SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ એકવાર રાજા મળે છે. ઓહ ! આ તો મારો જીગરજાન દોસ્ત ! એ તો પરદેશ ગયો હતો ને ? અલા ! તારી આવી પરિસ્થિતિ ? આમ કેમ ? શું થયું ? પેલો કહે ભાગ્ય ઓછું, સફળતા મળી પણ ન મળ્યા જેવું થયું. બધી વાત કહે છે. બોલ, હું રાજા છું, તું માંગે તે આપું... કહે, શું આપું ? આપની કૃપા જોઈએ છે. પણ હીરા, પન્ના, માણેક, મોતી, હાથી-ઘોડા માંગ... ના, કૃપા જ જોઈએ છે. કૃપા એટલે શું ? તો જ્યારે રાજસિંહાસન ઉપર આપ બેસો, અને હું આવું ત્યારે, પ્રેમ નજરથી તમારે મારી સામે જોવું. અને નિકટના સ્નેહી જેવો વર્તાવ કરવો. બસ આજ કૃપા છે, અધ્યાત્મમાં કૃપા શું છે ? તે હવે જોઈશું. ૭૪ બીજે દિવસે શ્રેષ્ઠીપુત્ર રાજસભામાં આવ્યો. રાજા અતિનિકટના સ્નેહીની જેમ પ્રમોદથી તેની સામે જૂએ છે. અને ઈશારાથી નજીક આવવા કહે છે. આખી સભા તો જોઈ જ રહી... શેઠ પણ અતિગાઢ મૈત્રી હોય, અને ઘણા લાંબા વખતે મળ્યા, તેથી અત્યંત પ્રેમથી રાજાની પાસે જાય છે. અને કાનમાં કંઈ ગુચપુચ વાત જેવું કરે અને પછી બધાની સામે જુવે અને પછી બેસે... આવું તો ચાર-પાંચ દિવસ રોજ ચાલે છે. સભામાં બેઠેલા ભંડારી, કોટવાલ, લાંચરૂશ્વતીયા વિગેરે બીજા બધા જૂએ છે. ‘હંમેશા ચોરના પગ કાચા જ હોય છે.' આવા તો વીશ પચ્ચીશ માણસો હતાં. તેમના પેટમાં તેલ રેડાયું... તે બધા વિચારે છે કે આ તો રાજાને આપણું કંઈ કહેશે તો સંપત્તિ જશે અને મોતના ઘાટ પણ ઉતારી દેશે. એ બધા ભેગા થઈ હાથમાં હીરા-મોતી સોનાચાંદીના ભેટણા લઈ તેના ઘરે જાય છે. આમ એક દિવસ નહીં પણ રોજ જાય અને કંઈ ને કંઈ લઈને જાય છે. અને કહે કે તમે તો રાજાને નિકટના સંબંધી બનાવી દીધા છે. પણ જૂઓ ભાઈ ! અમારા માટે રાજાને કોઈ ગેરસમજ ઊભી નહીં કરતાં, પેલો કહે છે હું તમારા માટે કશું જ કહેતો નથી. મારા મનમાં એવું કંઈ જ નથી... પણ એમને વિશ્વાસ નથી આવતો. અવાર-નવાર ભેટણા લઈને આવે જ છે. અને શેઠનું ઘર ભરાઈ ગયું... આ કેવી રીતે બન્યું ? રાજાએ આમાં શું આપ્યું છે ? કંઈ જ નથી આપ્યું, છતાં રાજાએ આપ્યું છે. રાજાની કૃપાથી મળ્યું છે એમ જ કહેવાયને ? એક રાજાની કૃપાથી તેનું દારિદ્ર ફીટી જાય છે. તેમ પરમાત્માની કૃપાથી ભવોભવનું દારિદ્ર ફીટી જાય, તેમાં આશ્ચર્ય શું ? જ રાગી શું આપે ? અને કેટલું આપે ? રાગી કોઈ દિવસ કોઈને કશું આપે જ નહીં, અને આપે તો તેની પાસેથી સામે વિશેષ (વધુ) મળતું હોય તો આપે છે. અને એકવાર આપે પણ જો વિફરે તો, આપેલું પણ પાછું ખેંચી લે અને ઉપરથી ખાસડા મારે. રાગી પાસે શું છે ? ૨૫-૫૦ લાખ છે બસ, રાગી રીઝે તો પોતાની પાસે છે તે બધું આપી દે ? એવો કોઈ રાગી જોયો કે જે પોતાની ચિંતા કરે નહીં, અને જેણે બધું જ આપી દીધું હોય! એવો જોયો છે તમે ? અને રાગી પાસે જે છે તે ‘કંઈક' જ છે. વીતરાગી પરમાત્મા પાસે ‘બધું' જ છે. રાગી કંઈકમાંથી પણ કંઈક જ આપે છે. કરોડપતિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy