SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિકાસનાં પગથિયાં ૩૪૯ મેં મારા ભાઈને અન્યાય કર્યો છે. એને ન ખાવું ત્યાં સુધી ચેન નથી પડતું. મોક્ષે જવા માટે આવું મુલાયમ હૃદય બનાવવું પડશે. અહંકારને વાળીઝૂડીને સાફ કરવો પડશે. અહંકાર હોય તો ભૂલ સમજી શકાતી નથી. અન્યાય, અનીતિ, દુષ્ટતાના માર્ગે જાય તેને બચાવવો તે ધર્મીનું કાર્ય છે. ઉન્માર્ગે ગયેલો જાણ્યા પછી ઉન્માર્ગગામીને ત્યાંથી બચાવવો તે કર્તવ્ય બની જાય છે. જે રીતે બચે તે રીતે બચાવવો જોઈએ. “ભેંસનાં શીંગડાં ભેંસને ભારે” એનું પાપ એને માથે. આવી રીતે ઉપેક્ષા ન કરી શકાય. હ, એની અપાત્રતાનો ખ્યાલ ચોક્કસપણે આવે તો જુદી વાત છે, તો મનોમન પ્રાર્થના કરીને પણ એ જીવ પ્રત્યે soft corner રાખવી પડે. આ પ્રક્રિયા ન કરો તો વૈષ થઈ જવાનો સંપૂર્ણ સંભવ છે. સમકિતીની મનોભૂમિકા સ્થિરાદેષ્ટિની સઝાય. વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ ગુણ વિરતણો ન વિસારું... શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ જનિત પણ ભોગ બહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ વીરતણો ન વિસારું. સ્થિરાદેષ્ટિમાં પ્રત્યાહાર નામનો યોગ પ્રાપ્ત થાય છે. આથી તે આત્મા પાંચ ઇન્દ્રિયોના ૨૩ (૨૪) વિષયોના ૨૪૦ (૨પ૨) વિકારોથી અળગો રહે છે. શુભ-અશુભ; રાગ-દ્વેષ; સચિત-અચિત-મિશ્ર; વિકાર વર્ણ ૫ x ૨ x ૨ x ૩ = ૬૦ ગંધ ૨ ૪ - ૨ X ૩ = રસ (૬)પ × ૨ x ૨ x ૩ = (૭૨) ૬૦ સ્પર્શ ૮ X ૨ ૪ ૨ X ૩ = ૯૬ શબ્દ ૩ ૪ X ૨ x ૦ = ૧૨ (૨૪)૨૩, = (૨૫૨) ૨૪૦ ફરી ભોગવવાનું મન થાય તે વિકાર સમજવો – સમકિતીને પુણ્યથી મળતા ભોગમાં સુખબુદ્ધિ થતી નથી. به به له 0 * Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004611
Book TitleYogadraushtina Ajwala Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy