SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ આધ્યાત્મિક પ્રભાવ આત્મા ઉપર પડેલો હોવો જોઈએ. “જેને પોતાની જાતની નિંદા કરતાં આવડે, અને પરમાત્માના ઉપકાર જોતાં આવડે... જગતમાં પરમાત્માથી શ્રેષ્ઠ કોઈ નથી. અને મારાથી અધમમાં અધમ કોઈ નથી..” આવું આવડે તો ભાવનરસ પ્રાપ્ત થાય... તમે સામાયિક કરો છો ? સામાયિકનું ટાઈમટેબલ ગોઠવી દો... ૭. એક સામાયિકમાં આત્માની નિંદા-ગર્હા કરો. એક સામાયિકમાં પરમાત્માના ઉપકારોનું સ્મરણ-વિચારણા કરો. એક સામાયિકમાં વાંચન-શ્રવણ-મનન જે કરવું હોય તે કરો. આવી સાધના જીવનમાં કરવા જેવી છે. અહંકારી પોતાની નિંદા-ગર્હ કરી શકતો નથી. જેનો અહંકાર મજબૂત છે તે શાસ્ત્રો ભણે, તત્ત્વની વાતો કરે, તોય અહંકાર ઓગળે નહીં... કોઈ પણ રીતે કઠોર કાળજું પીગળવું જોઈએ. પછી કોઈ પણ યોગ દ્વારા આગળ વધી શકો છો. પરમાત્માના વિષયમાં કે. લાલની માન્યતા કે. લાલ જાદુગર છે. બધાએ તેને પુછ્યું કે તમારી પાસે આટલી બધી શક્તિ છે !! જે ન હોય તે બધું લાવીને ત્યાં મૂકી દો છો, અને ત્યાં જે હોય તે બધું ગુમ કરી દો છો... તો તમે પરમાત્માને માનો છો કે નહીં ? કે. લાલ કહે છે... આ જગતમાં જગનિયંતા પરમાત્મા એ જ સાચો છે, અમે તો નકલ છીએ. એ કિરતારના આધારે અમારી બાજી ચાલે છે. અમે જે કરીએ છીએ તેમાં પરમાત્માની કૃપા થઈ છે, માટે કરી શકીએ છીએ. પરમાત્માની કૃપા વગર હું જાદુ બતાવી શકું તેમ નથી. તેના જીવનમાં બે પ્રસંગ બન્યા છે. તે કહે છે કે (૧) એકવાર મુંબઈમાં હું લેડી કટીંગનો દાવ બતાવતો હતો... ત્યાં મારી આંખ સામે મને તેજોમય મૂર્તિ દેખાઈ... અને મને અનિષ્ટ કંઈ દેખાવા લાગ્યું... મને કોઈ સંકેત કરીને કહી ગયું... પછી મેં જોયું... તો મારા અત્યંત વિશ્વાસુએ મને દગો દીધો હતો. તેણે બધા બોલ્ટ ઢીલા કરી નાંખ્યા હતાં, હાથમાં કરવત લીધી પણ કે. લાલ વિચાર કરે છે... આજે ત્રણમાંથી કોઈની હત્યા થઈ જાત અને કે. લાલની અસ્મિતાનો અંત આવી જાત, પણ બચી ગયો... (૨) એકવાર જાપાનમાં ‘ચેરીટી શો’ ગોઠવેલો... તેમાં સામાન્ય રકમને લઈને બાકીનાની ચેરીટી કરવાની હતી. બરાબર ૧૨ વાગે શો કરવાનો હતો. અને આગલે દિવસે રાત્રે ૯ વાગે મને પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો. ચેન ન પડે. આકુલવ્યાકુલતા વધી ગઈ... બેસાય નહીં, સુવાય નહીં, ડોક્ટર બોલાવ્યા. એપેન્ડીક્ષનો દુખાવો... આંતરડાનું તત્કાલ ઓપરેશન કરવું પડશે. ત્યાં પોતે વિચારે છે કે મને આટલો ખર્ચ કરીને લાવ્યા, ધર્માદાની રકમ, જાદુ ન બતાવું તો બધું નકામું જાય... મારે ઓપરેશન તો આજે કોઈ પણ રીતે કરાવવું નથી. પગ લથડીયા ખાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy