SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞાનું શોષણ એ જ ધર્મ ૯૧ છે. તેથી તે જે કરે, તેમાં તેની બુદ્ધિ અતિશય જોડાયેલી હોય છે. અત્યંત રસપૂર્વક તે પ્રવૃત્તિ કરતો હોય છે. દા.ત. પેથડશા મંત્રીશ્વર પરમાત્માની પૂજા કરતાં, ત્યારે કોઈની સાથે વાત કરતાં નહીં, કોઈની સાથે બોલતાં નહી, તેણે પત્નીને કહી રાખ્યું છે, કે હું પ્રભુ પૂજામાં હોઉં, ત્યારે કોઈ પણ આવે તો તારે ના પાડી દેવી, ગમે તેવું કામ હોય તો પણ નહીં. એક વખત રાજાને અગત્યનું કામ હતું. રાજાનો માણસ આવે છે. પત્ની ના પાડે છે - મંત્રીશ્વર પૂજામાં છે, રાજાનો માણસ પાછો ગયો. પણ રાજાને અગત્યનું કામ છે, ફરી માણસ આવ્યો. ફરી એ જ જવાબ - મંત્રીશ્વર નહીં મળી શકે. તેઓ પૂજામાં છે. રાજા વિચારે છે કે આ જગતમાં એવું કોણ મહાન છે ? કે ના જ પાડ્યા કરે છે ! રાજાના મનમાં એમ છે, કે જગતમાં મારાથી મોટો કોઈ હોય જ નહીં. રાજા ખુદ આવે છે. તેની પત્ની ના પાડે છે. નહીં, રાજાજી નહીં જવાય... રાજા કહે – મારે તેની ભક્તિ જોવી છે, મારે તેની પૂજા જોવી છે, કેવી છે ? મંત્રી પ્રભુની અંગરચના, પુષ્પપૂજા કરી રહ્યા છે. પાછળ માણસ બેઠો છે. તે ફુલ આપી રહ્યો છે. રાજા ઇશારાથી માણસને ખસી જવા કહે છે, ત્યાં રાજા બેસી ગયા. અને રાજા ફુલ આપે છે, આ નહીં – ફેંકી દીધું, બીજું આપે છે - આ નહીં - ફેંકી દીધું. ત્રીજું ફુલ પણ ફેંકી દીધું.... વારંવાર આમ કેમ ભૂલ થાય છે? પૂજામાં કેટલી ઉપાદેય બુદ્ધિ છે ? મંત્રી પાછળ જૂએ છે. ત્યાં જ રાજાજીને જોયા... સ્તબ્ધ થઈ ગયો. રાજા કહે – મંત્રીશ્વર ! ગભરાશો નહીં... રાજા મંત્રીની પૂજા જોઈને આનંદ-વિભોર બની ગયો છે. મંત્રીશ્વર! ગભરાવાની જરૂર નથી. હું ગમે ત્યારે ગમે તે કામે બોલાવું, તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. મંત્રી પરમાત્માની અંગપૂજા કેટલી ઉપાદેય બુદ્ધિથી કરતાં હશે. કે કોઈ આવે તેની ખબર પણ ન પડે ! આવી વ્યક્તિ આપણી છે ? આવી પૂજા જ ફળ આપી શકે છે. રાજા કહે – હું તમારી પરમાત્મ-ભક્તિ જોવા આવ્યો છું - મને એમ થાય છે, કે આવા પરમાત્મભક્ત મારા રાજ્યના મંત્રી છે. આ “રૂપથિયાચિત્ત” કહેવાય, ને તેનાથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે છે. “ઉપાદેયબુદ્ધિ” એટલે આ જ કર્તવ્ય લાગે, અને કરવા યોગ્ય જે ક્રિયા કરવા તૈયાર થયા, તેમાં જ ચિત્તવૃત્તિ હોય.. આજુ-બાજુની ચીજોથી ચિત્તવૃત્તિનું ડહોળાણ તેમાં ન હોય... સંજ્ઞાનું શોષણ એ જ ધર્મ (૨) હવે બીજી વાત આરાધનામાં ૧૦ સંજ્ઞાનો વિખંભ – અટકાયત જોઈએ. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક – એમ ૧૦ સંજ્ઞા જીવને વળગેલી છે. આ સંજ્ઞા સાથે કરાતા ધર્મ વખતે કુશળચિત્ત ન હોઈ શકે... ક્રોધયુક્ત હો અને પૂજા કરો, માન અંદરમાં હોય અને ધર્મ થાય, આવી બધી સંજ્ઞા અંદરમાં ભળેલી હોય, તો, ધર્મને - અનુષ્ઠાનને ડહોળી નાંખે છે. જે ક્રિયા, જે અનુષ્ઠાન કરવા તૈયાર થયા ત્યારે આત્માને અંદરથી તૈયાર કરવાનો છે, આપણે જ્યારે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy