SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ રાગ કરે જ નહીં. હું ભૂલ્યો... એમ કરતાં ગૌતમનો ઉપયોગ પરમાત્મા ઉપર ગયો, વીતરાગતા ઉપર, પરમાત્મભાવ ઉપર ઉપયોગ ઠર્યો. પછી પોતાના પરમાત્મ-સ્વરૂપ ઉપર નજર ગઈ... પોતાની જાત ઉપર ઉપયોગ સ્થિર થયો. અત્યાર સુધી જે કામ ન થયું તે કામ થયું. હું પણ પરમાત્મા જેવો જ છું. સ્નેહનું પાત્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી તેના જ વિચાર આવે, તેથી આગળ ન વધવા દે. હવે પરમાત્મા ગયા. એટલે પરમાત્માની વીતરાગતા અને કેવળજ્ઞાન ઉપર ઉપયોગ ગયો. અને પછી પોતાના ઉપર ઉપયોગ સ્થિર થાય છે. છઠ્ઠા-સાતમા ગુણઠાણાના અધ્યવસાય સ્થાનમાંથી આગળ વધે છે. “હું અને પ્રભુ', “હું અને તું' એ ભેદ જ્ઞાન હતું. સંભેદ પ્રણિધાન હતુંપણ દેવ-ગુરુનો પ્રશસ્તરાગ એ વધારતાં વધારતાં એવા એની સાથે એકમેક - એકાકાર બનાવી દે છે, કે એ પ્રશસ્તરાગ દૂર થઈને તેના ગુણોના ઉપયોગમય બનાવી દે છે. ગુણોની પરિણતિ તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ બની જાય છે, ત્યારે આ પ્રશસ્તરાગને ખસી જવું પડે છે. અને અંતે-આખરે જ્વલંત વીતરાગતા આવીને ઊભી રહે છે. ગૌતમ સંભેદ પ્રણિધાનમાંથી આગળ વધતાં વધતાં અભેદ પ્રણિધાનમાં ચઢી વીતરાગતા – અને કેવળજ્ઞાનને પામીને રહ્યાં. પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત સ્નેહ ભાવ, અભેદ પ્રણિધાનમાં જવા માટે વિદનભૂત હોવા છતાં, એ ત્યાજ્ય તો નથી. બલ્ક આદરણીય છે. છતાં પણ એ પ્રશસ્ત કપાયભાવ હોવાથી મોક્ષાન્તર્ગત ભાવ ન કહેવાય... કારણ કે ગૌતમસ્વામીને એની એજ સ્થિતિમાં રોકી રાખ્યા હતાં. જીવે સંસારના પદાર્થોના રાગને તો તોડી જ નાંખવાનો છે, અને તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાન-પ્રેમ વધારવાના છે. અને વિહુવલતા ઊભી કરવાની છે. તાલાવેલી - ઝંખના વધે, એટલે બીજું બધું નકામું છે, એમ લાગશે. જ્યારે એકદમ વિવલતા વધી જશે, ત્યારે ક્ષપકશ્રેણી મંડાશે. અને ત્યારે જ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. વિવલતા એટલે, તેના વિના ખાઈ ન શકે, પી ન શકે, તેના વિના રહી ન શકે, તેના વિના ગમે નહીં, ચેન ન પડે. પરમાત્મા પ્રત્યે આવી વિહવળતા પ્રાપ્ત થશે, ત્યારે અંદરનો રાગ એવો તૂટવા માંડશે કે વીતરાગતા આવીને ઊભી રહેશે. આજે પૈસાનો રાગ-વિરહ સતાવે છે. પરમાત્માનો વિરહ સતાવતો નથી. છતાં આપણી જાતને ધર્મી માનીએ છીએ. જે ન માનીએ છીએ. પરમાત્મા અમારા વિતરાગ છે, એમ કહીએ છીએ. ધર્મ તે છે કે જેને પરમાત્માનો વિરહ સતાવે.. ગૌતમને પરમાત્માનો શગ સતાવે છે. તેના વિરહ રડે છે. ગોતમ રડયા તો ફરી પાછા પરમાત્મા મળ્યા. રૂદન જરૂરી છે... રડતાં આવડે તો મોક્ષ મળશે. હસતાં જ આવડે તો કદી મોક્ષ નહીં મળે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy