________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : નિનવવાદ એ જૈનોનો એક પારિભાષિક વિષય છે. શ્રી સ્થાનાંગસૂત્ર, આચારંગસૂત્ર, ભગવતીસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ ઇત્યાદિ જૈન આગમગ્રન્થોમાં સાત નિનવોના વિષયની પ્રરૂપણા કરવામાં આવી છે. એ સાત નિહનવોનાં નામ આ પ્રમાણે છે : (૧) જમાલિ, (૨) તિષ્યગુપ્તાચાર્ય, (૩) આષાઢાચાર્યના શિષ્યો, (૪) અશ્વમિત્રાચાર્ય, (૫) ગંગાચાર્ય, (૬) રોહગુપ્ત અને (૭) ગોષ્ઠા માહિલ.
આ નિનવો પોતાના કદાગ્રહ સિવાય અન્ય રીતે વ્રત, તપ, આચારશુદ્ધિ વગેરેમાં ઘણા આગળ વધેલા હતા, પરંતુ એમના કદાગ્રહને કારણે જ તેઓ પાછા પડ્યા અને ભવભ્રમણમાં દીર્ઘકાળ માટે અટવાયા. કહેવાનું તાત્પર્ય એ છે કે ચિત્તની નિર્મળતા અને સત્યનો સ્વીકાર એ સૌથી મહત્ત્વની વાત છે. મનમાં આંટી હોય તો સાચો બોધ થતો નથી. કદાગ્રહ છોડ્યા વિના વ્રત, તપ, જપ વગેરે આધ્યાત્મિક વિકાસમાં એટલાં સહાયભૂત થતાં નથી. એમાં દોષ કે અપરાધ વ્રત, તપ, જપાદિનો નથી, પણ અસગ્રહનો છે. [૪૮૧] સ્થાનં સ્વબુદ્ધિઃ સુપુર તા
रुपस्थिता काचन मोदकाली । असद्ग्रहः कोऽपि गले ग्रहीता
तथापि भोक्तुं न ददाति दुष्टः ॥९॥ અનુવાદ : પોતાની બુદ્ધિરૂપી થાળ છે. તેમાં સુગુરુરૂપી દાતાર દ્વારા કેટલાયે મોદકો પ્રાપ્ત થયા છે. પરંતુ ગળે લાગેલો કોઈક દુષ્ટ અસગ્રહ ભોજન કરવા દેતો નથી. ' વિશેષાર્થ : કદાગ્રહને લીધે કેટલીક ઉત્તમ જ્ઞાનપ્રસાદી ગ્રહણ થઈ શકતી નથી. એ માટે અહીં એક સરસ રૂપક પ્રયોજવામાં આવ્યું છે. પોતાની બુદ્ધિરૂપી મોટો થાળ છે. એમાં સુગુરુ ઉદારતાથી લાડુ ઉપર લાડુ ભાવથી પીરસે છે. થાળમાં લાડુ આવી ગયા છે. પણ એ જોવા માત્રથી થોડો સંતોષ થવાનો છે ? લાડુ તો ખાધાથી સંતોષ થાય. પરંતુ એ જ વખતે જો કોઈ આપણી ગળચી દબાવી રાખે તો મુખ આગળ આવેલો લાડુ પેટમાં થોડો જઈ શકવાનો છે? તો આ ગળું દબાવનાર કોણ છે ? એ છે અસગ્રહ અથવા કદાગ્રહ. આ હોય ત્યાં વસ્તુ ગમે તેટલી ઉત્તમ હોય તો પણ આપણને તે ગ્રહણ ન થવા દે.
અહીં જ્ઞાન ગ્રહણ થઈ શકે એવી પોતાની બુદ્ધિશક્તિ છે અને યોગ્યતા છે. વળી એ જ્ઞાન આપનાર પણ યોગ્ય અધિકારી સુગુરુ છે. તેઓ અત્યંત ઉદાર છે અને ભાવથી જ્ઞાનરૂપી પ્રસાદી આપી રહ્યા છે. છતાં પોતાના કદાગ્રહને કારણે તે ગ્રહણ થઈ શકતી નથી. જીવનવિકાસમાં, જ્ઞાનપ્રકાશમાં, આધ્યાત્મિક ઉન્નતિમાં પૂર્વગ્રહ, માનસિક ગ્રંથિઓ, અસગ્રહ કે કદાગ્રહ કેવાં અંતરાયરૂપ બની શકે છે તે આ રૂપક પરથી સમજી શકાશે. [૪૮૨) Tuસfશ્વયTTUTHW
गृह्णाति नासद्ग्रहवांस्ततः किम् । द्राक्षा हि साक्षादुपनीयमानाः
क्रमेलकः कंटकभुङ् न भुङ्क्ते ॥१०॥ અનુવાદ : અસગ્ગહી માણસ ગુરુએ પ્રસાદીરૂપે કરેલા અર્થને ગ્રહણ કરે નહિ તેથી શું થયું? કાંટાને ખાનારો ઊંટ, નજર સામે રાખવામાં આવેલી દ્રાક્ષ ખાતો નથી.
૨૬૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org