________________
પ્રબંધ ચોથો, અધિકારચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર
[૪૮] મારે ઘરે વારિ કૃતં યથા -
विनाशयेत्स्वं च घटं च सद्यः । असद्गृहग्रस्तमतेस्तथैव
श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥१४॥ અનુવાદ : જેમ કાચા ઘડામાં ભરેલું પાણી પોતાનો તથા ઘડાનો તત્કાળ નાશ કરે છે, તેમ જેની બુદ્ધિ અસદ્ગહથી ગ્રસ્ત છે તેને શ્રુતજ્ઞાન આપવાથી તે બંનેનો વિનાશ થાય છે.
વિશેષાર્થ : જે માણસ કદાગ્રહી છે તે સાચી વાત ગ્રહણ કરવા ઇચ્છતો નથી અને કરી શકવાનો નથી. આવા માણસને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો તેનું શું પરિણામ આવે ? કદાઝહરહિત માણસ
. શ્રુતજ્ઞાનથી એની પ્રજ્ઞા વિકાસ પામે છે. શ્રુતજ્ઞાન એના માટે ઉપકારક બને છે. એ જ્ઞાન એની ભવભ્રમણની પરંપરાને ઘટાડે છે. પરંતુ જે માણસ કદાગ્રહી હોય એને જો શ્રુતજ્ઞાન આપવામાં આવે તો એ શ્રતજ્ઞાનનો ઉપયોગ પોતાના કદાગ્રહના પોષણ અર્થે જ કરશે. એથી તો ઊલટું એને નુકસાન થશે. જો કોઈ પાકો ઘડો હોય અને એમાં નિર્મળ જળ ભરવામાં આવ્યું હોય તો જળ એમાં ટકી રહે છે અને એ જળ ઘડાને ઠંડક આપે છે. એ જળ બીજાની તરસ સંતોષે છે અને અન્ય રીતે પણ કામ લાગે છે. પરંતુ જો માટીના કાચા ઘડામાં પાણી ભર્યું હોય તો એ ઘડો થોડા વખતમાં ફસકી જશે. એથી ઘડો તો નષ્ટ પામે છે, પણ સાથે સાથે એમાં ભરેલું નિર્મળ નીર પણ ઢોળાઈ જાય છે અને તે કોઈને કામ આવતું નથી. તેવી રીતે કદાગ્રહી માણસને ભણાવેલું શ્રુતજ્ઞાન નિરર્થક નીવડે છે, એટલું જ નહિ, એ દ્વારા કદાગ્રહીની અવળી મતિ પોષાય છે અને એને કારણે એનું ભવભ્રમણ વધી જાય છે. એટલે કદાગ્રહીને શ્રુતજ્ઞાન આપવાથી અંતે તો એનું જ અહિત થાય છે. [૪૮૭] સાતત્તે: પ્રત્તે
हितोपदेशं खलु यो विमूढः । शुनीशरीरे स महोपकारी
कस्तूरिकालेपनमादधाति ॥१५॥ અનુવાદ : જેની બુદ્ધિ અસગ્રહથી ગ્રસ્ત છે એવાને જો કોઈ મૂઢ પુરુષ હિતોપદેશ આપે તો તે (ઉપદેશ) મહાઉપકારી હોવા છતાં કૂતરીના શરીર પર કસ્તૂરીનો લેપ કરે છે.
વિશેષાર્થ : જે માણસ અસદ્ગહથી ગ્રસ્ત થયેલો હોય તેને ઉપદેશ આપવો એ તો પથ્થર ઉપર પાણી ઢોળવા જેવું ગણાય. હિતબુદ્ધિથી કહેલાં વચનો પણ નિરર્થક નીવડવાનો સંભવ રહે છે. જ્યાં એવી ખાતરી હોય કે પોતાની મહેનત વ્યર્થ જવાની જ છે તો પછી ત્યાં એવી મહેનત કરવી તે તો મૂઢતા જ કહેવાય. સર્વ પ્રત્યે ઉપકાર કરવાના સ્વભાવવાળા કેટલાક મહાત્માઓ આવા કદાગ્રહી માણસોને સમજાવવા માટે હિતોપદેશનાં વચનો કહે છે, પરંતુ તે પણ વ્યર્થ જાય છે. અહીં દષ્ટાન્ત આપવામાં આવે છે કે શીતોપચાર માટે, ઔષધોપચાર માટે કે કેવળ દુર્ગધ નિવારવા માટે ચંદન, કસ્તૂરી વગેરેના
૨૭૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org