________________
દેહાત્માનો સંબંધ
લીલા નાળિયેરમાં ત્રણે વસ્તુ છે. રાગ-દ્વેષ એ પાણી છે. સંસારી જીવોનું પાણી સુકાયું નથી.
કોપરું એ આત્મા છે. એટલે ચૈતન્ય આત્મા દેહરૂપી કાચલીથી છૂટો પડ્યો નથી.
છાલ એ શરીર છે. દેહને કંઈ પણ થાય એટલે દેહ સાથે ચૈતન્યને પણ કંઈ કંઈ થઈ જાય છે.
ઘાતી ગયા એટલે રાગ-દ્વેષનાં પાણી સુકાઈ ગયાં. સિદ્ધાવસ્થા અશરીરી સ્વરૂપે છે તે અવસ્થા ગમાડવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થા સમજવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થાનો આનંદ સમકિતીને આંશિક હોય છે. સમ્યકત્વ થતાં આત્મા અંશે આત્મભાવ પામે છે. ઉપર ઉપરના ગુણસ્થાનકે અધિક અધિક આત્મભાવ પ્રાપ્ત થાય છે. પવનના ઝપાટાથી રેતીનો મહેલ જેમ વેરવિખેર થઈ જાય છે, તેમ આયુષ્યના ઝપાટાથી આ સંસાર અદશ્ય થઈ જાય તે પહેલાં સાધના કરીને ચાર પ્રકારના મોક્ષ મેળવવા જેવા છે.
(૧) સૌ પ્રથમ ગ્રન્થિભેદ કરીને સમકિત પામતાં દૃષ્ટિનું બંધન છૂટે છે. પહેલાં જે ઊંધું દેખાતું હતું તે હવે સવળું દેખાય છે. દષ્ટિમોક્ષ થાય છે. અહીં દષ્ટિ સ્વચ્છ બને છે. જીવ અંશથી આત્મભાવ પામે છે.
(૨) બારમા ગુણસ્થાનકે ક્ષીણ મોહ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં રાગમોક્ષ થાય છે.
(૩) તેરમે ગુણસ્થાનકે સયોગી કેવલીને અજ્ઞાનમુક્તિ છે.
(૪) ઉપયોગમુક્તિ થવા છતાં દેહનું બંધન છે માટે સિદ્ધોને પ્રદેશમુક્તિ મળે છે.
દર્શનમોહ અને, ચારિત્રમોહનો ઉદય જીવને કચડી રહ્યો છે. તેને પોતાના સ્વરૂપનું ભાન નથી રહેતું. એથી જ્ઞાન જડવત્ બને છે. ચારિત્રમોહનો ઉદય જીવને વીતરાગતા લાવવા દેતો નથી અને દર્શનમોહના ઉદયથી જીવને વીતરાગતા ગમતી નથી. ચિત્ ધાતુ છે. તેથી ચેતકતા, વેદકતા એ જીવનું સ્વરૂપ છે.
ચેતવું = જાણવું, વેદકતા = વેદવું દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયમાં પણ ચેતકતા, વેદકતા હોય છે પણ તે વિપરીત હોય છે. દર્શનમોહે આ વિપર્યાસ ઊભો કર્યો છે.
આનાથી અનંત આનંદ ગયો. સુખ-દુઃખ આવ્યું. જ્ઞાનના વિપર્યાસથી
Jain Education International 2010.05
For Private & Personal Use Only
www.jainelibrary.org