SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ યોગદષ્ટિનાં અજવાળાં ભાગ-૨ આવ્યા. વિશ્વના સર્વ જીવોને તે વખતે શાતાનો અનુભવ થયો આપે પૂર્વના ત્રીજા ભવમાં “સવિજીવ કરું શાસન રસી”ની ઉચ્ચતમ ભાવના અને કરૂણાથી પ્રેરાઈને વિશ સ્થાનક તપ સહિત અભુત સાધના કરીને તીર્થકર નામ કર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય લઈને માતાના ગર્ભમાં આવ્યા... ઈન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય.. ૫૬ દિકુકમારીઓના આસનો કંપે. તેઓ જન્મસમયે આપના ઘરે આવે.. આપની અને માતાની ભક્તિ કરે... આ જગતમાં એવી કોઈ સ્ત્રી નથી. જેને પ્રસૂતિ સમયે દેવીઓ આવી હોય ! એક આપ જેવા પનોતા પુત્રની માતાનું જ આ સૌભાગ્ય છે. ૬૪ ઇન્દ્રો, કરોડો દેવતાઓની સાથે મેરૂશિખરે આપનો જન્માભિષેક કરે છે. છતાં આપ મહાવેરાગી. અભૂત પુણ્યના સ્વામી છતાં અભૂત કોટિનું આપનું જીવન !! ત્રણ જ્ઞાન સહિત ગર્ભમાં આવ્યા.. આપની અભૂત આત્મજાગૃતિ. વગેરે ચિંતવતા ધ્યાનનો અભ્યાસ પડે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયને કદાચ ચિંતવતા ન આવડે. પણ પ્રભુની અવસ્થા ચિંતવતા ન આવડે? એ તો આવડે એવું છે. ધ્યાન માટે આ ચિંતવન બહુ સારું પડે. એ ચિંતવતા રોજ ૨-૩ કલાક સહેલાઈથી ક્યાં નીકળી જાય તેની ખબર ન પડે. આવું કરતાં પરમાત્માનો રાગ પરાકાષ્ઠાનો બને, ક્ષયોપશમ વધી જાય અને ગ્રન્થિભેદ કરી જીવ સભ્યત્વ પણ પામી જાય... દક્ષિણાર્ધ-ભરતમાં જન્મેલા ભગવાનને ઇન્દ્રો મેરૂપર્વત ઉપર લઈ જાય છે. સૌધર્મેન્દ્ર ભગવાનને ખોળામાં લે છે. પણ પહેલો અભિષેક અય્યતેન્દ્ર કરે છે. અત્યારે અમ્રુત દેવલોકનો ઇન્દ્ર સીતાનો આત્મા છે. ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. તેટલા કાળમાં જેટલા તીર્થકરો જન્મે તેનો પહેલો અભિષેક સીતેન્દ્ર કરે છે. પછી બીજા ઈન્દ્રો અભિષેક કરે. ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવે છે. વગેરે ઘણું ઘણું ચિંતન કરી શકાય છે. (a) રાજ્ય-અવસ્થા : પ્રભુ આપની રાજ્યવસ્થા પણ કેવી અદ્ભુત ! આપની પ્રત્યેક પ્રવૃત્તિ લોકહિતકર જ હોય. સુંદર શુદ્ધ રાજનીતિનું પ્રવર્તન હોય, જ્યાં લોકોનું કલ્યાણ જ થાય... લગ્નાદિ કાર્યોમાં પણ આપનો અનાસક્ત ભાવ તરવરતો હોય ! ઊંચા વૈભવોમાં પણ આપ નિર્લેપ. જલકમલવતુ આપનો સંસાર કાળ, વૈરાગ્યસભર આપનું જીવન, ઝળહળતો વૈરાગ્ય.. (૪) શ્રમણ-અવસ્થા : સગા-સ્નેહી-સંબંધી-માતા-પિતા-ભાઈ-ભગીની વગેરે સંસારના બંધનોને છોડી પ્રભુ ચારિત્ર લે છે. અપ્રમત્ત ભાવે ચારિત્રનું પાલન કરે છે. નવ લોકાંતિક દેવોનું આગમન, ૧ વર્ષ સુધી રોજ એક કોડ આઠ લાખ સૌનેયાનું દાન દીક્ષાનો ભવ્ય વરઘોડો, ઈન્દ્રો અને દેવતાઓ વરઘોડામાં આવે. સ્વયં પંચમુષ્ટિ લોચ, પંચ મહાવ્રતનો સ્વીકાર, ઉપસર્ગો અને પરીષહોની સામે અડોલ, ચિત્તમાં કોઈ ખેદ-દુઃખ નહીં, ઘોર તપ, ૧૨ા વર્ષમાં પલાંઠી મારીને બેસવાની વાત જ નહીં. કાયોત્સર્ગ ધ્યાનમાં રાત-દિવસ પસાર કરવાં.... વિગેરે કલ્પસૂત્રમાં પરમાત્મા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy