SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે રાગનું સ્વરૂપ આપવામાં પ્રતિબન્ધક બને છે. સ્વચ્છ-નિર્મળ ચિત્તે કરાયેલ ધર્મ આગળ વધવામાં પ્રતિબન્ધ નથી કરતો, પરંતુ તે આત્માના અભ્યદય માટે થાય છે. એટલે અપવર્ગ આપનારો બને છે. પ્રતિબંધ કરનારી શી જ તેને તે સ્થાનમાં અટકાવી રાખે છે. એટલે જે પ્રતિબંધ કરે છે તે ચીજ તેને તે સ્થાનમાં ટકાવી રાખે છે. પણ આગળ વધવા ન દે. જેમકે ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર ઉપરના સ્નેહ રાગે તેમને ત્યાં જ અટકાયત કરી. ભગવાન વીર ઉપર અપૂર્વ ભક્તિ હતી. પણ તેમાં સ્નેહ ભળેલો હતો. આ સ્નેહયુકત ભકિતએ આગળ ન વધવા દીધા,ક્ષપકશ્રેણી ઉપર ચઢવા ન દીધા... કેવળજ્ઞાન ન આવવા દીધું. ગૌતમનું બધું અનુષ્ઠાન સ્નેહયુક્ત ભક્તિ-અનુષ્ઠાન હતું. ગૌતમ ખુદ ગણધર હતાં. બીજ બુદ્ધિના ધણી હતાં, ત્રિપદીથી દ્વાદશાંગીની રચનાના ક્ષયોપશમવાળા હતાં. સર્વઅક્ષરસન્નિપાતી જ્ઞાનવાળા હતાં. ચાર જ્ઞાનના ઘણી હતાં. જેમના પચાશ હજાર શિષ્યો કેવળજ્ઞાની હતાં. અને પોતે છદ્મસ્થ હતાં. જૂઓ તો ખરા... શિષ્યો કેવળજ્ઞાનનાં આસમાને ઉડે.. અને ગુરુ છવસ્થતાની ધરતી ઉપર ફરે...ગૌતમ છઠ્ઠા. સાતમા ગુણઠાણે હતાં. આ સ્નેક્યુક્ત અનુષ્ઠાન હતું. જ્યાં સુધી પરમાત્મા જીવ્યા ત્યાં સુધી પરમાત્માનો સ્નેહ તોડી ન શકયા. સ્નેહનું કાર્ય તમે જ્યાં હો ત્યાંથી આગળ ખસવા ન દે. સ્નેહનો તાંતણો તોડવો મુશ્કેલ છે. આ સંસારમાં રાગને તોડવાનો પ્રયત્ન કરો. તમે પરસ્પર સ્નેહથી -- રાગથી ગુંદરની જેમ એક બીજા સાથે ચોંટ્યા છો, તો મૃત્યુ પહેલા છૂટી શકો એમ છો ? ધર્મ એ રાગ-સ્નેહ ને તોડવા માટે છે , એ સમજી લ્યો... જે જીવ સ્નેહને ન તોડી શકે તો, ધર્મ શું કરે? પુણ્ય બંધાવે. જીવો વિકાસ માટે પરમાત્માની કૃપા ઇચ્છે તો તે ખોટું નથી. તેમાં દોષ નથી. પરમાત્માની શ્રદ્ધાથી જીવ આગળ વધે ત્યારે નીચેથી ઉપર જતાં હોય તો પ્રભુ તારી કૃપાથી મને આ બધું મળો, અને આપત્તિના નિવારણ માટે પ્રભુ તારી કૃપાથી આ થાઓ, એમ કહે ને એમ કરે, તો તે ખોટું તો નથી જ. ત્રણે રાગનું સ્વરૂપ ગૌતમને પરમાત્માના ગુણોનો રાગ હતો, ભક્તિ પણ હતી, પણ સાથે સ્નેહરાગ હતો... સ્નેહ કોને કહેવાય ? રૂપાળા હોય, રાગી હોય તેને સ્નેહ કહેવાય એવું નથી. માતાને પોતાના કાળા દિકરા ઉપર પણ સ્નેહ હોઈ શકે છે, સ્નેહરાગ – સ્નેહ એટલે જેને જોયા પછી, ગુણ ન હોય છતાં જે આપણી સ્મૃતિમાં વારંવાર આવ્યા કરે, ભૂલાય નહીં, આકર્ષણ રહ્યા કરે, યાદ આવ્યા કરે તે સ્નેહરાગ છે. જેને જોયા પછી, જેનો પરિચય થયા પછી કોઈ વિશિષ્ટગુણ ન હોવા છતાં, તે વ્યક્તિ તરફ આપણું ચિત્ત ખેંચાયા કરે - તે સ્નેહરાગ છે. કામરાગ -. જેની સાથે સંસાર સુખો ભોગવવાની ઇચ્છા થયા કરે તે કામ ચગ છે. દૃષ્ટિરાગ આપણે પકડેલી માન્યતાનો રાગ, તે દૃષ્ટિ શગ છે એ એને પકડેલી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy