SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ - વ આચાર્યાદિ પણ ભાવાચાર્યાદિ હોવા જોઈએ. દ્રવ્યાચાર્ય અઘર્મ સ્વરૂપ છે. તેમના પ્રત્યે કુશળચિત્ત તે યોગબીજ નથી. જેમ ખોટો રૂપીઓ છે. તેમાં સાચાની ભાવના કરવી તે બરાબર નથી. જુદા સ્વરૂપવાળી વસ્તુમાં (ખોટી વસ્તુમાં) સાચા તરીકેની બુદ્ધિ તે સુંદર ન કહેવાય (મિથ્યા કહેવાય.) ભાવાચાર્ય એટલે જે પંચાચારનું પાલન કરે છે. શાસનની પ્રભાવના કરે છે. સન્માર્ગની પ્રરૂપણા કરે છે. પર્ જીવનિકાયનું જ્ઞાન આપે છે .ષત્ સ્થાનોને સમજાવી તેની શ્રદ્ધા કરાવે છે. તેવાને હરિભદ્રસૂરિ મહારાજ ભાવાચાર્ય તરીકે ઓળખાવે છે. એવા યોગી તે ભાવયોગી છે. તે ભાવયોગીને વિષે કુશળ વિચારણા તે યોગબીજ છે. પરમાત્માને વિષે કુશળચિત્ત કર્યા પછી ભાવાચાર્યને વિષે કુશળચિત્તની જરૂર ખરી ? પરમાત્માનો મહાન ઉપકાર છે, પરમાત્માનો ઘણો ઉપકાર છે. પણ તે પરોક્ષ છે અને પરમાત્મા ઘણા ઘણા દૂર છે. તે પરમાત્મા મહાન હોવા છતાં તે કેટલો ઉપકાર કરી શકે ? જેમ ક્ષીરસમુદ્રનું પાણી ઘણું મીઠું છે, પણ તે દૂર રહેલો છે. તેનાથી તૃષા ન છીપે. તરસ છીપાવવા તો નજીકમાં રહેલું કળશાનું પાણી જ કામનું છે. એમ કેવળજ્ઞાની ભગવંત ક્ષીરસમુદ્ર તુલ્ય છે, અને છમસ્થગુરૂ પાણીના કળશા જેવા છે. છતાં આપણા કલ્યાણ માટે કોણ વિશેષ કામ લાગે ? પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એ નિશ્ચય આવ્યા વિના ઉગે ન આત્મવિચાર” શાસ્ત્રમાં કહેલી આજ્ઞા એ ત્રણે કાલને આશ્રયિને છે અને તેનો વિષય જીવ સામાન્ય છે. જ્યારે વ્યક્તિ વિશેષ માટે તે તે કાલને આશ્રયિને ગુરુ ની આજ્ઞા જ ઉપકારક છે. માટે જૈન શાસનમાં ગુરુનું સ્થાન અદકેરું છે. “પ્રત્યક્ષ સદગુરૂ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકવથી, વર્ત આજ્ઞાધાર” જે એમ કહે કે હું પરમાત્માની ભક્તિ કરું છું, મારે ગુરૂની આજ્ઞાની શી જરૂર છે? તે કદી પામી ન શકે, ગુરૂ જે કહે તે માને, ગુરૂ જે કહે તે કરે, ગુરૂની પ્રત્યેક વાતો તહરિ કરે તે અલ્પજ્ઞ હોય તો પણ ક્ષપકશ્રેણી માંડી શકે છે. ત્રણે યોગથી ગુરૂની ઉપાસના-આરાધના કરવાની છે. તે માટે બુદ્ધિના દારો બંધ કરવા પડે. બુદ્ધિ અને અહંકારને બહુ નિકટનો સંબંધ છે. વેદાંત દર્શન, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારનો વારંવાર પ્રયોગ કરે છે. એ ચાર અંતઃ કરણના જ વિભાગો છે. આને પાર્લામેન્ટની સાથે સરખાવી શકાય. મન ગૃહપ્રધાન જેવું છે, મન એ વિચારોનું બંડલ છે. વિચારોનો ઉભરો છે. એમાં મલિનતા આવવાથી અંતઃકરણ મલિન બને છે. બુદ્ધિ એ પ્રાઈમ મીનીસ્ટરની પોસ્ટ ઉપર છે. તેનું કામ સલાહ આપવાનું છે. દોઢ-ડહાપણકરે છે, અભિપ્રાય આપે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy