SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સંશુદ્ધ યોગબીજ ૧૦૧ સંશુદ્ધ ચોગબીજ યોગની પહેલી દૃષ્ટિમાં આવેલો જીવ સંશુદ્ધ યોગબીજોને ગ્રહણ કરે છે સંશતા-એટલે જિનની ઉપાસના કરે છે ત્યારે આ મારે માટે અત્યંત ઉપાદેય છે. એવી ભાવના હોય છે. આ લોકની-પરલોકની કોઈ આશંસા એમાં નથી હોતી. તથા દશ સંજ્ઞાથી રહિત કરે છે. આલોક કે પરલોકનાં ફળની પણ ઈચ્છા નીકળી ગઈ હોવાથી તે સંશુદ્ધ કોટિની ઉપાસના બને છે. આલોકની-પરલોકની સ્પૃહા, કામના ભળે તો તે ચિત્તને મલિન કરે છે. અનુષ્ઠાનને મલિન કરે છે. ચિત્ત મલિન થવાથી યોગબીજો સંશુદ્ધ કોટિના રહેતાં નથી. વાત એ છે કે મલિન આશય એ નિર્મળ આશય પ્રત્યે સ્વતઃ અર્થાત્ સ્વરૂપથી બાધક છે, એટલે જીવને એ આગળ વધવા ન દે. પોતાની સ્થિતિમાં જ પકડી રાખે છે. જે ભાવ જેનો સ્વતઃ અર્થાત્ સ્વરૂપથી જ બાધક હોય અને જીવથી જે છૂટે એવો ન હોય, એ ભાવ એને એની એ જ સ્થિતિમાં રાખી મૂકે છે. પેલા બાધ્યભાવમાં જવા દેતો નથી. આનો દાખલો પ્રભુ મહાવીર ઉપર ગૌતમસ્વામીજીનો સ્નેયુક્ત ભક્તિ ભાવ હતો. એ સ્વતઃ વીતરાગભાવનો બાધક હતો. તેમજ પ્રભુની હાજરીમાં ગૌતમ મહારાજાથી એ છૂટે તેમ નહોતો તેથી એ ભાવે એમને એની એ જ છદ્મસ્થતાની સ્થિતિમાં રોકી રાખ્યા. પણ વીતરાગતા માટે ક્ષપક શ્રેણી-શુકલધ્યાનની શ્રેણી પર ચઢવા ન દીધા. સ્પૃહા સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. સંશુદ્ધ યોગબીજ જ યોગની પ્રાપ્તિ કરાવે છે. અચરમાવર્તમાં અનંતકાળમાં યોગબીજો પ્રાપ્ત કર્યા પણ તે અસંશુદ્ધ જ હતા કારણ કે તેમાં ઈહલૌકિક-પારલૌકિક આશંસા ભળેલી જ હતી અને ચરમાવર્તમાં પણ જ્યાં સુધી આ આશંસા અંદરમાં પડેલી હોય ત્યાં સુધી સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત ન થાય. જેટલી સ્પૃહા પડી હશે તેટલો ધર્મ દીપશે નહીં, શ્રાવકને શ્રાવકનો ધર્મ દીપશે નહીં. સાધુને પણ જેટલી સ્પૃહા પડી હશે તો તે સાધુનો ધર્મ પણ દીપશે નહીં. સ્પૃહાનો સ્વભાવ જ એવો છે કે જીવને ત્યાંથી આગળ વધવા દેતો નથી. ચરમાવર્તમાં આવ્યા પછી સ્વરૂપની પ્રાપ્તિમાં પ્રતિબંધક બધી કામનાઓ છોડી દેવી જોઈએ. લોકૈષણા બહુ ભયંકર છે. ગૃહસ્થને પણ પોતાના જીવનમાં પુરૈષણા, દારૈષણા, વિરૈષણા, લોકેષણા નડતી હોય છે, પુત્ર ન હોય તો પુત્રની ઈચ્છા, પત્ની ન હોય તો પત્નીની ઈચ્છા, ધન ન હોયતો ધનની ઈચ્છા અને આ બધું હોતે છતે પણ લોકેષણા નડે છે. જેણે જીવનમાં ઘરબાર બધું છોડ્યું છે એવા સાધુને આ બધી એષણા નથી પણ લોકેષણા તો એને પણ નડે છે. લોકેષણામાં લોક મને સારી રીતે ઓળખે, લોકમાં હું સારો દેખાઉં. એ લોકેષણા છે. બહારથી જે રીતે સારો દેખાય તેવી પ્રવૃત્તિ લોકેષણા કરાવે છે. બધું કરવા છતાં આ ચીજ છોડવી અતિશય કઠિન છે. મોટા મોટા ધુરંધર આચાર્યો પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy