________________
અધ્યાત્મસાર
જનસાધારણના પણ કેટલાક ધર્મ હતા. સર્વ વર્ગ માટે એ હોવાથી એવા ધર્મો “સાર્વવર્ણિક ધર્મ તરીકે ઓળખાતા. એને માનવધર્મ તરીકે ઓળખાવી શકાય. અહીં જે દશ ધર્મ બતાવવામાં આવ્યા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહિંસા, સત્ય અને અસ્તેયને સૌથી મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વ્યક્તિગત અને સમાજગત જીવન માટે એ ધર્મો અત્યંત જરૂરી છે. રાજ્યવ્યવસ્થા અને ન્યાયતંત્ર માટે એ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. આ ત્રણ ધર્મ ઉપરાંત અકલ્પના (એટલે કે અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય પણ મહત્ત્વના સદ્ગુણો છે. તદુપરાંત અક્રોધ, ઋજુતા, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા (ગુરુ ભગવંત તથા વડીલોની સેવાચાકરી) એ પાંચ પણ મહત્ત્વના ગણાવવામાં આવ્યાં છે. આમ દશ પ્રકારનો ધર્મ બ્રાહ્મણ પરંપરામાં ભાગવતવાળા, પાશુપતમતવાળા તથા એમને અનુસરીને સાંખ્યમતવાળા વગેરે સર્વેએ સ્વીકાર્યો છે. પ્રાચીન કાળમાં ભારતીય જીવન-મીમાંસકોએ વ્યક્તિગત અને સમષ્ટિગત જીવન કેવી રીતે સુખી અને સુસંવાદી રહી શકે એની ગહન મીમાંસા કરીને આવા કેટલાક નિયમો તારવ્યા હતા. ભૌતિક જીવનને સુખી કરવા ઉપરાંત જીવ ક્યાંથી આવે છે અને મૃત્યુ પછી એનું શું થાય છે એ વિશે પણ ગહન તત્ત્વમીમાંસા તેઓએ કરેલી છે. આપણો આ પ્રાચીન ચિંતનાત્મક વારસો માનવજાત માટે અમૂલ્ય ગણાય એવો છે. [૩૪૧] હિંસા સત્યતૈિન્ય બ્રહ્મચર્ય તુરીયમ્ |
पंचमो व्यवहारश्चेत्येते पंच यमाः स्मृताः ॥१६॥ અનુવાદ : અહિંસા, સત્ય, અસૈન્ય, ચોથું બ્રહ્મચર્ય અને પાંચમો વ્યવહાર એ પાંચ યમ જાણવા.
વિશેષાર્થ : પાશુપત એટલે કે રુદ્રના મતવાળા નૈયાયિકો. તેઓ પાંચ યમ અને પાંચ નિયમમાં માને છે. ભાગવત મતવાળા પૌરાણિકો જેમ વ્રત અને ઉપવ્રત શબ્દો પ્રયોજે છે તેમ તૈયાયિકો યમ અને નિયમ શબ્દો પ્રયોજે છે. જેમ વ્રત મુખ્ય છે તેમ યમ પણ મુખ્ય છે. ભાગવતવાળાએ જે પાંચ વ્રત બતાવ્યાં છે તે જ પાંચને નૈયાયિકો યમ તરીકે ઓળખાવે છે. તેમાં ચોથા-પાંચમાના ક્રમમાં કદાચ થોડો ફરક જણાય. વળી અપરિગ્રહને માટે ભાગવતવાળાએ “અકલ્પના' શબ્દ પ્રયોજ્યો છે, તો તૈયાયિકોએ “વ્યવહાર' શબ્દ પ્રયોજ્યો છે, પરંતુ બંનેનો ભાવાર્થ લગભગ સરખો જ છે.
પ્રાચીન કાળમાં સદાચારના નિયમોમાં મુખ્ય અને ગૌણ એવા પ્રકારો પાડવામાં આવતા. વ્રત તે મુખ્ય અને ઉપવ્રત તે ગૌણ. તેવી રીતે યમ તે મુખ્ય અને નિયમ તે ગૌણ. કાયમ પાલન કરવાનું હોય તે યમ અને અમુક કાળ સુધી સેવન કરાય તે નિયમ એવી પણ એની વ્યાખ્યા કરાય છે. આ બધામાં પાંચ અને દસની સંખ્યા વધુ રૂઢ થયેલી જોવા મળે છે. [૩૪૨] અદાથી મુશુશ્રુષા શૌચમહારત્નાવવમ્ |
अप्रमादश्च पंचैते नियमाः परिकीर्तिताः ॥१७॥ અનુવાદ : અક્રોધ, ગુરુશુશ્રુષા, શૌચ, આહારલાઘવ અને અપ્રમાદ એ પાંચ નિયમ તરીકે ઓળખાય છે.
૧૮૬
Jain Education Intemational 2010_05
rational 2010_os
For Private & Personal Use Only
www.jainelibrary.org