SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માની ભક્તિથી આપત્તિ ટળી કર્મયોગ છે. (૧) મલ શેનાથી બંધાયા છે ? અનંતકાળમાં આ જીવે વેષયિક સુખના પાપે સુખની ઇચ્છાએ અનેક જીવોને ત્રાસ આપ્યો છે. અનંત જીવોને વિડંબના આપી છે. અનંત જીવોને ક્લેશ આપ્યા છે. જીવોની હાય લઈને સુખ ભોગવ્યા છે. જીવોને ત્રાસ આપી આપીને દુર્જનતા ઊભી કરી છે. તેના કારણે અનંતાનુબંધી કષાય રૂ૫ મલ ઊભા કર્યા છે. હવે વધુ સજ્જન બને, બીજાને શાતા આપો.. એનાથી મલ દૂર કરી શકાય છે. કર્મયોગ એટલે દયા-દાન-સેવા-સહાનુભૂતિ-પરોપકાર દ્વારા મલ કાઢી શકાય છે. કર્મયોગ ધર્મનું મૂળ છે. પાયો છે. તેના વગર ધર્મ ન આવે... જો આ બધું નથી ગમતું તો મલ અકબંધ પડ્યા છે. મલ હોય તો દૂધપાક પચે ? ના, કર્મયોગ મલને દૂર કરે છે... (૨) અંતરાય કર્મ એ વિક્ષેપ છે.. સગા સંબંધી આવે તો તમે જિનવાણી છોડો છો? જિનવાણી કોઈ પણ સંયોગે છોડાય નહીં. પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા રાખો. પરમાત્માની કૃપાથી બધું જ સારું થશે. અને જે કાર્ય સિદ્ધ નથી થતું, તે તમારા અંતરાયો છે. પરમાત્માની ભક્તિ કરવાથી અંતરાયો તૂટે છે. પરમાત્માની ભક્તિ કરવાથી જે અંતરાયો તૂટે છે, તેવા આ જગતમાં કોઈની સેવાથી ન તૂટે.. કોઈની ગુલામી કરવાથી અંતરાયો તૂટતા નથી. આજ સુધી જે અખતરા કર્યા છે તે બધા ખતરા રૂપે પુરવાર થયા છે. હવે હું કહું એમ કરો – ૪ કલાક પરમાત્માની ભક્તિ - પૂજામાં આપો. ૨ કલાક જિનવાણીના શ્રવણ-મનનમાં... ૨ કલાક સામાયિકમાં આપો. ૧ કલાક વેપાર-ધંધામાં આપો. અંતરાય કર્મ પરમાત્માની ભક્તિ અને સાધુ સેવાથી તૂટે છે. એકવાર કરી જૂઓ. મળવાનું હશે તો એક કલાકમાં મળી જશે. પુણિયાને શું ગેરલાભ થયો ? પુણિયા શ્રાવકે આ નિયમ અપનાવ્યો હતો. તમે ૧૨થી ૨ બજારમાં જાવ, અથવા ૧ થી ૩ બજારમાં જાવ... આમ પણ આજે ધંધામાં શું સારાવાટ છે ? બાકીના સમયમાં પ્રભુ-પૂજા વિગેરે આરાધના વધારી દો. આ તો બજારમાં જાવ છો, સમય બગાડો છો, ઊંધા ધંધા કરો છો, ૧૦૦ ના ૬૦ કરો છો અને ઉપરથી આર્તધ્યાન કરો છો. એક મહિનો આ રીતે કરી જૂઓ.... કદાચ ૧૨ મહિના ન જાવ તો વાંધો આવે એમ છે? એકવાર અખતરો તો કરી જૂઓ.. પણ જીવને શ્રદ્ધા જ નથી. જેની પાસે સંપત્તિ નથી, તેને શ્રદ્ધા નથી એવું નથી. પણ જેની પાસે છે તેને પણ શ્રદ્ધા નથી. પરમાત્માની ભક્તિ-ઉપાસના, ભાવન રસ પેદા કરવા માટે છે. ભાવનરસ પેદા કરતાં આવડે તો આપણે ભક્ત છીએ. નહીંતર આપણે પરમાત્માની ભક્તિ કરી નથી. વીતરાગ પરમાત્માના જ્ઞાનમાં આપણી યોગ્યતા પુરવાર થાય. આપણું ઊંચું મુલ્યાંકન થાય, એ જ પરમાત્માની રીઝ છે. પરમાત્માના મંદિરમાંથી નીકળ્યા પછી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy