SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ છે ? પરમાત્માને કેવળજ્ઞાન મેળવવું હતું. માટે ઉપસર્ગો- કષ્ટો સહન કર્યા એવું માનવું છે. પણ તમે વિચાર કરો. પ્રભુનું ચ્યવન, જન્મ કલ્યાણક તો ઉજવાઈ ગયું હતું. પ્રભુનાં અન્ય કલ્યાણક પણ થવાનાં જ હતાં... પ્રભુનું કલ્યાણ તો નિશ્ચિત હતું. પણ પ્રભુએ અમારા જેવા પાપીના ઉદ્ધાર માટે સહન કર્યું છે. ઓ પ્રભો! જો આપે ઉપસર્ગો-કષ્ટો સહન કર્યા ન હોત, કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોત ! તીર્થની સ્થાપના ન કરી હોત ! તો અમારા જેવા પામરનું શું થાત ? અમારા ઉપર ઉપકાર કોણ કરત ? અમારા અસ્તિત્વની પહેચાન અમને ક્યાંથી થાત ? ૭૨ આપણે માર ખાવાનો હોય અને આપણા માટે કોઈ બીજો તમાચો ખાય તો કેવી લાગણી થાય ? એમ પરમાત્માએ આપણા માટે સહન કર્યું છે. એ વાત સમજાય તો કેવા ભાવ આવે ? હે પ્રભો ! આજે જે કાંઈ પામ્યો છું, તે બધો તારો ઉપકાર છે... આ વાત ન સમજાય તે કેમ ચાલે ? જે ક્ષણે પરમાત્માના ઉપકારને ભૂલીશું તે તે ક્ષણે આત્મા ઉપર અહંકાર ચઢી બેસવાનો છે. પછી જિનોપાસના દ્રવ્યથી રહેશે, ભાવથી નહીં સ્પર્શે. આ જગતમાં જીવોનું સ્વરૂપ બતાવનાર કોણ છે ? એકેન્દ્રિયાદિ ભેદો, સૂક્ષ્મ-બાદર ભેદો, વિકલેન્દ્રિય, તિર્યંચ, દેવ, નારક વગેરે બતાવનાર, તથા એનું સ્વરૂપ, ગતિ-આગતિ કોણે બતાવી ? એટલું જ નહીં, પણ તેમાંથી બચવાનો ઉપાય-પણ પ્રભુએ બતાવ્યો તો આજે દયા પાળી શકીએ છીએ. નહીંતર શું કરત ? પરમાત્માના અનન્ય- અસાધારણ ઉપકારો યાદ આવે છે ? પરમાત્માના જેવા ઉપકાર કરવાની તાકાત આ જગતમાં કોઈની નથી. અન્યદર્શનકારો પાસે આવું જીવ-જ્ઞાન, આવું કર્મવિજ્ઞાન નથી. પરમાત્માએ ફકત સંસારનું સ્વરૂપ જ નથી બતાવ્યું, જીવનું સ્વરૂપ જ નથી બતાવ્યું. પણ તેના માટેના પાલનની વ્યવસ્થા પણ પ્રભુએ બતાવી છે. એક નયા પૈસા વિના શાંતિપૂર્વક અને નિર્ભય જીવન જીવી શકાય તેવો ચારિત્ર માર્ગ પણ બતાવી દીધો છે. જેનાથી લખલૂંટ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી શકાય છે. આ કંઈ પરમાત્માનો સામાન્ય ઉપકાર છે ? ગૃહસ્થ બે ઘડીનું સામાયિક મન મૂકીને કરે, સમતા ટકે તો દેવલોકમાં જાય... ૯૨૫૯૨૫૯૨૫, પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. દેવલોકના જંગી સુખો પ્રાપ્ત કરી શકે છે. જિનપૂજા એ સમ્યક્ત્વની વાનગી છે. સામાયિક એ સમ્યગ્ ચારિત્રની વાનગી છે. શું પરમાત્મા રીઝે છે ? સમય મળે ત્યારે ત્યારે, દ્રવ્ય-ભાવ ઉભયથી સામાયિક કરો... અને વેપારધંધામાં દ્રવ્યથી સામાયિક કરવાનો સમય ન મળે તો ભાવથી સમતા રાખી કરો... તો તે વખતે પણ શ્રાવક આયુષ્ય કર્મનો બંધ કરે તો દેવલોકનો બંધ કરે. તમે ભાવથી ભાવિત બનો. પરમાત્માની રીઝ પ્રાપ્ત થાય છે. “સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો” ભાવનરસ ઊભો કરવાથી આત્મા પરમાત્મા બની શકે છે. શ્રેણિક - કૃષ્ણ ભાવનરસ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy