SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સંશુદ્ધ યોગબીજ કેવું છે? ૧૦૫ છે તે ઓળખતા નથી. ગ્રન્થિને ઓળખવા માટે આપણા ક્ષયોપશમને વ્યાકૃત કરતાં જ નથી. ગ્રચિ હિમાલય જેવી છે. બહુ જ કઠિન છે, અભેદ્ય છે, ગાઢ છે. ચૂરેચૂરા કરવી મુશ્કેલ છે. ચક્રવર્તીના છખંડ મેળવવા સહેલા છે. સંસારી ત્રદ્ધિ સિદ્ધિ મેળવવી સહેલી છે, પણ ગ્રન્થિભેદ બહુ દુષ્કર છે. એકાદ ભવની મહેનતથી-સાધનાથી ગ્રન્યિ ભેદાઈ જાય એવું માનશો નહી. ખાઈ-પીને એની પાછળ પડશો તો ગ્રન્યિ ભેદાશે. શત્રુ જેટલો બળવાન તેટલું તેની પાછળ પડવું પડે, તો સફળતા મળે. તો નિયમ જીવ ગ્રન્થિભેદ કરીને રહેશે. ઈન્દ્રના વજ સમાન યોગ-બીજ છે. સંસાર એ કારાગાર-જેલખાનું છે. આ યોગબીજોની પ્રાપ્તિ સંસારરૂપી કેદખાનામાંથી છૂટવા માટેના કાલઘંટ સમાન છે. હવે આત્મા સંસારરૂપી કેદખાનામાંથી ભાગ્યો. એક દિવસ હવે મોક્ષે જવાનો જ. એનો કોલ આપનાર યોગબીજ છે. સંશદ્ધયોગબીજ ફળને પકવવાના આરંભ સમાન છે. “સંશુદ્ધ હિ ત૬ ફેશન' પૂર્વે કહેલા “રેયયચિત્તમ' વગેરે ત્રણ વિશેષણોવાળું સંશુદ્ધ યોગબીજ “ઈદશમું એટલે ફળ પાકવાના આરંભ સમાન છે. એટલે નિશ્ચિત ફળ આવશે અને પાકશે એવું અવધ્ય યોગબીજ છે. જેમ ચોખા પાણીમાં પલાળો, ચૂલે ચઢાવો, તો ધીમે ધીમે કલાકે ભાત બનીને રહે છે. આ રીતે ચોખાનો ફળ પાક થયો. સામગ્રી મળ્યા પછી ક્રિયાનો આરંભ થવા માંડે છે. કોઈપણ બીજને, યોગ્ય સામગ્રી મળે એટલે પાક્યા વગર રહે નહીં. અહીં જીવને યોગબીજ મળ્યું, સંશુદ્ધ મળ્યું, એટલે સામગ્રી મળતાં યોગરૂપ ફળ -આગળ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થઈ જશે. ત્યાં કાળ ભવિતવ્યતા-ગુર્નાદિનો યોગ-ઉપદેશ વિગેરે સામગ્રી મળતાં બીજમાંથી પાકનો આરંભ શરૂ થઈ જશે. સંશુદ્ધ બીજ હાજર છે ને સામગ્રીનું નિધાન છે. એટલે પાકક્રિયા શરૂ થઈ જાય. આંબાનું બીજ (ગોટલી) છે. તેને ધરતીમાં વાવો, તેને સામગ્રી-હવા, પાણી, માટી, ખાતર મળતાં ફળ-અંકુરાદિ થતાં વૃક્ષ તૈયાર થાય છે. કંદ, મૂળ, થડ, ડાળી, પાંદડા, ફુલ, ફળ રૂપ પૂર્ણ વૃક્ષ તૈયાર થઈ જાય છે. આવું કેમ ? તેવી તેવી સામગ્રી મળે તો જ પાક થાય ? તો સમજવું કે આ જગતમાં તેવા પ્રકારનો સ્વભાવ જ છે કે બીજને સામગ્રીનો સંયોગ થવો જ જોઈએ. તે બીજને યોગ્ય સામગ્રી મળતાં પાકનો આરંભ થઈ જ જાય. માત્ર જિનોપાસના જ યોગબીજ છે, એવું નથી, પરંતુ બીજા પણ યોગબીજ છે તેનું હવે વર્ણન કરે છે. - आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ।। २६ ।। જિનની ઉપાસના, જિનને વિષે કુશળ ચિત્ત જેમ યોગબીજ છે તેમ આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી વિગેરે વિષે કુશળચિત્ત તે પણ યોગબીજ છે. આ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy