SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સંભેદ પ્રણિધાનથી અભેદ પ્રણિધાન ગોતમને પ્રભુ ઉપર રાગ હતો, પ્રભુ કહે છે - ગૌતમ ! ખેદ ન કર. પણ રાગ-સ્નેહ છોડી દે એમ નથી કહેતાં.. કારણ કે તે પ્રશસ્ત રાગ હતો... કઈ રીતે પ્રશસ્ત કહેવાય ? તો એ રાગ ભવના ભોગની પૃહામાંથી જન્મેલો ન હતો. નિરાશસભાવે રાગ હતો. એ સ્નેહ પરિણામનો વિષય જગતની આલતુ-ફાલતુ ચીજ ન હતી. પણ જગતની સર્વોત્કૃષ્ટ ચીજ પરમાત્મા વિષય હતાં. રાગ પરમાત્મા પર હતો. વીતરાગી પર હતો. એક બાજુ પરમાત્માનો રાગ છે. અને બીજી બાજુ પત્નીનો રાગ છે. બે સમાન કહેવાય, ? ન જ કહેવાય. પહેલાં તો પરમાત્માના રાગ ને, રાગ જ ન કહેવાય તે સમજો. રાગનું ક્ષેત્ર કેટલું ? પરમાત્માના રાગને તેમાં લઈ ન જવાય. રાગ સંસારમાં ભટકાવે છે. રખડાવે છે. જીવને આગળ વધવા ન દે. આ જે રાગ છે તેના પાત્રો પાંચ ઈન્દ્રિયના વિષયો હોય છે. પરમાત્માનો રાગ એ રાગ ન કહેવાય, પણ અનુરાગ કહેવાય... જેમાં ભોગની ઇચ્છા નથી, સ્પૃહા નથી. ગૌતમ જે રાગની પાછળ મરે છે, તેનો વિષય જગતના પાંચ ઇન્દ્રિયના વિષયો (પદાર્થો) નથી. કોઈ હાલી-મવાલી વ્યક્તિ નથી. પણ વિષય પરમાત્મા છે. માટે પ્રશસ્ત બને છે. માટે ભગવાન કહે છે તું ખેદ ન કર, પણ આ રાગ છોડ એમ ન કીધું... માટે પ્રશસ્ત છે. પણ અપ્રશસ્ત નથી. છતાં ગૌતમ મહારાજાનો પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત એવો પણ રાગ, તે સંસાર અન્તર્ગત ભાવ જ કહેવાય, મોક્ષ અંતર્ગત નહિ. મોક્ષ અંતર્ગત ભાવ તો વીતરાગતાનો ભાવ કહેવાય, તો એ સંસાર અન્તર્ગત ભાવ હોવા છતાં ગૌતમનો એ રાગ પ્રશસ્ત છે. જેના પર રાગ છે. તે પરમાત્મા સાથે સંભેદ પ્રણિધાન છે. તેમાંથી અભેદ પ્રણિધાન થવા દેતો નથી... પણ જ્યારે પરમાત્મા મહાવીરના નિર્વાણે ગૌતમ અતિશય વિલાપ કરે છે. હે પ્રભો ! આપ ક્યાં ચાલ્યા ગયા? આવા સમયે આપે મને છોડ્યો ? આપે મને જિંદગી સુધી સાથે રાખ્યો, અને છેલ્લે સમયે દૂર કાઢ્યો ? હે પ્રભો ! આપે આ શું કર્યું. હે પ્રભો ! જગતમાં તો બધા છેલ્લી ઘડીએ સ્વજનોને દૂર દૂરથી પણ બોલાવે છે. અને આપે મને જાણી જોઈને દૂર કર્યો? પ્રભો તમે ક્યાં છો ? પ્રભો! તમે ક્યાં છો ? જ્યાં હો ત્યાંથી મને એકવાર દર્શન દો. “તમે ક્યાં છ મહાવીર, તમે ક્યાં છો મહાવીર, ગૌતમ મહાવીર મહાવીર પુકારે નયણે ઝરતાં નીર... (૧) દુનિયામાં તો છેલ્લી ઘડીએ, દૂરથી બોલાવે (તેડાવે સ્વજનને.. જાણી જોઈને દૂર કર્યો તમે, આ ભોળા ગૌતમને.. પણ વીતરાગીને ક્યાંથી બાંધે, લાગણીઓની જંજીર.. તમે. (૨)” બસ, આ જ સુધી જે વિચાર નહોતો આવ્યો, તે હવે આવે છે. બસ, પ્રભુએ મને જ દૂર મોકલ્યો... ચૌદ હજારમાં મને જ દૂર કર્યો. સંભેદ પ્રણિધાનમાંથી અભેદ પ્રણિધાન હવે જૂઓ આ પરમાત્મા પરનો પરાકાષ્ઠાનો સ્નેહ ભાવ પરમાત્મ- ભાવમાં પરિણામ પામે છે. હા, હું ભૂલ્યો, મેં રાગ કર્યો, પરમાત્મા તો વીતરાગ છે. વીતરાગી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy