________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
અથવા માટીના માટલામાં કે એવા કોઈ પાત્રમાં રાખીને પછી બહારથી ચારે બાજુથી એને પહેલાં અને પછી તપાવવામાં આવે તો તે ઔષધિ ગુણ કરે છે. આવી રીતે ઔષધિ તૈયાર કરવાની રીતને “પુટપાક' કહેવામાં આવે છે.
ઇન્દ્રિયોના સુખોપભોગોનું પણ એવું જ છે. સુખ મેળવવા માટે માણસ દિવસ રાત કેટલી મથામણ કરે છે, કાળી મજૂરી કરે છે, થાકીને લોથ થઈ જાય છે ! વળી સુખ ભોગવ્યા પછી અસંતોષ, ગ્લાનિ, થાક, આતુરતા, અરતિ ઇત્યાદિ અનુભવે છે અને ફરી પાછો દોડાદોડ કરવા લાગે છે. અલ્પ સુખ માટે તે આગળપાછળ ઘણું કષ્ટ વેઠે છે. એનું સુખ “પુટપાક' ઔષધિ જેવું કષ્ટથી સભર છે. ભૌતિક વિષયોનું સુખ આવું છે. [૭૪૬] સવા યત્ર સ્થિત ષોઘઃ સ્વપ્રતિથિy
सुखानुभवकालेऽपि तत्र तापहतं मनः ॥६९॥ અનુવાદ : સુખના અનુભવના સમયે પણ જ્યાં સદા પોતાના શત્રુઓ (પ્રતિપંથી) વિશે લેષનું ચિંતન રહેલું છે ત્યાં મન તાપથી હણાયેલું (ઘવાયેલું) છે. ' વિશેષાર્થ : જીવ જ્યારે મન, વચન અને કાયાથી સાંસારિક સુખનો અનુભવ કરે છે ત્યારે પણ તેનું ચિત્ત વિવિધ પ્રકારના તાપથી એટલે કે સંક્લેશથી હણાયેલું હોય છે. સુખ પ્રાપ્ત કરવાનાં સાધનોની અનુકૂળતા અને પ્રતિકૂળતા તથા સંબંધિત વ્યક્તિઓની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશે એના ચિત્તમાં ગમા-અણગમાની, સ્વાર્થ, લોભ ઇત્યાદિ પ્રકારના રાગદ્વેષની પરંપરા ચાલે છે. પ્રાપ્તવ્યની પ્રાપ્તિ માટે પુરુષાર્થ અને પ્રાપ્ત થયા પછી એ સુખ કોઈ પડાવી ન જાય કે એમાં કોઈ અંતરાય ન નાખે એ માટે મનમાં ચિંતા હોય છે. સુખનાં વિરોધી સાધનો અને વ્યક્તિઓ (પ્રતિપંથીઓ) પ્રત્યે દ્વેષ-બુદ્ધિ એના સુખભોગમાં પણ સંક્લેશ કરાવે છે. એટલે અહીં દ્વેષ અથવા સંક્લેશ એ તાપરૂપ છે. આમ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા સાંસારિક સુખના ભોગવટામાં પણ ચિત્ત સ્વસ્થ અને શાન્ત રહેતું નથી.
[७४७] स्कंधात्स्कंधान्तरारोपे भारस्येव न तत्त्वतः ।
अक्षालादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ॥७०॥ અનુવાદ : વસ્તુતઃ એક ખભા (સ્કંધ) પરથી બીજા ખભા પર ફેરવવાથી જેમ ભાર દૂર થતો નથી, તેમ ઈન્દ્રિયોના આનંદ(અક્ષ-આહલાદ)માં પણ વસ્તુતઃ દુઃખનો સંસ્કાર નિવૃત્ત થતો નથી. ' વિશેષાર્થ : અહીં સંસ્કાર એટલે કોઈ એક વસ્તુ બની જાય તે પછી રહી જતી તેની અસર. એ માટે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ માણસ એક ખભા ઉપર ભાર ઊંચકે છે. પછી જ્યારે તે ખભો દુઃખવા આવે છે ત્યારે ત્યાંથી ભાર બીજા ખભા ઉપર મૂકવામાં આવે છે. એ વખતે પહેલા ખભા ઉપરથી ભાર ઊતરતાં હળવાશ અનુભવાય છે. રાહત લાગે છે. કંઈક સુખનો અનુભવ થાય એ ભારનો સંસ્કાર જે કષ્ટમય છે તે દૂર થયો નથી. તેવી રીતે સાંસારિક સુખમાં, એની પ્રાપ્તિ માટેનો
૪ર૭ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org