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ?” આ દૃષ્ટિ આવી એટલે પોતાની જાતને ખોટી જુએ, ખરાબ જુએ, તેને કોઈ ખરાબ ન લાગે. જે પોતાની જાતને સારી માને તેને જગત આખું ખરાબ દેખાય છે. ગૌરવ કરવું છે કે લાઘવ જોઈએ છે? સંસાર જોઇએ છે કે મોક્ષ જોઇએ છે ? હવે આજથી નક્કી કરવું છે ? આજે અહીંથી નક્કી કરીને જાવ કે ભૂલ જોઇશ તો મારી જ જોઈશ, બીજાની ભૂલને ગૌણ કરશું તો અધ્યાત્મ પામી શકીશું. ' પહેલી દૃષ્ટિમાં રહેલો જીવ યોગબીજોને ગ્રહણ કરે છે. જિનોપાસના જ ફકત યોગબીજ છે એવું નથી. પણ આચાર્યાદિ એટલે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વિગેરે વિષે મન-વચન-કાયાથી કુશળચિત્ત, વૈયાવચ્ચ આદિ પણ યોગબીજ છે. પણ એ આચાર્યાદિ ભાવયોગી હોવા જોઇએ. એટલે જે માત્ર દ્રવ્યાચાર્ય છે તેને બાદ કરવાના છે દ્રવ્યાચાર્ય બે પ્રકારે છે (૧) અપ્રધાન દ્રવ્યાચાર્ય (૨) પ્રધાન દ્રવ્યાચાર્ય (૧) તેમાં જેનું ઉપાદાન કયારે પણ ભાવ રૂપે પામવાનું નથી. તેવા અભવ્ય-દુર્ભવ્ય વિગેરે અપ્રધાન દ્રવ્યાચાર્ય છે. (૨) જે પંચાચારના પાલક છે, બીજાને પંચાચારમાં જોડે છે, જગતના જીવોને ધર્મનું દાન કરે છે, શાસન પ્રભાવના કરે છે, સ્વ-પર કલ્યાણ કરે છે, તે પ્રધાન દ્રવ્યાચાર્ય છે. હરિભદ્રસૂરિ મ. સા. અપ્રધાન દ્રવ્યાચાર્યને બાદ કરવા માંગે છે. શાસ્ત્રમાં અંગારમર્દકાચાર્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તે અભવ્ય છે. તેમને પ૦૦ શિષ્યો છે. તેઓ પોતાના ગુરૂને ઓળખી શક્યા નથી. તેઓ ફરતાં ફરતાં એક ગામમાં આવે છે. જયાં ગયા ત્યાં પણ બીજા આચાર્ય પોતાના શિષ્યોથી પરિવરેલા છે. તેમને રાત્રે સ્વપ્ન આવ્યું કે “એક કાગડો હંસના ટોળાને લઈને આવી રહ્યો છે” આ સ્વપ્નને અનુસાર વિચારે છે કે જરૂર કોઈ કુગુરૂ સુશિષ્યોથી પરિવરેલા આવશે (મળશે). પોતાના શિષ્યોને વાત કરે છે. સ્વપ્નને અનુસારે એવું લાગે છે કે કોઈ અભવ્ય કુગુરૂ પોતાના શિષ્યોને લઈને આવશે. ત્યાં તો અંગારમદકાચાર્ય શિષ્યો સહ પધાર્યા. જયાં ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે ત્યાં તરત જ ઉભા થયા. પઘારો, પધારો કહ્યું. અહીં આ ઔચિત્ય છે. અને તે જાળવવું જ જોઇએ અને આગતા-સ્વાગતા, ઔચિત્ય વિગેરે કરે છે. વ્યાખ્યાનના સમયે પણ ખૂબ સુંદર વ્યાખ્યાન આપે છે, જીવન પણ એવું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy