SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થાત્રિક ડોક્ટરો ઓપરેશન માટે આગ્રહ કરે છે. તે સાફ ના પાડે છે. ડોકટરો ચેલેન્જ ફેંકે છે, તમે શ નહીં બતાવી શકશો. એમ કરતાં બીજા દિવસના ૧૧ વાગ્યા. પણ દુખાવામાં કંઈ જ ફરક નથી. કે. લાલ કહે છે કે મેં સાથીદારોને કહ્યું, તમે મને સંગીત સંભળાવો, સંગીત સાંભળતાં શક્તિસંચાર થયો. સ્ફતિ આવી. એમ કરતાં ૧૨ વાગ્યા.પબ્લીક ફલ... મેકઅપ કર્યા વિના કે. લાલ સ્ટેજ ઉપર આવી ગયા. કાર્યક્રમ શરૂ કર્યો. ધીમે ધીમે હુર્તિ આવતી ગઈ, શો પૂરો થયો, પાંચ ડોક્ટરો બેઠેલા જ હતાં, કે અધવચમાં જ કે. લાલ ને કંઈ થઈ જશેપણ શો પૂર્ણ થયો, સફળ થયો. ડોક્ટરે તપાસ કરી, આંતરડું ઓગળી ગયું હતું. ડૉક્ટરને પૈસા આપે છે, ડૉક્ટર પૈસા નથી લેતાં, ડૉક્ટરો કહે છે કે આ જગતમાં પરમાત્મા છે. તે શ્રદ્ધા તમે અમને આજે કરાવી છે. આ જગતમાં જે થાય છે તે પરમાત્માનો પ્રભાવ છે. આવતીક્ષત્તિનુત્તા દિ તે માવંતો વાયરા” એમની શક્તિને ઝીલવાની છે. પરમાત્માની કૃપા વરસી રહી છે, એ વાત સાચી.. પણ પરમાત્માની કૃપા આપણે ઝીલતાં નથી receptivity વધવી જોઈએ. તો result દેખાય. પ્રભુની અમાન-સમાન કરૂણાનો અખ્ખલિત ધોધ વહી રહ્યો છે. આપણું પાત્ર સીધું બને, આપણું પાત્ર ચા બને, આપણું પાત્ર સન્મુખ બને, તો કામ પતી જાય. પરમાત્માની કૃપા ઝીલી ક્યારે કહેવાય? તમારો કષાયનો રસ દિન-પ્રતિદિન ઘટવો જોઈએ, કષાયરસ ઘટે તો જ ઉપશમરસ વધે છે, ઉપશમ રસ વધતાં ભાવનરસ વધતો જાય છે. જેનામાં કષાય રસ ઘટતો નથી તેઓ પરમાત્માની કૃપા ઝીલતાં નથી. અચરમાવર્તમાં પરમાત્માની કૃપા પડતી નથી. ચરમાવર્તમાં જ પરમાત્માની કૃપા પડે છે. કષાયો ઘટે તો જ આત્મા પરમાત્માની કૃપા ઝીલી શકે છે. તમે તમારા બધા કામો પરમાત્મા ઉપર સોંપી દો, આપત્તિમાં પરમાત્માનું શરણું લેતાં શીખી જાવ... જે કાર્ય ઘણી મહેનતે પણ ન થાય તે કાર્ય સહેલાઈથી થઈ જાય છે. આ અનુભવની ચીજ છે. અવસ્થાત્રિક પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે પહેલી દષ્ટિમાં રહેલો યોગી યોગબીજોને ગ્રહણ કરે છે. તે સંશુદ્ધ યોગબીજોને ગ્રહણ કરે છે. પ્રથમ તો જિનોપાસના એ જ ઉત્કૃષ્ટ યોગ બીજ છે. સાધક પરમાત્માના ઉપકારને સતત વિચારમાં લાવે છે. પરમાત્માની અવસ્થાઓ વિચારવી જોઈએ. ચૈત્યવંદન ભાષ્યમાં ૧૦ ત્રિકમાં અવસ્થાત્રિકનું ચિંતન કહ્યું છે. (૧) પિંડ અવસ્થા, (૨) પદસ્થ અવસ્થા અને (૩) રૂપાતીત અવસ્થા - ત્યાં પિંડ એટલે પ્રભુનો દેહ, પરમાત્માના દેહને આશ્રયીને જે અવસ્થાઓ છે – તે પિંડસ્થ અવસ્થા. એટલે પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી માંડીને કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધીની જે વિચારણા તે પિંડસ્થ અવસ્થા છે. એ શ્રેષ્ઠ જિનોપાસના છે. આ પિંડસ્થ અવસ્થા ૩ રીતે વિચારી શકાય છે. () જન્મઅવસ્થા: હે પ્રભો ! આપ ૧૪ સ્વપ્નથી સૂચિત માતાના ગર્ભમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy