SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા પ્રત્યે શ્રેણિકની ભક્તિ ૭૧ સ્નેહ કઈ રીતે ટકે ? જગતમાં પણ જેની સાથે સ્નેહ કરે છે, તે સામો સ્નેહ ન કરે તો આપણને ગમતું નથી. વળી આપના કોઈ સમાચાર મળે નહીં. ત્યાંથી કોઈ કાગળ આવે નહીં, અહીંથી આપની પાસે જે આવે છે તે પાછા અહીં આવતા નથી. આપનો સંદેશ કોઈ આપતું નથી. કોઈ રસ્તો-માર્ગ તે તરફ જતો નથી. પ્રભો ! આવો એક પાક્ષિક પ્રેમ કઈ રીતે કરવોઘોડાઓની રેસમાં ઘોડાઓ હરિફાઈમાં એવા દોડતા હોય છે, કે પોતાના ઉપર બેઠેલા સવારની પણ ખબર નથી રાખતો. પણ દોડે જ જાય છે. તેમ વીતરાગતાના પુરમાં આપ વહી રહ્યા છો... અમારી ભક્તિ આપને નજરમાં નથી આવતી... કવિ હવે કહે છે – ભક્તિમાં રૂબરૂ આવીને મળવાની કંઈ જરૂર નથી. પરમાત્માની સાથે પ્રીત કરવી છે ? તો ભાવનરસ ઊભો કરી દ્યો. “રસ હોય તિહાં દોય રીઝેજી પરમાત્માની સાથે ભાવનરસ ઊભો કરવો એ શ્રેષ્ઠ ભકિત છે. વસ્ત્રની થપ્પી કરીએ... અને તેના ઉપર કસ્તુરી મૂકીએ તો તે સુવાસ સર્વત્ર - પડે પડમાં પહોંચી જાય છે. પછી ગમે ત્યાંથી વસ્ત્ર સુંઘીએ તો કસ્તૂરીની સુવાસ આવી જાય છે. તેમ આત્મા ભાવુક દ્રવ્ય છે. પરમાત્માની ભક્તિથી જ દિલ ભાવિત હોય, દિલનો ખૂણે ખૂણો ભક્તિથી વાસિત હોય, ઉપયોગ પરમાત્મમય બની જાય છે. ત્યારે વિષયનો રસ એટલો બધો નિરસ થઈ ગયો હોય છે, કે વિષય સામે આવે તો ય તેમાં રસ નથી, કેમ કે પરમાત્મામાં ઉપયોગ સ્થિર થઈ ગયો છે.... અંતે કરી કરીને તો આજ કરવાનું છે... પરમાત્માની ભક્તિમાં રોમરાજી ઉલ્લસિત થઈ જાય.... ચિત્ત એમાં જ ઠરે, ભાવનાથી ભાવિત થયા વિના શુભ સંસ્કાર, શુભાનુબંધ વિશિષ્ટ કોટિના થાય નહીં. આજ સુધી આપણે જે કાંઈ ધર્મ કર્યો છે. અને કરીએ છીએ તે સંસારથી ભાવિત, વિષયથી ભાવિત, કષાયથી ભાવિત થઈને જ કર્યો છે. આજે આપણે માનથી ભાવિત થયેલા જ છીએ, તેથી અપમાન વખતે આપણને દુઃખ થાય છે. પરમાત્માને દીક્ષા પછી અનેક અપમાનના પ્રસંગો આવ્યા છે. પણ કષાય થયા નથી. કારણકે પરમાત્મા ઉપશમભાવથી ભાવિત હતાં. આપણે માનાદિ કષાયોથી ભાવિત છીએ. લોભથી વ્યાપ્ત છીએ. પાંચ લાખ જાય કે પાંચ લાખ મળે તો તેની અસરથી ભાવિત બનીએ છીએ. જે કષાયના ભાવોથી ભાવિત છે, તે ઉપશમભાવથી ભાવિત ન બની શકે. અને ઉપશમભાવથી ભાવિત ન હોય, તે પરમાત્માને પામી ન શકે. કોઈપણ કપાયભાવ પરમાત્મપ્રાપ્તિમાં બાધક જ બને છે, આત્માના ઘરમાં રહીને પરમાત્માને પામવાના છે. આજે આપણને પરમાત્માના દર્શનની કોઈ અસર જ થતી નથી. પરમાત્માના ઉપકારો સતત યાદ આવ્યા કરે, અંતરને એ ઉપકારો સતત ગદ્ગદ્ બનાવ્યા કરે, પરમાત્માના ઉપકારો જેમ જેમ ઘુંટાય તેમ તેમ ભાવિત થવાશે. પરમાત્માએ આટ-આટલા ઉપસર્ગો, પરિષહો, કષ્ટો વેઠયા, તેમાં આપણી શું માન્યતા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy