SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ - રહેવું. તો સમયે સમયે પૂબંધ કરી શકશો... એમાં રહેવાનું તમને ફાવે? અને તમને ફાવે તો તમારી ઘરવાળીને ન ફાવે.. અત્યારે સજોડા વધારે છે કે કજોડા વધારે છે ? ધર્મ નિસ્પૃહતાથી કરવાનો છે. જગતના બધા પદાર્થ તુચ્છ છે, નિરસ છે, ફેંકી દેવા જેવા છે - આવું તમને પહેલા લાગવું જોઈએ. આ જગતના પદાર્થ ગમે તેવા સારા હોય તો તે આત્માના પ્રભાવે છે. ચૈતન્યના પ્રભાવે છે. આ દેહ તમને બહુ ગમે છે. બહુ સારો લાગે છે... પણ તે કોના પ્રભાવે ? ચૈતન્યના પ્રભાવે છે. ચૈતન્ય એમાંથી નીકળી ગયા પછી આ દેહ ગમે ખરો? આત્મા નીકળી ગયા પછી આ દેહ દર્શન કરવા યોગ્ય નથી અને પ્રદર્શનમાં મૂકવા જેવો પણ રહેતો નથી. પંચ પરમેષ્ઠી એ દર્શનીય છે, પ્રદર્શનીય નથી. વેશ્યા, મ્યુઝીયમની ચીજો પ્રદર્શનીય છે એ દર્શનીય નથી. જે તત્ત્વો વિશુદ્ધ કોટીના હોય અને વિશુદ્ધ બનવા માટે પ્રયત્નશીલ હોય, તે દર્શનીય જ હોય, પ્રદર્શનીય નહીં. તમારા દેવને પ્રદર્શનમાં મૂકાય ? તમારા ગુરુને પ્રદર્શનમાં મૂકાય ? ના... નહીં જ. તમે થીજી કેમ ગયા છો ? જવાબ આપો.. બરફની પાટ ઉપર હો તેમ થીજી ગયા છો. જે ચીજો રાગાદિની વૃદ્ધિ કરે, જે ચીજો રાગાદિને ઉભા કરે અને જે ચીજો આત્માના ગુણોનો નાશ કરે તેવી ચીજો પ્રદર્શનમાં મૂકાય.. તે દર્શનીય નથી. સારી ચીજો પ્રદર્શનીય ન બની શકે. પ્રદર્શનમાં વેશ્યાને મૂકાય. પણ સતીને મૂકાય ? ના, સારી ચીજ હંમેશા દર્શન કરવા યોગ્ય જ હોય. મોક્ષ મેળવવો હોય તો તેના મૂળમાં નિસ્પૃહતા જોઈએ. સંજ્ઞા-યુક્ત ધર્મ કર્યો એટલે વૈષયિક સુખની સ્પૃહાવાળો ધર્મ થયો. એનાથી પાણી જેવું નિર્મળ ચિત્ત હતું તે મલિન બન્યું.. મલિન ચિત્તથી કરાયેલ ધર્મ પુણ્ય બંધાવે, મોક્ષ ન આપે.... દાનના, સેવાના, પરોપકારના સંસ્કારો ઊભા ન રહ્યા. અને તે જીવ દેવલોકમાં જઈને વિષયોમાં ચોંટી જાય છે. ત્યાંનું આયુષ્ય પૂરું થઈ ગયા પછી એ સદ્ગતિ ન પામે.. કેમ? તો અહીં – મનુષ્યમાં તો સંજ્ઞા અને સ્પૃહાથી ધર્મ કર્યો હતો અને ત્યાં દેવભવમાં તો ધર્મ જ ન કર્યો, તેથી ત્યાંથી મરીને નીચે ઉતરી જાય છે. શ્રી ગૌતમસ્વામીની અદભૂત સાધના (૩) નામચિરદિતિમ્ - સંસારમાં જેટલા ફળો છે તેના આશય રહિત અનુષ્ઠાન હોવું જોઈએ... આ વિશેષણ શા માટે ? કારણ કે દશ સંજ્ઞારહિત ધર્મ કરે ત્યારે સંસાર ફળની આશંસા રહી જ નથી. ભલે, આ લોકમાં મળતા સુખની ઇચ્છાથી ધર્મ ન કરે પણ, ક્યારેક પરલોકનાં સુખની ઇચ્છાથી, દેવ-દેવેન્દ્રાદિ, ચક્રવર્તી, રાજ્યાદિ સુખની ઇચ્છાથી પણ ધર્મ ન કરવો.. એ માટે ફલાભિસંધિ રહિત કહીએ છીએ. ઈહલૌકિક સુખની ઇચ્છા ન હોવી જોઈએ, તેમ પારલૌકિક સુખની પણ ઇચ્છા ન હોવી જોઈએ. એ પણ સ્પૃહા છે. આત્માને તે સ્વતઃ આગળ વધતાં અટકાવે છે. એટલે આલોક-પરલોકની ઇચ્છાનો ધર્મ મોક્ષ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy