SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જિનની ઉપાસના પછી ગુરૂની ઉપાસના શા માટે ? ૧૦૭ બુદ્ધિ એ વ્યભિચારિણી છે. આત્મામાંથી નીકળેલી હોવા છતાં આજે આત્મામાં ન રહેતાં પરપુગલમાં લીન થાય છે. બુદ્ધિ સલાહ આપીને ખસી જાય છે પછી એનાથી થતા નુકસાન મનને વેઠવા પડે છે. જેમ ચોરને ચોરી કરવાની સલાહ બુદ્ધિ આપે છે. તે આ રીતે-જો, રાત્રિના બાર વાગે ઉઠજે. એકલો જજે પછી ગલીમાં જજે, - ફલાણા શેઠને ત્યાં જજે, ત્યાં આ રીતે ચોરી કરજે, વિ.-આમ બુદ્ધિ તો સલાહ આપીને છૂટી ગઈ પણ તેને અનુસારે ચોરી કરતાં પકડાઈ જાય તો સહન કરવાનો વખત મનને આવે છે. કારણ કે સુખ દુઃખની અનુભૂતિ મનને છે. ચિત્ત એ વિદેશપ્રધાન જેવું છે. મન દ્વારા જે વિચારો થયેલા છે તેનો કોમ્યુટરની જેમ સંગ્રહ કરે છે. વિદેશપ્રધાન હોવાથી તે ચારે બાજુ ફરતું હોય છે. ઘડીકમાં મેરૂ ઉપર જાય છે. ઘડીકમાં અમેરીકા જાય, એમ ચારે દિશામાં ભટકી ભટકીને ચિત્ત ચકડોળે ચઢયા કરે છે. અહંકાર એ પ્રેસીડન્ટ જેવો છે. બુદ્ધિ જે કહે તેના પર સિક્કો મારવાનું કામ કરે છે. અંતઃકરણ આત્માનો પાર્ટ છે. આ ચાર વિભાગો આત્માના જ છે, પણ બુદ્ધિની સાથે અહંકાર રહેલો છે. મને ગમે તેટલા વિચાર કરે પણ અહંકાર બુદ્ધિ કહે તેમ કરે છે. અહંકાર ખતમ કરવો હોય તો બુદ્ધિને સુવાડી દેવાની છે. બુદ્ધિ દ્વારા સંસારનું સ્વરૂપ ઓળખી લેવાનું છે. આત્માનું સ્વરૂપ ઓળખી લેવાનું. એ ઓળખી લીધા પછી બુદ્ધિને શાંત કરી દેવાની છે, એને કહેવાનું કે હવે તારું કામ નથી, તું તારા પિયર ચાલી જા. આપણે બુદ્ધિને શાંત કરી શકતા નથી એ જ અત્યંતર સંસાર છે. આંતરશત્રુને જીતવાના છે. ભલે સંસારમાં મોટા પરાક્રમ કરીએ છીએ પણ આંતરશત્રુઓથી જીતાઈ ગયા છીએ અને અંતઃકરણ મલિન થઈ રહ્યું છે. સંસારના પદાર્થની સિદ્ધિઓ એ સિદ્ધિ નથી. પણ અંતઃકરણની વિશુદ્ધિ, નિર્મળતા એ જ સિદ્ધિ છે. તે જ સંસાર તરી ગયો છે. બુદ્ધિ બહુ ખતરનાક છે. અંતઃકરણ જો મલિન થતું હોય તો બધું જ હારી ગયા છીએ. જિનની ઉપાસના પછી ગુરૂની ઉપાસના શા માટે ? ગુરૂ ન હોય તો જીવને દોષ કોણ બતાડે? દોષથી કોણ બચાવે? ભૂલતાને કોણ બચાવે? સારણા-વાયણા ચોયણા-પડિચોયણા કોણ કરે? ગુરૂ ન હોય તો માજા મૂકેલા અહંકારને નાથવાનો કઈ રીતે? જે કહે છે કે ગુરૂની જરૂર નથી, એના જેવો અહંકારી આ જગતમાં બીજો એકે નથી. આપણા જીવનનાં તમામ દોષો ગુરૂ બતાવે છે, પ્રેમથી બતાવે, સમ્યગુ જ્ઞાન આપે, આત્માની પરિણતિ સુધારે, ગુરૂ સમાધિ આપે,ગુરૂ સદ્દબુદ્ધિ આપે, ગુરૂ ઉન્માર્ગે જતાં અટકાવે, ગુરૂ સન્માર્ગ બતાવે, ગુરૂ અહંકારને ટાળે. સમ્યકત્વ પામ્યા પછી બુદ્ધિ એ બુદ્ધિ નથી રહેતી પણ બુદ્ધિ પ્રજ્ઞામાં પરિણમે છે. પ્રજ્ઞા બને છે. આપણા જીવનમાં વડિલોની જરૂર છે. મોટાની પ્રેરણાની વારંવાર જરૂર છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy