SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ યોગઢષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અમારે ત્યાં એક માસકલ્પ જેવી બાબતમાં પણ એકલા ગીતાર્થ નિર્ણય ન કરી શકે, એ પણ બધા સાથે બેસીને વિચારે, બધાનું બધું સાંભળે, જાણે, પછી ગીતાર્થ કહે. મને અહીં માસકલ્પ કરવા જેવો લાગે છે. એ નિર્ણય કરે, પછી કહે તમને બધાને કેમ લાગે છે ? એક માસકલ્પ કરવો તેમાં આટલી બધી પંચાત ? એમ તમને થશે. o આજનો માનવી એમ સમજે છે કે મારે કોઈને પુછવાની જરૂર નથી. તમે જીવનમાં કોને પુછીને કરો છો ? માને ? બાપને ? ભાઈને ? ક્યા ક્ષેત્રમાં બીજાની સલાહથી આગળ વધો છો ? જેને માથે કોઈ નહીં, તે ગમે ત્યારે આપત્તિમાં આવી શકે છે. શિવકુમારને આગળ વધતાં એક યોગી મળી ગયો. યોગીએ તેને જોયો. મારે જોઈએ તેવો આ માણસ છે. તેને લાલચ આપે છે. સાથે લઈ જાય છે. સ્મશાનમાં ગયા.. એક મડદું લાવ્યા. તેના પગ પાસે બેસાડયો... યોગીનો મંત્ર-જાપ શરૂ થયો... મડદું ઊચું થાય છે ને પડે છે. ઊંચું થાય છે ને પડે છે. હવે આપત્તિ આવી... તે ગભરાય છે. બાપનું વચન યાદ આવ્યું. કે આપત્તિમાં નવકાર ગણજે... અહીં તે નવકાર ગણે છે - કેવી રીતે ગણે છે ? ‘ઉપાદેયધિયાત્યન્તમ્' એ પદ અહીં લાગુ પડે છે. અને અંતે નવકારના પ્રભાવે સુવર્ણ પુરુષને પ્રાપ્ત કરે છે. “શિવકુમરે જોગી સોવન પુરુષો કીધ” સુવર્ણ પુરુષ કોને કહેવાય ? એમાંથી આખા દિવસમાં હાથ-પગ વિગેરે અવયવો કાપો, જેટલું સોનું કાપો... (માથું સિવાય) તેટલું ફરી પાછું થઈ જાય... ફરી અખંડ પુરુષ થઈ જાય... શિવકુમારે કઈ શ્રદ્ધાથી નવકાર ગણ્યા, કેવા ચિત્તે ગણ્યા હશે, કુશળચિત્ત કેવું ? નિરાશંસ ભાવે, ગદ્ગદ્ ભાવે, તન્મય ભાવે ઉપાસના થવી જોઈએ. આ સંશુદ્ધ કુશળચિત્ત કહેવાય... આ ત્રણ રીતે કરેલી ઉપાસનાથી ઉચ્ચ કોટિનું પુણ્ય બંધાય છે. પેથડની પ્રભુભક્તિ પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગબીજોને સમજાવી રહ્યા છે. કારણ કે મોક્ષનું કારણ યોગ છે. યોગનું કારણ યોગબીજ છે. એનાથી જ જીવ આગળ જતાં મોક્ષ ફળને પ્રાપ્ત કરી શકે છે. સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ માર્ગ છે. એ નિશ્ચયથી આત્માના પરિણામ સ્વરૂપ છે. સમ્યક્ પરિણતિ પામવા, સમ્યક્ પ્રવૃત્તિ આદર-બહુમાનથી કરવાની હોય છે. વિપરીત પરિણતિ-પ્રવૃત્તિ છોડવાની હોય છે. જેમ જેમ કષાય પરિણતિ છૂટે, તૂટે તેમ તેમ આત્મ પરિણતિ પ્રાપ્ત થાય... સંસારની રુચિ-પરિણતિ તૂટતી જાય ને સંસાર નિરસ લાગે ત્યારે સંસારની પ્રવૃત્તિ ઘટતી જાય છે. અને ધર્મની પ્રવૃત્તિમાં આગળ વધે છે. એ ધર્મ પ્રવૃત્તિ આગળ વધતા એને અંદરમાં લઈ જવા માટે સહાયક બને છે. અહીં જીવ અંદરમાં લઈ જવા માટે સહાયક ન બને તેવી પ્રવૃત્તિ કરતો નથી. જે પ્રવૃત્તિ કરે છે તે તેને અંદરમાં લઈ જવા માટેની હોય છે. કારણ કે યોગબીજમાં સંશુદ્ધતા પડેલી છે. અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. સંજ્ઞાનો વિષ્ફભ છે, ફળની કોઈ આશંસા નથી. આવી ચિત્તવૃત્તિ હોય - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy