SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થાત્રિક ૮૧ મહાવીરનું જીવન ચરિત્ર સાંભળીએ છીએ, તેનું ચિંતન વધારો. ભગવાનની માતાત્રિશલાનો વિચાર કરો, ભગવાનને મળેલા ગોશાળાનો વિચાર કરો એ બધી અવસ્થાના ચિંતનમાં પરમાત્માનું જ ચિંતન છે. (૨) બીજી પદસ્થ અવસ્થા : પરમાત્માની ચિંતવી શકાય છે. પરમાત્મા કેવળજ્ઞાન પામે ત્યારથી પદસ્થ અવસ્થા શરૂ થાય છે, તે યાવત્ નિર્વાણ ન પામે ત્યાં સુધી હોય છે. તેમાં જઘન્યથી ક્રોડ દેવતાઓ પ્રભુની સેવામાં હોય છે. પ્રભુનું કેવળજ્ઞાનદિવ્યજ્ઞાન, સમવસરણની ભવ્યરચના, તેમાં બેસીને ૩૫ ગુણયુક્ત દેશના, સંશયછેદિની વાણી, ૧૨ પર્ષદા, સોને પોત-પોતાની ભાષામાં સમજાય, છત્ર-ચામરાદિ અષ્ટ પ્રાતિહાર્યની સેવા, પ્રભુ વિચરે ત્યારે નવકમલની રચના, કુદરત અનુકૂળ, કાંટા ઊંધા થાય, પંખી પ્રદક્ષિણા કરે, છએ ત્રદ, ફળ, મારી-મરકી રોગો નાશ પામે, વેર-વિરોધ નાશ પામે વિગેરે ચિંતવતા આવડે તો પરમાત્માની મહાન ઉપાસના થઈ શકે. પ્રભુએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યા છે – આત્માનું સ્વરૂપ સમજાવ્યું, સંસારનું સ્વરૂપ સમજાવ્યું, વિષય અને કષાયનું સ્વરૂપ સમજાવ્યું. તેનાથી થતી નાલેશી સમજાવી, શાસનની સ્થાપના કરી, મોક્ષમાર્ગ બતાવ્યો, તત્ત્વત્રયી બતાવી, અપૂર્વ આલંબન પ્રભુ આપી રહ્યા છે. પ્રભુના નામનો જાપ-સ્મરણ, એ પણ પદસ્થ અવસ્થામાં આવે, નવકારના અક્ષરોનું ચિંતન-ધ્યાન, પરમાત્માની આજ્ઞાનું પાલન પણ પદસ્થ અવસ્થા છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી પરમાત્મા જગતના જીવો ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે. (૩) ત્રીજી રૂપાતીત અવસ્થા : પ્રભુ સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધપણાને પામ્યા તે પ્રભુની રૂપાતીત અવસ્થા છે. રૂપાતીત અવસ્થા એટલે પ્રભુ દેહના બંધનમાંથી, સંસારના બંધનમાંથી, કર્મ માત્રના બંધનમાંથી મુક્ત થયા. સિદ્ધાવસ્થા પામ્યા. મેરૂની જેમ સર્વ પ્રદેશો - અસંખ્યઆત્મપ્રદેશો નિશ્ચલ થયા. નિરાવરણ થયા. વિનાશી જ્ઞાન અવિનાશી બન્યું. ઉપયોગ અવિનાશી બન્યો. આત્મપ્રદેશો સ્થિરત્વ પામ્યા. આજે એના પ્રતિક રૂપે પરમાત્માની મૂર્તિ છે સ્થિર છે. કાયોત્સર્ગ મુદ્રામાં મૂર્તિ છે. અથવા પદ્માસન અવસ્થામાં મૂર્તિ છે. તીર્થકરો આ બે અવસ્થામાં સિદ્ધ થાય છે. પરમાત્માના અસંખ્યપ્રદેશો પરમસ્થિરતા પામ્યા, અને ઉપયોગ અવિનાશી બન્યો. જ્યારે આપણા આત્મપ્રદેશ અસ્થિર છે, ઉપયોગ વિનાશી બન્યો છે. અસ્થિરતાને કારણે આકાશપ્રદેશો બદલાય છે. આપણું ઉપયોગનું વિનાશીપણું એવું છે, કે જ્ઞાન ભણો, ભૂલો, પાછા ભણો, પાછા ભૂલો, આવી દશા આપણી છે. જીવે મેળવ્યું કેટલું ? તો અનંતુ, ગુમાવ્યું કેટલું? તો અનંતુ, જાણ્યું અને ભૂલી ગયો. ભેગું કરી કરીને અંતે છોડી જ દેવાનું હોય, જાણી જાણીને ભૂલી જ જવાનું હોય તો તેનો મતલબ શું ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy