SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમ ગોવાળને કુશળ ચિત્ત મરતી વખતે આપણને નવકાર સંભળાવે, ત્યારે અત્યાર સુધી ચિત્ત નવકારમાં એકાગ્ર કર્યું હશે, તો મરતી વખતે નવકારમાં મન એકાગ્ર બનશે. અને તો જ તે વખતે આયુષ્ય બાંધીને ઉપર જવાશે. જ્યાં શ્રદ્ધા છે, મન તેમાં એકાગ્ર છે, અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. તો તે આ અનુષ્ઠાનનો સખ્ય અંશ છે. આદર-ભક્તિ-બહુમાન એ અહીં સમ્યગુપણું છે. તમે જે ક્રિયા કરો ત્યારે આવા સંશુદ્ધ-કુશળ ચિત્તથી કરો. સંગમ ગોવાળને કુશળ ચિત્ત સંગમે ખીરનું દાન કર્યું, મહાત્માને ખીર વહોરાવી, ત્યારે આવા સંશુદ્ધ કુશળ ચિત્તથી કર્યું છે. ખીરનું દાન કર્યું તે કુશળ ચિત્ત છે. પહેલે ગુણઠાણે કુશળ ચિત્ત હોય, કષાયોનો નિગ્રહ હોય, આત્માની શાંત-પ્રશાંત અવસ્થા હોય, આ જોઈએ, તે જોઈએ. એવો ખળભળાટ ન હોય તો સુખની ઇચ્છાનો લેશ ઘટે છે. અને તે વખતે મહાત્માનો ત્યાગ ગમે છે, તે કુશળચિત્તતા છે. ચરમાવર્ત જોઈએ અને આલૌકિક, પારલૌકિક ભાવો નીકળી જાય. એટલે સંશુદ્ધ કુશળચિત્ત બને છે. ચિત્તવૃત્તિમાં કષાયની રેખા નથી રહી, કષાયની છાયા નથી રહી, વિશેષ માર્ગ બોધ નથી. વિશેષજ્ઞાન નથી. પણ મહાત્મા ગમ્યા છે. મહાત્માનો ત્યાગ ગમ્યો છે. જે ખીરનું દાન કર્યું છે. તેનો આનંદ પછી પણ સતત ચાલુ છે. રાત્રે મૃત્યુ થાય છે. આ સંશુદ્ધ યોગ સાધના દ્વારા આત્મામાં નક્કર સંસ્કાર પડે છે. ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરીને ગોભદ્ર શેઠને ત્યાં શાલિભદ્ર બને છે. શિવકુમારને કુશળ ચિત્ત પેલો શીવકુમાર સંસ્કારી માતા-પિતાને ત્યાં જન્મેલો હતો. સુસંસ્કાર આપવા માટે કરેલા માતા-પિતાના બધા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા. ભણ્યો નહીં, ગણ્યો નહીં. ખરાબ મિત્રોની સોબતે ચડ્યો છે. બાપને મરતી વખતે ચિંતા થાય છે, આનું શું થશે? મરણ પથારીએ પડેલો બાપ શિવકુમારને બોલાવે છે ને કહે છે. બેટા ! સંકટમાં આવે ત્યારે નવકારમંત્ર ગણજે.. પછી ખરાબ મિત્રોના પરિચયે તે બધી લક્ષ્મી ખોઈ નાંખે છે. હરિભદ્રસૂરિજી મહારાજ આવા સમયે ધર્મબિંદુમાં પ્રધાન પુરુષ પરિગ્રહ' શબ્દ મૂકે છે અર્થાત્ જેના માતા, પિતા મૃત્યુ પામ્યા હોય, પોતાની સાર સંભાળ રાખનાર કોઈ ન હોય ત્યારે તે આત્મા તે ગામના આગળ પડતા, સંસ્કારી એવા રાજા, મંત્રી કે શ્રેષ્ઠી વિ.ને પોતાના માથે સ્થાપન કરે, અને કહે કે મારા માતાપિતા મૃત્યુ પામ્યા છે, માટે આપને હું મારા પિતાના સ્થાને માનું છું. આપ દરેક કાર્યમાં મારી કાળજી રાખજો. અને ક્યાંય પણ હું ભૂલતો હોઉ તો મને બચાવજો. આપત્તિમાં “પ્રધાન પુરુષ પરિગ્રહ” કરવો જોઈએ. તે નગરના શ્રેષ્ઠી-મંત્રી-મુખીનો પરિગ્રહ-સ્વીકાર કરો. તેને પુછીને આગળ વધો. આ હિંદુસ્તાનમાં બીજાને પુછીને કાર્ય કરવાની પદ્ધતિ ગઈ ત્યારથી માણસો દુ:ખી થઈ ગયા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy