SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ રાગી શું આપે ? અને કેટલું આપે ? શું આપે ? રાગી પાસે વધારે ? કે પરમાત્મા પાસે વધારે ? રાગી રીઝે ક્યારે અને આપે ક્યારે ? રાગીને રીઝવવો કઠીન, વીતરાગીને રીઝવવા સહેલા... રાગી રીઝે કે વીતરાગી-પરમાત્મા રીઝે ? આજ સુધી પરમાત્મા કંઈ આપતા નથી, એમ માનો છો એટલે જ આપણી પરમાત્માની ભક્તિમાં ભલીવાર નથી... ૭૫ રાગી એક તો આપે નહીં, અને આપે તો ડાહ્યો માણસ લે નહીં. અવળી ગંગા વહી રહી છે... રાગીની ઘણી ખુશામત કરો, એની પગચંપી કરો ત્યારે આપે છે. રાગી રીઝે તો આપે છે. આ ભવમાં પરમાત્માને રીઝવતાં શીખો તો આ ભવ જ નહીં પણ ભવોભવ સફળ થઈ જશે. અને પરમાત્મા આપે તો એવું આપે... કલ્પના બહારનું આપે છે, અચિત્ત્વ આપે, ભવાંતરમાં સદ્ગતિ આપે, સદ્ગતિની પરંપરા આપે, ફળ રૂપે મોક્ષ આપે... રાગી માંગ્યા કરતા ઓછું જ આપે, અને સામેથી અપેક્ષા રાખ્યા જ કરે, અને આપ્યા પછી ૫૦૦ને કહેતો ફરે ‘મેં આને આપ્યું' એમ કેટલાયને કહે. પરમાત્મા આપે ઘણું અને કોઈને કહે નહીં... આત્મા, પરમાત્માની કૃપાથી પરમાત્મા બની જાય છે. જરાય ઓછું ન આપે... આજનો શ્રીમંત-શેઠ, નોકરને નોકર જ રાખે કે શેઠ બનાવે ? આર્યદેશનો શેઠ ઇચ્છે કે મારો નોકર મારા જેવો શેઠ થવો જોઈએ. એવી તમારી ભાવના ખરી ? બે પૈસાની પણ ભાગીદારી નાંખો ખરા ? પરમાત્મા રીઝે છે... પરમાત્મા સાક્ષાત્ આપે, હાથો હાથ આપે એ રીઝ નથી... પણ પરમાત્માની ભક્તિથી જેમ જેમ ભાવનરસ ઊભો થાય છે, તેમ તેમ પરમાત્માના જ્ઞાનમાં આપણું ઉંચુ મુલ્યાંકન ઉભું થાય છે. એજ પારમાર્થિક રીઝ છે. એક શેઠ છે... પાંચ નોકર છે. તેમાં એક નોકર સ્પૃહા વિનાનો છે. શેઠ કહે તે બધું જ કરે, અને પગાર પણ માંગે નહીં... બીજા ચાર સ્પૃહાવાળા છે. કામ બરાબર કરે નહીં અને માંગ માંગ કરે, પાંચે નોકર ઉપર શેઠની નજર પડે... ત્યારે પેલા ચાર કામચોર નોકર ઉપર અને પેલા એક વફાદાર નોકર ઉપર નજર પડે તેમાં ફરક ખરો ને ? શેઠની એક ઉપર નજર ઠરે છે, તે જોઈ નોકરને થાય છે કે મારી કદર કરી ખરી, તો મારે વફાદારીથી વધુ સુંદર કામ કરવું જોઈએ. આની વફાદારી વધે તેમ શેઠના દિલમાં કદર-મૂલ્યાંકન વધે છે. આમ વફાદારી વધે છે. તેમ સામે કદર વધે છે. પરસ્પર કદર અને વફાદારી વૃદ્ધિ પામતાં પામતાં, પરસ્પર કદર-વફાદારી હોડાહોડ કરે છે. શેઠની કદર (મૂલ્યાંકન) અને નોકરની વફાદારીની હરિફાઈ ચાલે છે. આખરે શેઠને થાય છે કે હવે આ નોકર, નોકર ન રહેવો જોઈએ. મારે એને શેઠ બનાવી દેવો જોઈએ. દુકાનમાં ૫૦ ટકા ભાગ નાંખી દીધો... શેઠની કૃપાદૃષ્ટિથી તે શેઠ બની ગયો... સાધક આત્માએ વિચારવું જોઈએ કે મારા જીવનમાં આ રીતે પરમાત્મા સાથે ભાવન રસ વધારવો જોઈએ. પરમાત્મા સાથે ભક્તિ રસ વધારવો જોઈએ. રીઝ એટલે કે પરમાત્માના કેવળજ્ઞાનમાં આપણું ઊંચી કોટિનું મૂલ્યાંકન. અત્યાર સુધી આપણો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy