SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દિગંબર માન્યતા અને તેનું સમાધાન ૧૦૩ દિગંબર માન્યતા અને તેનું સમાધાન દિગંબરો માને છે કે કેવળી કોઈ પ્રવૃત્તિ કરે નહીં. કારણ કે પ્રવૃત્તિ ઈચ્છાપ્રધાન છે. માટે કેવળી ખાય નહીં. પીએ નહીં. છઠા ગુણઠાણા સુધી જ ઈચ્છા પૂર્વકની પ્રવૃત્તિ હોય.. (નૈયાયિકો પણ પ્રવૃત્તિ પ્રત્યે ઈચ્છા કારણ છે એમ માને છે.) કેવળીને જો કે ઈચ્છા નથી. તેના કેવળજ્ઞાનના પર્યાય પ્રમાણે યોગ પ્રવર્તન છે. છઠા ગુણસ્થાનક સુધી જ પ્રવૃત્તિ પાછળ ઈચ્છા કારણ છે. સાતમા ગુણઠાણાથી નિર્વિકલ્પ-દશા હોય છે. તો એક વાત છે કે જ્યાં કાર્ય દેખાય ત્યાં કારણ શોધવું જોઈએ. ઈચ્છા હોય તો જ પ્રવૃત્તિ હોય અને ઈચ્છા ન હોય ત્યાં પ્રવૃત્તિ ન હોય એવું એકાંતે નથી. સાતમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધી સામાયિક એ પ્રવૃત્તિમાં કારણ છે. નિર્વિકલ્પક અવસ્થામાં પણ સામાયિકથી પ્રવૃત્તિ થઈ શકે છે. કેવળજ્ઞાનીને સામાયિક અર્થાત્ સમત્વથી પ્રવૃત્તિ છે. - સમતા અને વીતરાગતામાં તફાવત સમતા અને વીતરાગતામાં ફરક છે. (ભેદ છે) આત્મા સમતા સ્વરૂપ નથી પણ આત્મા સમ સ્વરૂપ છે. સમ સ્વરૂપ લાવવા માટે સમતામાં રહેવાનું છે. સમતા પ્રયત્નજન્ય ભાવ છે. જેમ જેમ કષાય જાય તેમ તેમ સમતા આવે છે સમતા પરાકાષ્ઠાની બને છે. ત્યારે કષાય બિલકુલ નીકળી જાય છે. ત્યારે આત્મા સમ સ્વરૂપ બને છે. સમ સ્વરૂપ એ ક્ષાયિકભાવ છે. વીતરાગભાવ છે. સમતા એ ક્ષયોપશમ ભાવ છે. પરિણામ છે. વીતરાગતા એ સ્વભાવ છે. લબ્ધિનો ઉપયોગ એ પ્રમાદ છે આહારક શરીર નામકર્મનો બંધ સાતમા ગુણઠાણે થાય છે. તે પહેલાં ન બાંધી શકાય. સાતમાથી નિર્વિકલ્પ દશા છે. અને આહારક શરીર બનાવવા માટે ચૌદ પૂર્વધર લબ્ધિધારીને પણ વિકલ્પ કરવો પડે છે. એટલે એમને પણ છઠે ગુણઠાણે આવવું પડે છે. એટલે આહારક શરીરનો બંધ વિશુદ્ધિએ છે અને આહારક શરીર બનાવવું એ પ્રમાદ છે. છઠે ગુણઠાણે આવવું પડે છે. જિનનામકર્મ અને આહારકહિક કર્મપ્રવૃતિઓમાં બે પ્રકૃતિ એવી છે કે જેમાં જીવ આત્મભાવ પામ્યો છે તેની ખાત્રી મળે છે. (૧) જિનનામ અને (૨) આહારદિક નામ કર્મ; આ બે પ્રકૃતિનો બંધ જીવ આત્મભાવરૂપ સમ્યકત્વાદિને પ્રાપ્ત કર્યા પછી જ કરે છે. જિનનામકર્મ ચોથાથી માંડીને આઠમાના છટ્ઠા ભાગ સુધી બંધાય છે. જીવ સમ્યકત્વ પામે તો જિનનામ કર્મ બાંધી શકે અને જીવ અપ્રમત્તભાવ પામે તો આહારક શરીર સાતમા ગુણઠાણાથી આઠમાના છઠાભાગ સુધી બાંધે છે. આ બંને પ્રકૃતિના બંધ વખતે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy