SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ તો કષાયો હોય ત્યાં સુધી રહે છે. ચિત્તમાંથી કપાયો ગયા, એટલે જ્ઞાન પૂર્ણ ફોર્મમાં આવી જાય છે. માટે કદી ચિત્તને ડહોળાવા દેવું નહીં.. ચિત્તનું ડહોળાણ એ જ દુ:ખ છે. દશ સંજ્ઞાથી કરાયેલો ધર્મ, જો કે એ ધર્મ સર્વજ્ઞ પ્રણિત હતો. ધર્મ શુદ્ધ હતો, પણ સંજ્ઞાઓ તેમાં ભળી, તેથી દૂષિત થયો.... ધર્મ સ્વસ્થ ચિત્તે કરવાનો હતો. પણ મલિન (સંજ્ઞાયુકત) ચિત્તે ધર્મ કર્યો, એટલે પુણ્ય કેવું બંધાય? solid ન બંધાય. કચાશ આવે, અને ઉપાદેયબુદ્ધિપૂર્વક સંસાર સુખની આસક્તિ, ઇચ્છા ભળે તો, અનુબંધ પણ અશુભ પડે. આપણે શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપની, પરમપદ મોક્ષની, વીતરાગતા – કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે ધર્મ કરવાનો છે. વિશુદ્ધ ધર્મનું સ્વરૂપ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ આનંદ છે. તેમાં જરાય દુ:ખનો અંશ નથી. દુઃખ વગરનું સુખ મોક્ષમાં છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા માટે ધર્મ શુદ્ધ જોઈએ. શુદ્ધ ધર્મની સાથે શુદ્ધ ચિત્ત જોઈએ. ઉત્તરોત્તર મલિન ચિત્તને શુદ્ધ કરવા માટે જ ધર્મ કરવાનો છે. જ્યારે સંજ્ઞાથી ધર્મ થાય છે, ત્યારે તેમાં વિષયોની સ્પૃહા, ભોગની સ્પૃહા ભળે છે, તેથી ચિત્ત શુદ્ધ નથી રહેતું. માટે મોક્ષની પ્રાપ્તિ ન થાય. સંજ્ઞાથી કરાયેલો ધર્મ સ્વર્ગ આપે છે. સંજ્ઞા હોવાથી વૈરાગ્ય મોળો પડે છે. વૈરાગ્ય ઝાંખો પડે છે. સંજ્ઞાની તીવ્રતા થાય એટલે સંસ્કાર સંજ્ઞાના પડે છે. આત્મા લૂંટાઈ જાય છે. પુણ્યબંધ થયો. ફક્ત પુણ્યબંધ માટે ધર્મ નથી કરવાનો. પણ અંદરના રાગાદિ સંસ્કારોને, ભવોભવના સંસ્કારોને તોડવા માટે ધર્મ છે, ક્રોધ-માન-માયા, રાગ-દ્વેષ-કષાયોના સંસ્કારો જે ભવોભવથી ચાલ્યા આવે છે. એ સંસ્કરોને ઘસી નાંખવા માટે ધર્મ છે. તેની સામે પ્રતિપક્ષી ત્યાગ-તપ-દાન-શીલવૈરાગ્ય-વિવેક-ઔચિત્યના સંસ્કારો નાંખીએ તો મોક્ષમાર્ગ પ્રતિ પ્રયાણ થાય. આત્મસ્વરૂપને મેળવવા માટે આ સંસ્કારો જામ કરવાના છે. તે માટે સંજ્ઞાને તોડવાની છે. કષાયો - દોષોને કાઢવાના છે. જીવોને પાપ પ્રવૃત્તિ એ બાહ્ય સંસાર છે. દોષો એ અત્યંતર સંસાર છે, પાપની પરિણતિ અને અનંતાનુબંધી કષાયના રસ ઉપર સંસાર નભે છે. અનંતાનુબંધીનો રસ જેટલો તીવ્ર તેટલો સંસાર વધે છે. અને અનંતાનુબંધીનો રસ જેટલો શિથિલ થાય, તેટલો સંસાર ઘટે છે. તેટલો સંસાર નીકળે છે. કુટુંબ પરિવારને લાકડી મારીને કાઢી મૂકવાથી સંસાર નથી નીકળતો સંસાર અંતરમાં પડેલો છે. “સંસાર અસાર' એટલે લોહાગ્નિ ન્યાયે અંતરમાં પડેલો સંસાર અસાર છે. મિથ્યાત્વનો તીવ્ર રસ એ સંસાર છે. અનંતાનુબંધી કષાયનો પાવર એ સંસાર છે. એને કાઢો, એને ઘટાડો, એના ઉપર ઘા કરો તેમ તેમ સંસાર નીકળે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy