SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ બુદ્ધિ અહંકારના માધ્યમથી reflect થઈને આવે છે. અહંકારના પડદામાંથી પરિવર્તિત થઈને પ્રકાશ આપે છે. તેના કારણે બધા પદાર્થનું ત્રાંસુ દર્શન થાય છે, તે ઊંધુ દર્શન કરાવે છે. આત્મામાંથી નીકળતો જ્ઞાન પ્રકાશ અહંકારથી વિકૃત થઈને આવતો હોવાથી વિપરીત બોધ કરાવે છે. તેના કારણે દેહને પોતાનો મનાવે છે, ઈન્દ્રિયોને પોતાની મનાવે છે, સ્વજનોને પોતાના મનાવે છે, આત્માને પોતાનો મનાવતો નથી. જ્યાંથી પ્રકાશ નીકળે છે તે તરફ દૃષ્ટિ જવા નથી દેતો. તે પોતાને જ ભૂલાવે છે, અને બીજાને પોતાના મનાવે છે. ગ્રચિભેદ થાય એટલે સ્વચ્છ-નિર્મળ બોધ બહાર આવે છે. પછી અહંકારની મરણ પથારી છે. સમ્યક્ત્વનો સીધો પ્રકાશ મળે છે. જો અહંકાર બુદ્ધિમાંથી નીકળી જાય તો સદ્બુદ્ધિ છે અને અહંકાર ભળ્યો તો દુબુદ્ધિ છે. જ્યાં હું પણું છે ત્યાં અહંકાર છે. કંઈ પણ કાર્ય કર્યા પછી મેં કર્યું, મેં કર્યું, આવું જ થાય છે તે અહંકાર છે. બહારના પુણ્યના ઉદયના ઝાકઝમાળથી અંજાઈ ગયા છીએ. આત્મા મલિન બનીને સંસારમાં રખડે છે તેવા કર્મો કરાવનાર અહંકાર છે. આવા પ્રકારના અનેક અકાર્યોમાંથી બચાવનાર ગુરૂ છે. પરમાત્મા તો આપણને પ્રત્યક્ષ નથી. જે મંદિરમાં ભગવાન પ્રત્યક્ષ છે તે તો મૌન છે. આપણને કંઈ કહેતા નથી એટલે જ સારણા-વારણાદિ કરનાર ગુરૂતત્ત્વની જરૂર છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગુરૂનો યોગ મળી શકે છે. ગુરૂ વગર સંસાર તરાય નહીં માટે તદ્દભવમોક્ષગામી ગણધર ભગવંતોને પણ ગુરુની જરૂર છે. અહંકારને નાથવા માટે, અહંકારના બળને તોડવા માટે, બુદ્ધિને પ્રજ્ઞા બનાવવા માટે ગુરૂતત્ત્વ છે. જેને ગુરૂ પ્રત્યે સદ્ભાવ જાગે તેને જ પરમાત્મા પ્રત્યે સભાવ છે. એમ સમજવું. જેને પરમાત્મા ગમે તેને ગુરૂ ગમવા જ જોઈએ અર્થાત્ જેને પરમાત્માની ભક્તિ પૂજા ગમે તેને ગુરૂની વાણી ગમવી જ જોઈએ. ગુરૂ ગમવા એટલે શું? એનું મોટું ગમે? એમનો દેહ ગમે ? ના, ગુરૂ જે કહે તે ગમે. જિનવાણી ગમે, ગુરૂવચન આત્મસાત્ થાય અને જેમ જેમ જિનવાણી પરિણમે તેમ તેમ કષાય પરિણામ નીકળતા જાય, એટલે દેવ-ગુરૂ તત્ત્વથી ગમ્યા કહેવાય. સમ્યગુ ગમ્યા કહેવાય. તે પહેલા વ્યવહારથી ગમ્યા હતા પછી નિશ્ચયથી ગમ્યા કહેવાય. સમ્યકત્વ આવ્યા પછી બધું દેવ-ગુરૂનું લાગે છે. અને તે પહેલાં બધું પોતાનું લાગે છે. સમકિતદાયક ગુરુતણો પચ્યવયાર ન થાય, ભવકોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય” -ઉપાધ્યાયજી મહારાજ નયસારને જંગલમાં ગુરૂ મળે છે. ગુરૂ તેને આત્મા ઓળખાવે છે, ગુરૂ તેને આત્મદર્શન કરાવે છે. તેના ઉપકારનો બદલો કઈ રીતે વળે ? ત્રણેકાળમાં ગુસ્તત્ત્વ એક જ છે અને તે તારક છે. શું કરું? કૃતજ્ઞતાની રૂએ પોતાની પાસે જે કાંઈ છે તે ગુરૂનું લાગે છે. ખાલી ગુરૂ કરવાથી કંઈ ન થાય. ત્રણે યોગે ગુરૂને સ્વીકારવાના છે ગુરૂ પાસે બુદ્ધિને ન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy