SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ ઘટી શકે છે. હે પ્રભો !! તારી કરૂણાથી મારું નાવ ચાલે છે એવું માનીએ, એવું દેખાય ત્યારે જ આગળ વધાય છે. આવું નહીં માનો તો ઠેકાણું નહીં પડે. માટે પરમાત્મામાં કરૂણે છે. પ્રભુ કરૂણા કરે છે એમ કહેવામાં કોઈ જ વાંધો નથી. પરમાત્માએ કષ્ટો વેક્યાં, પરિષહો - ઉપસર્ગો સહન કર્યા તે સાંભળતાં આપણું હૃદય દ્રવીભૂત થતું નથી. કારણ કે આપણે એમજ માનીએ છીએ કે પરમાત્માને કેવળજ્ઞાન જોઈતું હતું. પણ પરમાત્માને જોતાં થવું જોઈએ કે હે પ્રભો !! અમારા જેવા પાપી માટે આપે સહન કર્યું છે, અમારા જેવા પાપીના ઉદ્ધાર માટે આપે સહન કર્યું છે. આ ભાવથી જોતાં શીખીએ તો પરમાત્માનો ઉપકાર સમજાય. સ્નેહ એ ચીકાશ છે. સ્નિગ્ધ પરિણામ છે. એ મોહનીય કર્મના ઘરનો પરિણામ છે. પરમાત્મામાં આવો સ્નેહ પરિણામ, આર્ટ પરિણામ ન હોય. પણ એનો અર્થ એ નથી કે પરમાત્મામાં કરૂણા જ નથી. જગતના જીવોમાં જેવી કરૂણા છે, તેવી કરૂણા પ્રભુમાં નથી, એમ કહી શકો છો. બાકી જિનોપાસના એ ઉત્તમ યોગબીજ છે. એમ કહીને અરિહંત પરમાત્મા યોગ-સાધના માટે મહાન ઉપકારી છે. ઉપાસનાના-આરાધનાનો વિષય બનીને મહાન આલંબન આપી રહ્યા છે. વળી તીર્થસ્થાપના કરી, મોક્ષ માર્ગનું પ્રદાન કરી, મહાન કરૂણા આપણા ઉપર કરી છે. પરમાત્મા પોતે જે પામ્યા છે તે બીજાને પમાડે છે. સિદ્ધ ભગવાનના પરિચયમાં આપણે સીધા આવતાં નથી. અને સિદ્ધ ભગવાનમાં પણ સ્નેહ પરિણામ નથી. પણ સિદ્ધ ભગવંતો ધ્રુવના તારાની જેમ આપણને આલંબન રૂપ બની કરૂણા કરી રહ્યા છે. ઉપકાર કરી રહ્યા છે. પરમાત્મા ઉપકાર કરે છે. અને ઉપકાર કરી રહ્યા છે. આપણને ઉપકાર થાય છે. છતાં તેમનામાં કરૂણા નથી, એમ કહેવા કરતાં, કરૂણાનું કાર્ય તો છે જ, તો પછી કરૂણા છે, એમ કહેવામાં વાંધો શું છે? કોઈ આપત્તિ નથી... ધ્રુવનો તારો અમાવાસ્યાના અંધકારમાં દિશા બતાવવાનું કાર્ય કરે છે. સમુદ્રમાં, અંધકારમાં અટવાતી નાવને દિશા બતાવે છે. નાવિક એના આધારે નાવને સલામત સ્થાને પહોંચાડે છે. એમ સિદ્ધ ભગવંતો જગતના જીવોને આલંબન આપી રહ્યા છે. સિદ્ધો પોતે શુદ્ધ સ્વરૂપને પામીને સંસારી જીવોને આલંબન આપી ઉપકાર કરી રહ્યા છે... જાણે સિદ્ધો આપણને કહી રહ્યા ન હોય ! કે આવો અહીં, જગત વિનાશી છે. આ એક જ અવિનાશી સ્થાન છે. અહીં અનંત સુખ છે. અનંત આનંદ છે. સાદિ અનંત સ્થિતિ છે, અવ્યાબાધ સુખ છે. વગેરે સ્વસ્વરૂપપ્રાપ્તિ દ્વારા સિદ્ધ ભગવંતો અપૂર્વ આલંબન બની રહ્યા છે. એ જ એમનો મહાન ઉપકાર છે. તેથી કરૂણાવાળા છે. અપેક્ષાથી પદાર્થને ઘટાવીએ તો ન્યાય આપ્યો કહેવાય. “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” વિગેરે સુત્ર પાઠ દ્વારા સિદ્ધ ભગવંતો પણ વંદન નમસ્કારાદિનો વિષય બનીને ભવ્યજીવોને સિદ્ધિ આપે છે. આ રીતે કરૂણાનું કાર્ય થતું હોવાથી કરૂણાવાળા છે. સિદ્ધ કરતાં તીર્થકરોને - અરિહંતોને કેન્દ્ર સ્થાનમાં, અગ્રિમ સ્થાનમાં મૂક્યા... કારણ શું? જગતમાં પણ કોઈ બહુ મોટો હોય, કરોડપતિ-અબજોપતિ હોય... પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy