SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અધ્યવસાયોને અનુક્રમે સ્પર્શે છે. તેમાં જેટલો કાળ પસાર થાય. તે સૂક્ષ્મ ભાવપુદ્ગલપરાવર્ત થાય છે. અનંતા પુદ્ગલપરાવર્ત આપણા બધાના વીતી ગયા છે. હવે આપણા બધાનો મારો અને તમારો એક પુદ્ગલપરાવર્ત કાળ બાકી રહ્યો છે. અર્થાત્ આપણો બધાનો ચરમ પુદ્ગલપરાવર્ત કાળ છે. પણ બધાનો ચરમ પુદ્ગલપરાવર્ત સાથે ન આવે.... અનંતા પુદ્ગલપરાવર્તમાં કોઈને ક્યારે ચરમ આવે ને કોઈને ક્યારે ચરમ આવે... એ નિયત કાલમાન આપી ન શકાય. તથાભવ્યત્વના પરિપાકથી દરેક જીવોને પુદ્ગલપરાવર્તની સંખ્યા જૂદી જૂદી હોય છે. અને ચરમ પુદ્ગલપરાવર્ત પણ દરેકને જુદો જુદો હોય છે. સામાન્યથી બધા ભવ્યોનું ભવ્યત્વ સરખું હોય છે. પણ વ્યક્તિએ વ્યક્તિએ તથાભવ્યત્વ જુદું હોય છે. તથાભવ્યત્વ એટલે મોક્ષ પામવાની ચોક્કસ પ્રકારની યોગ્યતા - એ દરેક વ્યક્તિને જુદા જુદા કાળે પાકે છે. અને જુદા જુદા નિમિત્ત પામીને પાકે છે. જુદી જુદી આરાધના દ્વારા, કોઈને વહેલું તો કોઈને મોઢું તથા-ભવ્યત્વ પાકે છે. આપણા બધાનો અનંતકાળ ગયો છે. અનંત પુદ્ગલપરાવર્ત કાળ વીતી ગયો છે. હવે આપણે બધાને મોક્ષની ઈચ્છા થઈ છે. આપણને બધાને આત્મસ્વરૂપ ગમ્યું છે, તો છેલ્લો પુદ્ગલપરાવર્ત છે. ૮૬ જે કોઈ આત્મા અસંખ્યકાળ પહેલા મોક્ષે ગયા તેનો ચરમ પુદ્ગલ- પરાવર્ત ત્યારે પુરો થયો, સંખ્યાતકાળ પહેલા મોક્ષે ગયા તેનો ચરમ પુદ્ગલપરાવર્ત ત્યારે પુરો થયો... ચરમપુદ્ગલપરાવર્ત પહેલા મોક્ષની ઇચ્છા જીવને થતી નથી. મોક્ષની ઇચ્છા ચરમાવર્તમાં જ પ્રાપ્ત થાય છે. સંશુદ્ધ યોગબીજ પણ ચરમાવર્તમાં જ આરાધી શકાય છે. ચરમાવર્તના પ્રવેશની સાથે બધા જીવોને યોગબીજ પ્રાપ્ત થાય એવું નથી. પણ જેઓનું તથાભવ્યત્વ જ્યારે પરિપાક થયું હોય ત્યારે સંશુદ્ધ યોગબીજોને પ્રાપ્ત કરે છે. ચરમાવર્તમાં પુરુષાર્થથી તથાભવ્યત્વનો પાક થાય છે. અચરમાવર્તમાં તથાભવ્યત્વ અવિકસિત, અપક્વ હોય છે. તેથી ત્યાં તથાભવ્યત્વનો પાક ન થાય... દા.ત. કેરીનો નાનો મરવો... તેને ઝાડ પરથી ઉતારીને પકવો, ઘાસમાં નાખો, બીજા પ્રયત્નો કરો તો પાકે ખરો ? ન જ પાકે, તેના કરતાં અમુક રીતે પરિપકવ થયેલી કાચી કેરી ઝાડ પરથી ઉતારી ઘાસમાં નાંખો તો ઝાડ ઉપર પાકે તેના કરતા વહેલી પાકે છે ને?, તેવી રીતે તથાભવ્યત્વપરિપાક ચરમાવર્તમાં આવ્યા પછી જ થાય છે. તે પહેલાં તા નહીં જ... તથાભવ્યત્વનો પરિપાક કરી શકાય છે. શેનાથી ? પંચસૂત્રકાર કહે છે કે અરિહંતાદિ ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતોની ગર્લા-નિંદા, અને સુકૃતોની અનુમોદના કરવાથી તથાભવ્યત્વનો પરિપાક થતો જાય છે. તથાભવ્યત્વનો પરિપાક એ મિથ્યા ને અનંતાનુબંધીનો રસ, તથા તામસભાવ અને રાજસભાવની કટુતા દૂર કરે છે. એટલે કંઈક માધુર્યની પ્રાપ્તિ થાય છે. અત્યાર સુધી લેશમાત્ર મોક્ષની ઇચ્છા ન હતી. અહીં મોક્ષની ઇચ્છા, સ્વરૂપની ઇચ્છા થવાથી અને મિથ્યાત્વની હાનિ થઈ હોવાધી, માધુર્યની પ્રાપ્તિ થાય છે અને સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy