SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પહેલી યોગદષ્ટિમાં રહેલા યોગી આ રીતે યોગબીજોને ગ્રહણ કરે છે. તમે પણ દર્શન કરવા જાવ ત્યારે મૂર્તિમાં પિંડસ્થ અવસ્થા વિચારો – જળપૂજા કરતાં- અભિષેક કરતાં જન્માવસ્થાને ભાવો... પ્રભુની અંગ-રચના (આંગી) કરતાંજોતાં રાજ્યવસ્થા વિચારો. મુગુટ વિગેરે અલંકારો ઉતારો ત્યારે દીક્ષાવસ્થાથી ભાવિત બનો. આ રીતે પરમાત્માની બધી વિચારણા કરવી એ યોગબીજ છે. ઉપા. યશો. લખે છે કે, કાલ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તારા દાસ રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસ રે..” મોક્ષનું મુખ્ય કારણ પ્રભુ, તું જ એક છે. ભગવાન મળે પછી કાળ અને ભવિતવ્યતા પણ અનુકૂળ થશે જ. અને કદાચ નહીં હોય તો અનુકૂળ કરવાની તાકાત પ્રભુ તારામાં છે. પ્રભુ ! તારા પ્રભાવથી બધું જ બરાબર થઈ જશે, દેવચંદ્રજી આદિએ પણ મોક્ષની પ્રાપ્તિમાં પ્રબળ કારણ તરીકે પરમાત્માને જ વખાણ્યા છે. મોક્ષની પ્રાપ્તિનો યોગ શરમાવર્તિમાં બતાવ્યો છે. તે અતિશય પુણ્યનો ઉદય છે. ખાલી અષ્ટપ્રકારી પૂજા કરવી એજ એક જિનોપાસના નથી. પણ દ્રવ્યપૂજા કર્યા પછી આ રીતે પરમાત્માની અવસ્થાઓ વિચારીએ એ ઉત્કૃષ્ટ જિનોપાસના છે. ગૃહસ્થ માટે દ્રવ્યપૂજા અનિવાર્ય છે. જે પરમાત્માને છોડી અન્યદેવો કે જે એના સેવકો છે, પટાવાળા તુલ્ય છે, એવા દેવ-દેવીઓની ભક્તિ કરે – તે પરમાત્માની શું આશાતના નથી ? એને પહેલી દષ્ટિ કહી શકાય ? એ પહેલી દષ્ટિમાં પણ નથી. દેવ-દેવીની ટીકા કરવી એ ધર્મીનું કામ નથી. તેઓને છંછેડવાના નથી. દેવ-દેવીના પૂજન સિદ્ધચક્રપૂજનમાં પણ આવે છે. પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાની સ્તુતિ આવે છે. દેવતત્ત્વ અનુકૂળ બને, પ્રતિકૂળ ન બને, વિદનભૂત ન બને, તે માટે આ વિધાન છે. ઉચિત બધું કરવાનું, અન્યદેવોને પણ બળી-બાકળા આપવામાં આવે છે. પણ તારક તીર્થંકર પરમાત્માથી અધિક તો આમાંથી એકને પણ માની શકાય નહીં.... જેઓ દેવ-દેવી પાસે બે કલાક અને પરમાત્મા પાસે પા કલાક ઊભા રહેતા હોય તો પ્રશ્ન થાય છે કે શું આ જીવો પહેલી દષ્ટિ પામ્યા હશે? ધરણીધરના દહેરાસરમાં પદ્માવતી - ઘંટાકર્ણ પાસે ઊભા રહેનારા કેટલા ? એટલા પરમાત્મા પાસે ઊભા રહેનારાઓ છે ? જગતમાં આપે તો દેવ દેવીઓ જ આપે છે. આવી વાત બેસી ગઈ છે. તેમને પરમાત્માથી અધિક માનવા એ પાપોદય ન કહેવાય ? પરમાત્માથી અન્યદેવને અધિક માનવા એ પરમાત્માની આશાતના નથી ? સાધર્મિક છે, સાધર્મિકને તિલક કરવાનું હોય, હાથ જોડવાના હોય, રાજા કરતાં મંત્રીને વધારે માન અપાય ? એક વખતની વાત છે. રાણી વિક્ટોરીયાનો જન્મદિવસ હતો. ભારતના ભિન્ન ભિન્ન રાજાઓ ભટણા લઈને ત્યાં ગયેલા, અને ભેટશું આપીને પાછા વળતાં એક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy