SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનો ફુગાવો ધર્મનો ફુગાવો આજે મોટા ભાગે આપણો ધર્મ બહારનો ધર્મ છે. આપણો ધર્મ દેખાવનો ધર્મ છે. અઢાઈ કરનાર અઢાઈના પારણાના દિવસથી જ રાત્રિભોજન શરુ કરે છે, અઠ્ઠાઈના પારણાના દિવસથી ટી.વી. જુએ છે, પારણાના દિવસથી ફ્રીઝના પાણી, હોટલો ચાલુ કરે છે. આ અઠ્ઠાઈનું ફળ છે ? અઢાઈ ભગવાનની આજ્ઞા માટે કરી કે ગતાનુગતિક માટે કરી, કે દેખાવ માટે કરી ? ધર્મ કરનારા જીવો વિવેકહીન, સત્ત્વહીન અને વિષયોમાં વૃદ્ધિવાળા બને એટલે ધર્મ કરનારાથી ધર્મ નિંદાય, ધર્મ કરનારાથી જ ધર્મ જોખમમાં મૂકાય છે. આ અઢાઈ નૈમિત્તિક તપ છે, અને નવકારશી – ચોવિહાર નિત્ય તપ છે. કોણ ચઢે ? ઇરાદાપૂર્વકના ૧૨ મહિનાના નવકારશી - ચોવિહાર ચઢે છે. નવકારશી ચોવિહાર ગોણ કરે તેની અટ્ટાઈ પ્રશંસનીય બને? નિત્ય તપ વગરનો નૈમિત્તિક ધર્મ કેટલો શોભે ? ક્યાં રહ્યો છે ધર્મ? ધર્મની વાસ્તવિકતા સમજો... સંજ્ઞાના અટકાયત માટે જે ધર્મ થયો નથી, તે અટ્ટીઈ વિગેરે પુણ્ય બંધાવે કારણ કે તે ભગવાનની આજ્ઞા મુજબનો ધર્મ ન હતો. અંદરના રાગાદિ કષાયો નહીં ઘટે તો એ પરમાત્માના વાસ્તવિક ધર્મને કરતો નથી એમ સમજવું. પહેલાં આપણે ત્યાં એક કાલ એવો હતો કે સીનેમાં જોવા થીએટરમાં જવું પડતું હતું... ત્યારે લોકો ત્યાં જતાં, અને જોતાં, બીજા એને કહેતાં કે તમે આ ઉમરે થીએટરમાં જાવ છો ? શોભે તમને? અને એક કાલે અભક્ષ્ય ખાવા હોટલમાં જવું પડતું હતું અને હોટલમાં અભક્ષ્ય ખાવા જતાં પહેલાં તેને આ કપાલનો ચાંદલો ભૂંસી નાખવો પડતો હતો. આજે હોટલવાળા કહે છે, ઇંડાની લારીવાળા કહે છે, કે સૌથી વધારે જેનો જ આવે છે. આજે બધા પાપ ઘરમાં આવ્યા છે. ટી.વી. જોવા માટે લાઈટ ઓફ કરી અંધારૂ કરીને પતિ-પત્ની, પુત્ર-પુત્રવધુ, બાબો અને બેબલી બધા સાથે જૂવે છે. અશ્લીલ દૃશ્યો જોતાં, બહુ સરસ બહુ સરસ કરતાં, આયુષ્ય બંધાય તો કયું બંધાય ? તીવ્ર રસથી જોતાં હોય, તો મને તો એમ લાગે છે કે આયુષ્ય બંધાય તો નરકનું જ બંધાય. અને ત્યાં પરમાધામી કહેશે કે આમ આવ, લે, બહુ જોવું ગમતું હતું ને ? જોવામાં બહુ મઝા આવતી હતી ને ? આમ આવ, એમ કહીને બે ય આંખમાં ભાલા ખોસી દેશે. એટલે મને એમ લાગે છે કે તમે ટી.વી. નથી જોતાં પણ ભવાંતરમાં ભાલા ઘોંચાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છો. આજે આચાર અને મર્યાદા નાશ પામી છે. જેને ધર્મ પામવો છે તેને મર્યાદા પાળવી પડશે. આચાર માર્ગની boundary નક્કી કરો. પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે મર્યાદાઓ નક્કી કરી છે. તમે પણ આચાર ધર્મની બાઉન્ડરી કરો, કોર્ડન નક્કી કરો, અને સાથે સાથે એવા આચાર પાળનારાઓનું મંડળ-વર્તુળ બીજા નંબરમાં ઊભું કરો. પછી આખી જિંદગી આ આચારની બાઉન્ડરી ઓળંગવાની નહીં. આખી જિંદગી આ મંડળમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy