SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાનું સ્વરૂપ ૮૩ રાજાએ મોટી ભૂલ કરી. શું ભૂલ હશે ? કંઈ નહીં... તે પીઠ કરીને પાછા વળે છે. આ જ એણે મોટી ભૂલ કરી... તમે દહેરાસરમાંથી પાછા વળતાં પ્રભુને પીઠ કરીને તો નથી નીકળતાને? અહીં વાઈસરોય ગુસ્સે થયા nonsence વિકટોરીયાની આશાતના કરવા બદલ તમારા સ્ટેટને બીજા નંબરમાં મૂકવામાં આવે છે. જો વિકટોરીયાની આશાતના ન થઈ શકે તો પરમાત્માની આશાતના થઈ શકે? કોઈની પણ આશાતના ન કરાય. અમારે “પગામ સજ્ઝાયમાં’ દેવાણ આસાયણાએ, દેવીણ આસાયણાએ એમ પાઠ આવે છે. શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના ન કરાય. પરંતુ જેનું જે સ્થાન હોય તેનાથી અધિક – ઉપર તો તેને ન જ મૂકાય. ઘરમાં જોડાનું સ્થાન ક્યાં ? એનું પણ સ્થાન હોય છે. સોફા ઉપર કે માથા ઉપર તો ન જ મૂકાય. જગતના બધા તત્વોને સમજશો ત્યારે પહેલી દૃષ્ટિ આવશે. મિથ્યાત્વીદેવની પણ નિંદા-ટીકા ન જ કરાય. તે પણ છંછેડવા જેવા નથી. સમ્યકત્વી દેવ તો પૂજ્ય છે જ. પણ ભક્તિ, પાત્રને અનુસાર હોય. પણ કોણ જાણે ? ભગવાન આપે જ નહીં, વીતરાગ આપે જ નહીં અને આપે તો દેવો જ આપે. આવી માન્યતા ઘર કરી ગઈ છે. પણ પરમાત્મા આપે તેવું જગતમાં બીજું કોઈ ન આપે... પરમાત્માની ભક્તિથી જ સંસારની બધી ચીજ મળે છે. તે બીજાથી નહીં મળે. પરમાત્માની આશાતના એ મોટું પાપ છે. ભક્તિ ઓછી વધતી થાય, એ હજી ચાલે પણ આ રીતે આશાતના થઈ શકે જ નહીં.. પરમાત્માની કૃપાથી મળે છે. પરમાત્માની કરૂણાથી મળે છે. એ વાત સ્તવનોમાં કેટલી ગાઈ છે. “કરૂણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે” કરુણાનું સ્વરૂપ પરમાત્મામાં કરૂણા હોય તો જ કરૂણા કહેવાય ? કે પરમાત્મામાં કરૂણા ન દેખાવા છતાં, કરૂણાનું કાર્ય જો થતું હોય તો તે પણ પરમાત્માની કરૂણા જ છે એમ કહેવાય ? ભક્તિનો વિષય હોય ત્યાં ભક્તિની રીતે વિચારવાનું હોય. દ્રવ્યાનુયોગનો વિષય હોય ત્યાં તે રીતે વિચારવાનું હોય છે. કરૂણા એટલે શું ? કરૂણા એટલે નિર્દયતાનો અભાવ. નિર્દયતાના અભાવ રૂપ કરૂણા છદ્મસ્થમાં ત્યારે ઘટી શકે, કે જીવ પ્રત્યે આર્ટ પરિણામ, સ્નેહ પરિણામ હોય તો જ ! કઠોરતા - નિર્દયતાનો વિરોધી પરિણામ કરુણા છે. કરૂણાનું કાર્ય શું? બીજાના દુ:ખને દૂર કરવું એ અર્થ છે. નિર્દયતા હોય તો બીજાના દુઃખને દૂર ન કરી શકે માટે છમસ્થમાં આÁ પરિણામ, સ્નેહ પરિણામ જોઈએ. - પરમાત્મામાં આÁ પરિણામ - સ્નેહ પરિણામરૂપ કરૂણા નથી. પણ છતાં નિર્દયતાના અભાવ રૂ૫ કરૂણા છે. કરૂણાનું કાર્ય - જે “બીજાના દુઃખ દૂર કરવા રૂપ' છે. તીર્થકરના પરિચયમાં જે આવે તેના દુઃખ દૂર થાય છે. સંક્લેશ દૂર થાય છે, સમક્તિ પામે છે, દેશવિરતિ પામે છે, સર્વવિરતિ પામે છે. આ કરૂણાનું કાર્ય પરમાત્મામાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy