SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મનુષ્યમાં રહેલો સમ્યકત્વી અને દેવમાં રહેલો સમ્યકત્વી બેમાં ફેર શું ? મનુષ્યભવમાં (અહીં) રહેલો સમ્યકત્વી દેવભવને ઈચ્છતો નથી અને ત્યાંનો (દેવલોકનો) સમ્યકત્વી મનુષ્યભવને સમયે સમયે ઈચ્છે છે. કેમ? દેવલોક એ નજર કેદ છે. બંધન છે, બેડી છે, ફાંસો છે, તેમાંથી કયારે છૂટું એમ થાય છે ? દેવ મનુષ્યભવને ઈચ્છે છે. માના પેટમાં જવાનું છે, જાણે છે, નવ મહીના પેટમાં રહેવાનું છે. છતાં કેમ ઇચ્છે છે? એટલા જ માટે કે જે પરાક્રમ કરવા છે, તે મનુષ્યભવમાં જ થઇ શકે છે. તેના માટે નવ મહિના ભલે પેટમાં રહેવું પડે..., પણ ચારિત્ર મળી શકે છે ને ? ચય + રિકત = ચારિત્ર છે. ચય એટલે એકઠાં થયેલ કર્મને રિકત એટલે ખાલી કરે તે ચારિત્ર છે. અસંખ્ય ભવના કર્મના જાળાંઓને અંતર્મુહૂર્તમાં ખાલી કરી આપે છે તે ચારિત્ર છે. પંચાચારનું પાલન, પર્કાય રક્ષણ, સમિતિગુપ્તિમય જીવન, ગુરૂ પારતય વિગેરે જોઇએ. કારણ આવે અને કાર્ય બાકી રહે ખરૂં? સમ્યગુકારણોથી કાર્ય નીપજે જ છે. અંદરમાં રહેલા બીજને પકવવાનું છે. આત્મા જાગ્યો એટલે અંદરમાં જે યોગબીજ છે તે ફટાફટ પાકવા માંડે છે. આ સંસારની ક્રિયામાં રચ્યા પચ્યા રહેવાથી યોગબીજની પ્રાપ્તિ ન થાય. એ સંશુદ્ધ યોગબીજ વિના અચરમાવર્તમાં અનંતીવાર ચારિત્ર મળ્યું છતાં આત્મકલ્યાણ ન થયું. જીવ ડાહ્યો ન થાય, પરિણતિ ન સુધારે, આશય ન સુધારે તો તેમાં વાંક કોનો ? | સર્વત્ર પોતાની જ ભૂલ જોવી જોઈએ કોઈ પણ દિવસ નિમિત્ત- સામગ્રીનો વાંક કાઢવો નહીં, ભલે સારું કે ખોટું નિમિત્ત હોય પણ તેનો દોષ છે જ નહીં. આપણે ખોટા છીએ. નરક ખરાબ છે જ નહીં. ઝેર ખરાબ છે જ નહીં. શું નરક ખરાબ છે ? શું ઝેર ખરાબ છે ? કે આપણે ખરાબ છીએ ? તમે તમારામાં જો રહો તો કોઈ ખરાબ નથી. તમે તમારામાંથી બહાર નીકળો તો બધા ખરાબ લાગશે. આખી દુનિયા ખરાબ લાગશે. સિદ્ધ ભગવંતોને કોઈ ખરાબ નથી. સિદ્ધો પોતાના જ્ઞાનમાં નરકના ભયાનક દુઃખો જોઈ રહ્યા છે, ત્યાંના બીભત્સ દશ્યો સતત જોઈ રહ્યા છે, છતાં કોઈ ભયજનક પરિણામ નથી. અને દેવલોકના રમણીય આકર્ષણો સતત જોવા છતાં પણ કોઈ આકર્ષણ નથી. આનું નામ જ પરમાત્મા છે. વીતરાગતાથી વિભૂષિત જ પરમાત્મા છે. પરમાત્મામાંથી વીતરાગતા નીકળી જાય પછી શું રહે? પછી પરમાત્મા ન રહે. પછી તે બહિરાત્મા કહેવાય કાં તો અંતરાત્મા કહેવાય. પરમાત્માને ઝેર પણ ખરાબ ન દેખાય, નરક પણ ખરાબ ન દેખાય. નિમિત્તનો વાંક કઢાય જ નહીં. એણે આમ કર્યું, તેણે આમ કર્યું. એમાં નિમિત્તનો વાંક નથી પણ તારા આત્માએ એની ખોટી અસર ઝીલી છે. કર્મગ્રન્થમાં જે ૧૫૮ પ્રકૃતિઓ છે તેમાં જે શુભ-અશુભ પ્રવૃતિઓ છે, તે કોને આશ્રયિને છે ? આપણા કર્તા-ભોકતા ભાવને આશ્રયિને શુભ-અશુભ પ્રકૃતિઓ છે. સિદ્ધના જીવોને આશ્રયી શુભાશુભ પ્રકૃતિની વિવક્ષા નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy