SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સંશુદ્ધ યોગબીજ ૮પ જગતના જીવોને કામમાં જ ન આવતા હોય તો તેની મહાનતા શું ? શું કામની એ મોટાઈ ? પરંતુ પરમાત્મા જે પામ્યા છે, તે તેમણે જગતને આપવા માટે પ્રયત્ન કર્યો છે. આ જ મહાનતા છે. જગતના તમામ જીવોને તારવાની તેઓએ ચિંતા કરી છે. આજ ઊંચામાં ઊંચી ભાવના છે. સંશુદ્ધ યોગબીજ चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः संशुद्धमेतन्नियमानान्यदापीति तद्विदः ।। २४ ॥ ચરમ પુદ્ગલપરાવર્તિમાં તથાભવ્યત્વના પરિપાકથી આ યોગબીજ સંશુદ્ધ પ્રાપ્ત થાય છે. અચરમાવર્તમાં યોગબીજો સંશુધિ પ્રાપ્ત થતાં નથી. ચરમ પગલપરાવર્ત કોને કહેવાય ? ચરમ- છેલ્લો.. મોક્ષે જવા માટે એક પુદ્ગલપરાવર્ત કાળ બાકી રહે તેને ચરમ પુદ્ગલપરાવર્ત કહેવાય. એનો કાળ કેટલો ? એક પુદ્ગલપરાવર્તિમાં પણ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ હોય છે, એટલા કાળમાં જગતના પુલોનું આવર્તન થઈ જાય છે. માટે તેને પુગલપરાવર્ત કહેવાય છે. આવા પુદ્ગલપરાવતો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી થાય છે. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ કોઈ એક જીવ જગતના સઘળા ય ગ્રાહ્ય પરમાણુઓને આહારક વર્ગણા સિવાય ઔદારિકાદિ બધી વર્ગણા રૂપે અક્રમથી ભોગવીને મૂકે (છોડે) ત્યારે એક દ્રવ્યપુદ્ગલપરાવર્ત થાય છે. અને તે બાદર છે. એમાં સૂક્ષ્મ ભેદ પણ હોય છે. તેમાં દારિકાદિ કોઈપણ એક વર્ગણારૂપે સમસ્ત યુગલોને લઈને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્ત થાય છે. એવી રીતે ૧૪ રાજલોકના સર્વ આકાશ પ્રદેશોને એક જીવ મરણથી સ્પર્શે તે બાદર ક્ષેત્રપુગલપરાવર્ત કહેવાય છે. હવે આજે, જે આકાશ પ્રદેશને સ્પર્શીને મર્યો. ફરી તેની બાજુનાં બીજા આકાશ પ્રદેશને સ્પર્શીને મરે તેની ગણત્રી કરવાની. વચમાં ગમે તે આકાશ પ્રદેશને સ્પર્શીને મરે તેની ગણત્રી ન કરી શકાયફરી જ્યારે તેની બાજુના ત્રીજા આકાશ પ્રદેશને સ્પર્શીને મરે તે ગણાય. આમ ૧૪ રાજલોકના સર્વ આકાશ પ્રદેશોને અનુક્રમે મરણ વડે સ્પર્શીને પૂર્ણ કરે, ત્યારે એક સૂક્ષ્મ ક્ષેત્રપુગલપરાવર્ત કાળ થાય... તેવી રીતે કાળપુદ્ગલપરાવર્તિમાં પણ ઉત્સર્પિણ – અવસર્પિણીના સર્વ સમયોને મરણ વડે સ્પર્શે ત્યારે બાદર કાળપુલપરાવર્ત થાય છે. ને એ જ ઉત્સર્પિણી - અવસર્પિણી રૂપ કાળચક્રના સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે, ત્યારે સૂક્ષ્મ કાળપુગલપરાવર્ત થાય છે. તે જ રીતે ભાવપુલપરાવર્તિમાં જીવ અનુભાગ બંધના બધા (શક્ય) અધ્યવસાયો સ્પર્શીને મૂકે છે, ત્યારે બાદર ભાવપુદ્ગલપરાવર્ત થાય છે. અને તે રસબંધના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy