SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માની કૃપા શું છે ? ઊભો કર્યો છે. તેનાથી એ આત્માઓએ પરમાત્માની રીઝ મેળવી છે. “પરમાત્મા કંઈ આપે નહીં, પરમાત્મા કશું કરે જ નહીં, કારણ કે પરમાત્મા તો વીતરાગ - સર્વજ્ઞ છે એ કંઈ જ ન આપે” આ એક જ નયનું જ્ઞાન આજે આપણી પાસે છે. પરમાત્મા જગત કર્તા નથી, એવી એક જ સાઇડ સમજ્યા છીએ. બીજી સાઇડ છૂટી ગઈ છે. ઈશ્વર જગત્કર્તા નથી એ વાત ૧૦૦ ટકા સાચી છે. ન્યાયની દૃષ્ટિએ, વિશ્વવ્યવસ્થાની રીતે વિચાર કરતા પરમાત્મા જગતના કર્તા-હર્તા નથી, એ વિધાન સત્ય છે. પણ આ જગતમાં અધ્યાત્મ માર્ગે અહંકાર ઉતારી, જલ્દી આગળ વધવું હોય, તો પરમાત્મા જ બધું કરે છે. પરમાત્માથી જ બધું પ્રાપ્ત થાય છે. એમ માનવું એ અધ્યાત્મમાં શ્રેષ્ઠ વિકલ્પ છે... પરમાત્માની કૃપાથી જ થાય છે. પરમાત્મા ઉપર ટોપલો ઢોળી દઈને, ભક્ત હળવો બનીને, સર્વત્ર પરમાત્માની કરૂણાને જ જૂએ છે. અને જ્યાં નિષ્ફળ જાય, ત્યાં પણ પ્રભુ મારી કસોટી કરે છે અને જે થયું છે, તે મારા હિત માટે થયું છે એમ જ માને છે. પરમાત્માનો ભક્ત સારા નરસા પ્રસંગોમાં પરમાત્માની અચિન્ત્ય કૃપા-કરૂણા જૂએ છે. સભા-પરમાત્મા કંઈ કરતાં નથી, છતાં પરમાત્મા જ કરે છે. એ વાત કેવી રીતે સેટ થાય ? જૂઓ હંમેશા ‘સિદ્ધમ્ય ગતિશ્ચિંતનીયા' એક માણસ ખેડૂત છે. ખેતી કરવી છે. કૂવામાંથી ડોલો ભરી ભરીને પાણી ખેંચે છે... અને ખેતરમાં પાણી પાય છે. કેટલી ડોલો ખેંચશે ? ક્યારે પાણી પાશે ? એવામાં ઉપરથી વાદળ વરસે તો કેવી ખેતી થાય? પાક કેવો થાય ? તેમ પરમાત્મા બાદલ બનીને વરસે છે, અને આપણે જે કરીએ છીએ તે કૂવામાંથી પાણીની ડોલો ખેંચવા જેવું છે. પરમાત્માને સમજવા હૃદય જોઈએ છે. આપણી પાસે એ હૃદય નથી ૭૩ પરમાત્માની કૃપા શું છે ? એક રાજકુમાર છે. એને એક શ્રેષ્ઠી પુત્ર મિત્ર છે, બન્ને બાલ મિત્ર છે. લંગોટીયા ગોઠીયા છે. રાજકુમાર રાજા બને છે અને પેલો શ્રેષ્ઠીપુત્ર શેઠ બન્યો. શ્રેષ્ઠીપુત્રને પૈસા કમાવા પરદેશ જવાનું મન થયું. ઘર-બાર, ઘર-વખરી બધું વેચી, કરીયાણું લઈને, દરિયાઈ માર્ગે શ્રેષ્ઠીપુત્ર પરદેશ પહોંચ્યો. ત્યાં પુણ્યને અજમાવ્યું. બેસુમાર નફો થયો. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી... બધું પાછું લઈને ઘર તરફ આવવા નીકળ્યો. ધરતીનો છેડો ઘર" East or west home is best ઘરે ન આવે ત્યાં સુધી માણસને ચેન ન પડે, અધવચમાં વાવાઝોડું થયું... વહાણ તોફાને ચઢ્યું, વહાણો તૂટ્યા ને ડૂબ્યા, તે પણ ડૂબવા લાગ્યો. પુણ્યસંયોગે પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે દેશ તરફ સમુદ્ર કાંઠે આવ્યો. અત્યારે પાસે કશું જ નથી. સંપત્તિ બધી ચાલી ગઈ છે. નિરાધાર છે. કર્મના વિપાકને સમજનારો આત્મા છે. બધું મેળવ્યું અને ખોયું, છતાં ભાગ્યને માનનારો છે, તેથી લેશમાત્ર અફસોસ નથી. શાંતિથી - સમાધિથી રહે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy