SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ માન્યતાનો ગુલામ બનાવી દે છે. પ્રામાણિક પુરુષ પણ તેને સમજાવી ન શકે, સતુ-અસતુ ને સમજવા ન દે. સારા-ખોટાનો ભેદ સમજવા ન દે, મારે કંઈ સમજવું નથી, આવો માન્યતાનો જે રાગ, તે દષ્ટિરાગ છે. આ ત્રણે રાગને જીવનમાંથી ઉથલાવીને કાઢવાના છે. ગૌતમ મહારાજાનો સ્નેહરાગ ગૌતમને સ્નેહરાગના કારણે, જે વીર્ય ઉછળવું જોઈએ તે ન થવાથી ક્ષપકશ્રેણી માંડીને આગળ વધી ન શક્યા.. પરમાત્મા પ્રત્યેનો ભવોભવનો સ્નેહ રાગ, સ્વરૂપપ્રાપ્તિમાં, આગળ વધવામાં શૃંખલાનું કામ કરે છે. સંસારમાં રહેતાં, સંસારના પાત્રો સાથે રહેવાનું, પણ વારંવાર તેમને સ્મૃતિમાં લાવવાના નહીં. તારક તત્ત્વોનું આકર્ષણ વધારો, પરમાત્માનું આકર્ષણ વધારો, એને જેમ જેમ ઘુંટતા જઈએ, તેમ તેમ સંસારની વાસના તૂટે છે, કામાદિની વાસના તૂટે છે. એને તોડવા વગર ચાલવાનું છે ? કામરાગ, સ્નેહરાગથી સંસાર ચાલે છે. દષ્ટિરાગ ભયંકર છે. ગૌતમને સંસારના સુખોની સ્પૃહા જ ન હતી. પરમાત્મા પ્રત્યે ભક્તિ ઘણી હતી, સમર્પણ ભાવ હતો.. છતાં સ્નેહરાગના કારણે વીર્યને ફોરવી ન શક્યા. અને એના કારણે, બધાને કેવળજ્ઞાન થાય અને પોતાને ન થાય, ત્યારે તેનું ભારે દુ:ખ થતું... પ્રભો ! બધાને કેવળજ્ઞાન અને મને જ નહીં ? એટલે કેવળજ્ઞાનની ભૂખ ખૂબ હતી. પ્રભો ! મને કેવળજ્ઞાન ક્યારે થશે ? પ્રભુ સાંત્વન આપવા કહે છે. કે પોતાની લબ્ધિથી જે અષ્ટાપદ ઉપર જાય, તેને થશે.... કેવળજ્ઞાન નિશ્ચિત કરવા અષ્ટાપદ ઉપર ગયા, નીચે ઉતરતાં ૧૫૦૦ તાપસ મળ્યા. તે ૧૫૦૦ ને પણ કેવળજ્ઞાન થઈ ગયું... ગૌતમનો ખેદ વધી ગયો... ત્યારે પ્રભુ કહે છે. હે ગૌતમ! રિસંકણિ, ચિરપરિસિ ” તું લાંબાકાળથી મારી સાથે રહેલો છે. આપણે લાંબા કાળથી પરિચિત છીએ. એટલે તને મારા પર ગાઢ સ્નેહ છે તેથી વીતરાગતા અને કેવળજ્ઞાન આવતાં અટકે છે. પણ તે ખેદ ન કર, ચિંતા ન કર. અને આપણે બન્ને તુલ્ય થઈશું.... જુઓ - અહીં પ્રભુ ગૌતમને ખેદ કરવાની ના પાડે છે, પણ મારો રાગ છોડી દે એમ નથી કહેતા. ગૌતમને જે સ્નેહરાગ હતો તે મોક્ષ અન્તર્ગત ભાવ હતો કે સંસાર અન્તર્ગત ભાવ હતો ? સ્નેહરાગ બે પ્રકારે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત (૧) વીતરાગ ઉપરનો રાગ હતો તે પ્રશસ્તરાગ હતો. નિરાશસભાવે હતો, ગુણાનુરાગ હતો. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આ ભાવો થશે તો વીતરાગતાની ભૂમિકા રૂપ છે. વ્યવહાર નયે ઉપાદેય છે. વીતરાગતાને આપનાર છે. (૨) અપ્રશસ્તકામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, દ્વેષ, અરૂચિ, હિંસા જૂઠ, ચોરી, આ બધા અપ્રશસ્તભાવો છે સંસારમાં રખડાવનાર છે, મારા સંસાર અન્તર્ગત ભાવો કેટલા ઓછા થયા ? તેને સાધકે સતત જોવાના છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy