SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ આત્મા કષાયરસમાં ઝીલતો હતો. તેથી પરમાત્માના કેવળજ્ઞાનમાં આકૃતિ બેડોળ પડતી હતી. ભાવનરસ સુધાર્યો એટલે પ્રભુના કેવળજ્ઞાનમાં આકૃતિ સુધરી... મુલ્યાંકન ઊંચું પડે છે. આપણે ભાવનરસ વધારતાં જઈએ. તેમ તેમ મુલ્યાંકન (યોગ્યતા) ઊંચું વધતું જાય છે. આ રીતે આ બન્ને હોડાદોડ કરે છે. જેમ ભકિતરસ વધતો જાય છે, તેમ સંસાર રસ નીચોવાઈ જાય છે. અને મોક્ષ ન થાય ત્યાં સુધી આ જગતમાં દેવપણું, રાજાપણું, ચક્રવર્તીપણું પામે છે... આ ચક્રવર્યાદિપણું જીવને કોણ આપે છે? કોઈ રાગીની તાકાત નથી કે તે આપી શકે ? એવો કોઈ પાક્યો નથી. અને રાગી આપે તો આમ મુઠ્ઠી ભરીને આપે તે આપ્યું ન કહેવાય... મુઠ્ઠીમાં આવે કેટલું ? રાગી આપે છે તે મારક બને છે. તારક ન બને. રાગથી મેળવેલું નીચોવી નાંખશે. છઠ્ઠીનું ધાવણ કાઢી નાંખશે. પરમાત્માની સાથે આ રીતે ભક્તિ રસ, ભાવન રસ ઉભો કરવાથી “હોડા દોડે રે બેઉ રસ રીઝથી” પરમાત્મા રીઝે છે. એનાથી ક્ષપકશ્રેણી વિતરાગતા, કેવળજ્ઞાન બધું જ આવી મળે છે. જિનની ઉપાસના એટલે પરમાત્માની સાથે ત્રણે યોગથી અભેદ રીતે ભક્તિ કરવાની છે. મનથી બીજું કંઈ વિચારવાનું નહીં. વચનથી બીજું કંઈ બોલવાનું નહીં. કાયાથી બીજું કંઈ કરવાનું નહીં. તો જિનોપાસના ઉત્કૃષ્ટ થાય છે. આવી ભક્તિના યોગે જે કાંઈ મળે છે તે અપૂર્વ મળે છે. પરમાત્મા શું આપે છે ? એની કલ્પના જ નથી. પરમાત્માની ભક્તિથી આપત્તિ ટળી વર્ષો પહેલાંની વાત છે. મુંબઈમાં શાંતાક્રુઝમાં એકભાઈ રહે. ધંધામાં બહુ મોટી ખોટ આવી.. દેવું ચૂકવે તેવી પરિસ્થિતિ નથી. કોઈ રસ્તો નીકળે તેવી સ્થિતિ નથી.. બાથરૂમમાં ગયો. મોરથુથું પાડ્યું. મોઢે માંડવા જાય છે ત્યાં અંદરથી વિચાર સ્ફર્યો. કે પહેલાં કુંથુનાથ ભગવાનની પૂજા કરી લઉં. પછી જે કરવું હોય તે કરીશ. ભગવાનની પૂજા ખૂબ કરી.. વિચારમાં ચઢ્યા, ભક્તિમાં ખૂબ લીન બન્યા પૂજારી પણ જોઈ રહ્યો છે. વિક્ષેપ કરનાર અંતરાય કર્મ તૂટવા માંડયા... પૂજા કરીને ઘરે આવ્યા. હવે શું કરવું? પૂજામાં આવેલો આનંદ વૃદ્ધિ પામ્યો. ત્યાં સામેથી ફોન આવ્યો. શા માટે ? પૈસા માટેનો... પહેલા પોતે ફોન કરતો.. પૈસા માંગતો. જેને જેને ફોન કરે તેની ના આવતી હતી. આજે સામેથી ફોન આવ્યો, જેટલા જોઈએ તે પૈસા લઈ જાઓ.. અંતરાય તૂટ્યા, દેવું ચૂકવ્યું.. બધું ક્લીઅર કટ થઈ ગયું.... ચાર ઘાતી કર્મોમાં મોહનીય કર્મ એ મલ છે. અંતરાયકર્મ વિક્ષેપ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ એ આવરણ છે. પેટનો મલ શેનાથી જાય ? મગના પાણીથી જાય. મોહનીયન મલ કાઢવા માટે કર્મયોગ છે. જીવોની સેવા, પરોપકાર, સહાનુભૂતિ, દયા, દાન આ બધું એ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy