SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ લોકેષણામાં તણાયા છે. સાધુ લોકેષણાથી મુક્ત ન થાય તો અધ્યાત્મમાં આગળ વધી ન શકે. તપ, ત્યાગ, સંયમ સહેલો છે. એની આચરણા કરવી સહેલી છે પણ મતિજ્ઞાનના ઉપયોગમાંથી આ બધી સ્પૃહા નીકળવી મુશ્કેલ છે. મતિજ્ઞાનના ઉપયોગમાં હવે મોક્ષ જ જોઈએ. એક આત્મા જ જોઈએ, આત્મ સ્વરૂપ જોઈએ, સમાધિ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. એ વિકલ્પ બળવાન બને તો જ ઉપર જઈ શકાય છે. પૃહા ચિત્તવૃત્તિને મલિન કરે છે. તેના કારણે જીવ ત્યાં ને ત્યાં અટકી જાય છે. ગૌતમ મહારાજાને કોઈ સ્પૃહા ન હતી, ફક્ત પ્રભુ ઉપર જ સ્નેહ યુક્ત ભક્તિનો પરિણામ હતો, છતાં તેમને ક્ષપકશ્રેણી અટકી છે. માટે યોગની પ્રાપ્તિ માટે સંશુદ્ધતા જોઈએ. જો સંશુદ્ધતા ન આવે તો દ્રવ્યથી યોગબીજ ગ્રહણ થયા કહેવાય, ભાવથી ગ્રહણ થયા ન કહેવાય. અભવ્યને ચારિત્રના પાલનથી અનંતાનુબંધી કષાયની મંદતા થવાથી એકેન્દ્રિયાદિ જીવો પ્રત્યે કરૂણાનો પરિણામ પેદા થાય છે, પણ તેને ભવનો ભય નથી આવતો. ભવનો ભય લાગે તો ચરમયથાપ્રવૃત્ત કરણમાં સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિ થાય છે. ચરમાવર્તમાં આવે, ભવનો ભય લાગે તે યોગદષ્ટિમાં આગળ વધી શકે છે. જેમ જે ડાંગરનું બીજ નથી, તેમાંથી ડાંગરનો અંકુરો પણ ન થાય. ડાંગર પ્રાપ્ત ન થાય. તેમ સંશુદ્ધ યોગબીજ ન હોય તો યોગની પ્રાપ્તિ ન થાય. જેણે ગ્રંથિભેદ નથી કર્યો તેને પણ યોગબીજની સંશુદ્ધતા પ્રાપ્ત થઈ શકે છે. ચરમયથાપ્રવૃત્તકરણમાં સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિ થાય છે. ચરમયથાપ્રવૃત્તકરણના બળે એવા પ્રકારનો ક્ષયોપશમ થાય છે કે જેના કારણે અભિન્નગ્રન્થિવાળાને પણ સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિ થાય છે. ચરમાવર્તમાં જીવ આવે એટલે ચરમયથાપ્રવૃત્ત કરણની યોગ્યતા આવે છે. ચરમાવર્તમાં પણ જીવ હળુકર્મી બને છે. તથાભવ્યત્વનો પરિપાક થાય, ગુરૂનો યોગ પ્રાપ્ત થાય, આંશિક પણ સંસાર ખરાબ લાગે, સંસાર સુખ ખરાબ લાગે ત્યારે ચરમયથાપ્રવૃત્ત કરણ પ્રાપ્ત થાય. પછી તે નિકટના ગાળામાં અપૂર્વ કરણ પામે. વિશિષ્ટ ક્ષયોપશમના કારણે પહેલી દૃષ્ટિમાં સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. વ્યવહારથી થતિ જેમ છઠે, સાતમે ગુણઠાણે છે. તેમાં સાતમે અપ્રમત્ત થતિ છે. ત્યાં રાગાદિનો ઉદય બેઠો છે. છતાં ત્યાં વીતરાગભાવ તુલ્ય ક્ષયોપશમ છે. રાગાદિ હોવા છતાં પ્રત્યક્ષથી-સ્પષ્ટ તેની અસર નથી. નિર્વિકલ્પ અવસ્થા છે. મોહનો ઉદય છે. મોહનો નાશ નથી. પણ રાગાદિની સ્પષ્ટતા દેખાતી નથી. ઊંચી કોટિનું ચારિત્ર છે. જ્ઞાની અપ્રમત્ત ચારિત્રના ખૂબ ખૂબ વખાણ કરે છે. તે વીતરાગભાવને અપાવનાર છે. તેવી રીતે અહીં પહેલી દષ્ટિમાં રાગાદિ હોવા છતાં સંશુદ્ધ યોગબીજોની પ્રાપ્તિ થાય છે. કારણકે મિથ્યાત્વ અંશે પણ તત્ત્વથી મંદ થયું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy