SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ પરમાત્માની ભક્તિ કરતાં હોઈએ ત્યારે આપણા અને પરમાત્માની વચમાં કોઈ ન જોઈએ, કોઈ આવવું ન જોઈએ. રાજા જનકની ધર્મશ્રવણમાં એકાગ્રતા રાજા જનક, તેના નગરમાં એક સંન્યાસી આવ્યા. ખૂબ સુંદર ઉપદેશ આપે છે. સાંભળવા માટે લોકો ચારે બાજુથી ઉભરાયા, ચિક્કાર માણસો ભરાઈ ગયા છે. છતાં પણ સંન્યાસી, રાજા જનક ન આવે ત્યાં સુધી ઉપદેશ ન આપે, અને જનક રાજા આવે છતે બધા ન આવે તો પણ ઉપદેશ આપે. આવું અમે કરીએ તો તમારા મનમાં શું વિચાર-કલ્પના આવે? બોલો !! ગમે તે વિચાર આવે કે સમ્યગુ વિચાર આવે ? આવું તો અહીં રોજ ચાલે છે. લોકો ક્યાં સુધી સહન કરે, એક - બે-ત્રણચાર દિવસ ચાલ્યું. સંન્યાસીને તો કહી ન શકાય. પણ ચારે બાજુ - ઠેર ઠેર વાતો ચાલે છે. કોઈ મોઢે કહેતું નથી. એક દિવસની વાત, ઉપદેશ ચાલે છે, અડધું વ્યાખ્યાન થયું ને ત્યાં જ રાજાના સેવકોએ આવીને સમાચાર આપ્યા, કે ચારે બાજુ આગ લાગી છે. ભાગો, ભાગો, આખી નગરીમાં આગ લાગી, રાજા જનકના અંતઃપુરમાં પણ, રાજમહેલમાં પણ આગ લાગી છે. બધા શ્રોતા ટપોટપ ઉઠવા માંડયા.... ફક્ત સંન્યાસી અને જનક ન ઉઠ્યા. ચારે બાજુ બધા જઈને પાછા આવ્યા, જ્યાં આગ લાગી ? ક્યાંય આગ ન હતી. લોકો પાછા ટપોટપ આવવા માયા.. સંન્યાસી બધાને પુછે છે તમે કેમ ઉક્યા ? તમે કેમ ઉડ્યા ? પણ ઘરે તપાસ કરવા ગયા. સંપત્તિ બળી જાય તેથી. મહારાજા જનકતમે કેમ ન ઉક્યા ? સાહેબ ! હું જ્યારે પરમાત્માની ભક્તિ કરું છું ત્યારે મારી અને પરમાત્માની વચ્ચે ત્રીજી કોઈ ચીજ આવી શકતી નથી. અને ઉપાશ્રયમાં આવું, જિનવાણી સાંભળું ત્યારે આપ અને મારા આત્મા વચ્ચે ત્રીજી કોઈ ચીજ આવતી નથી. સંન્યાસી બધાને ઉદ્દેશીને કહે છે કે, હવે તમને કંઈ ખબર પડી? જનક રાજા આવે ત્યારે જ વ્યાખ્યાન વાંચું છું તેની ખબર પડી ? “આવો એક શ્રોતા પણ સારો ને ?” અહીં પણ તમે બધા વ્યાખ્યાન ઉઠે, કબૂતરની જેમ ટપોટપ ઉડી જાવ છો ? કે રોકાઓ છો ? આવો જિનવાણીનો રસ, પ્રભુ ભક્તિનો રસ છે ? આનું નામ પ્રભુ ગમ્યા કહેવાયતમે પ્રભુની સામે બેસીને ચૈત્યવંદન કરતા હો અને વચમાં કોઈ આવીને ઊભું રહે ત્યારે કયા-કેવા વિચાર કરવાના? કે આવા ને આવા વચમાં ક્યાંથી આવે છે ? કંઈ વિવેક છે કે નહીં ? કંઈ અક્કલ છે કે નહીં ? કંઈ સમજણ પડે છે ? આવા વિચાર કરવા કે કોઈ સમ્યગુ વિચાર કરવા, કે, “હે આત્મન્ ! આજ સુધી ચર્મ ચક્ષુથી ઘણીવાર પ્રભુને જોયા છે. હવે અંતર ચક્ષુથી પ્રભુને જો..” આ રીતે સમ્યગુ વિચાર કરી કષાય રહિત બનો. ક્રોધ આવે આવું સમાધાન કેમ નથી કરતાં ? સંજ્ઞાઓને રોકો... અનુષ્ઠાન કરવા બેસીએ ને ખાવાના વિચાર આવે તો આહાર સંજ્ઞા... અનુષ્ઠાન કરવા બેસીએ ને ભય પીડે તો ભય સંજ્ઞા. અનુષ્ઠાન કરવા બેસીએ ને સ્ત્રીનો વિચાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy